SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ મિત્રાદિ ચાર યુગદષ્ટિનું સ્વરૂપ ] શાસ્ત્રો લખવા-વાંચવાં વગેરે એમનાં બીજેનું આત્મામાં ગ્રહણ આ દષ્ટિમાં થાય છે. એ બીજેની વાત સાંભળવામાં પણ તેને અતિ પ્રીતિ થાય છે અને તેથી સંતપુરુષોની સોબતમાં રહે છે. એ રીતે આ દૃષ્ટિવાળે જીવ આત્માના શુભ અધ્યવસાયરૂપ છેલ્લા યથાપ્રવૃત્તિકરણના બળે કમ્મેલને ઘણું ઓછું કરી નાખે છે, કે જેથી તેનામાં ઉપર જણાવેલા સમસ્ત ગુણે પ્રગટે છે. આ હેતુથી જ “છેલ્લા યથાપ્રવૃત્તિકરણ પછી નિયમા અપૂર્વકરણ થતું હોવાથી છેલલા યથાપ્રવૃત્તિકરણને પણ (કારણમાં કાર્યને ઉપચાર કરીને) અપૂર્વકરણ” કહ્યું છે. એ વિષયમાં યોગદષ્ટિસમુચ્ચયમાં જણાવ્યું છે કે – " अपूर्वासन्नभावेन, व्यभिचारवियोगतः। તાવતોષપૂર્વમેવેમિતિ ચોવિહો વિ. રૂil ” “ પ્રથમ સ્થાન, સીમાનો વળતા ક્યાં તુ તવાયાં, પુથમવથયો ” ભાવાર્થ– “છેલ્લા યથાપ્રવૃત્તિકરણ અને અપૂર્વકરણને અલ્પકાળનું જ અંતર હોવાથી (પાસે જ હેવાથી) અને અહીંથી પુનઃ પાછા પડવારૂપ વિપર્યાસ ટળી જવાથી, યોગીઓ આ ચરમ (છેલા) યથાપ્રવૃત્તિકરણને પણ અપૂર્વકરણ જ માને છે. સામાન્ય રીતે શાસ્ત્રમાં મિથ્યાત્વ દશામાં પણ જે પહેલું ગુણસ્થાનક કહ્યું છે, તે (મિથ્યાત્વને ઉદય છતાં) આ અવસ્થામાં ઉપર જણાવ્યા તે ગુણોની પ્રાપ્તિરૂપ તેની યથાર્થતા હોવાથી કહેલું છે.” ૨. “તારા નામની દષ્ટિમાં પહેલી દષ્ટિ કરતાં બોધ કાંઈક સ્પષ્ટ થાય છે. વળી શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરનું ધ્યાન–એ પાંચ “નિયમ” કે જેને ચેગની બીજી ભૂમિકારૂ૫ ચેગનું બીજું અંગ કહ્યું છે, તે જીવમાં આ દૃષ્ટિથી પ્રગટે છે. એથી આત્મામાંથી કદાગ્રહ દૂર થાય છે, સત્ય ગુણોરૂપી તત્વને જાણવાની ઈચ્છા થાય છે અને યુગનું સ્વરૂપ જાણવા-સાંભળવાની અખૂટ પ્રીતિ જન્મે છે. ઉપરાંત, એગને પામેલા ભાવગીઓની સેવા માટે આત્મા યથાશક્ય તત્પર રહે છે, સર્વત્ર ઔચિત્યમાં ખામી આવવા દેતું નથી, એટલું જ નહિ પણ સદાચારના પાલનમાં આવતી ખામી તેને મહા ત્રાસરૂપ લાગે છે અને અધિકાધિક ચોગપ્રવૃત્તિ કરવા ઈચ્છે છે. આ દષ્ટિમાં વતે જીવ પિતાની બુદ્ધિકલ્પનામાં વિસંવાદ દેખાવાથી અને ક્ષાર્થિઓની પ્રવૃત્તિઓને સપૂર્ણ સમજવી અશક્ય હોવાથી, “મેક્ષાર્થિઓની સઘળી પ્રવૃત્તિઓને યથાર્થ સમજવાની પોતાની શક્તિ નથી' એમ માની, તે શિષ્ટપુરુષના આચરણને જ શુદ્ધ માને છે, તેને અનુસરે છે, પણ પિતાની કલ્પનાના વિસંવાદને ટકવા દેતું નથી. કહ્યું છે કે " नास्माकं महती प्रज्ञा, सुमहान् शास्त्रविस्तरः।। શિષ્ટાદ બાળમિદ તદ્વિત્યાં અન્ય સલા !” (જોrea૦ ૪૮ ) ભાવા–“અમારી બુદ્ધિ વિશાળ નથી અને શા તે અતિ વિશાળ છે, માટે શિષ્ટપુરુષો કહે તે પ્રમાણે–એમ આ દષ્ટિમાં હંમેશાં મનાય છે.” અધિક ગુણીને વિનય, પિતાના મોટા પણ ગુણે અલ્પ માનવા, ભવભયથી ત્રાસ પામવે, વગેરે આ દૃષ્ટિમાં પ્રગટ થાય છે. ૩. “બલા” નામની દૃષ્ટિમાં જીવને બંધ દઢ હોય છે. અહીં અસત્ વસ્તુની તૃષ્ણ અટકી જવાથી તેનામાં સ્થિરતાગુણ પ્રગટવા સાથે એગના ત્રીજા અંગભૂત “આસન” નામને ગુણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy