SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ * : - કી મ. = 0 - - ૪ [ ધo સં૦ ભા૧-વિ. ૧-ગા. ૧૮ રૂપ'મેહને ઘણો ઉપશમ પણ તેમનામાં થઈ શકે છે. જો કે આ ઉપશમ થવામાં પાપાનુબંધી પુણ્ય હેતુરૂપે હોવાથી તેનું પરિણામ અતિ દુષ્ટ આવે છે, કારણ કે તેવા જ પુણ્યાભાસરૂપ પાપાનુબંધી પુણ્યના ઉદયથી મળતાં સુખોમાં તે સમયે મૂઢ બનેલા તેઓ તે પાપાનુબંધી પુણ્યને વિલય થતાં અવશ્ય નરકાદિ દુર્ગતિને પામે છે. એ રીતે પરિણામ દારુણ હોવાથી તે જીની એવા ઉપશમવાળી પ્રવૃત્તિ પણ અસતુપ્રવૃત્તિરૂપ જ છે. પરંતુ ગુણવંત પુરુષની હિતશિક્ષાને ગ્રહણ કરવાની યેગ્યતાને કારણે પ્રગટેલી સત્યની જિજ્ઞાસાના પ્રભાવે મોહની મંદતા થતાં પ્રગટ થયેલ “રાગ-દ્વેષની શક્તિને ઘાતરૂપ જે ઉપશમ (અર્થાત્ નિમિત્તો ઉપસ્થિત છતાં રાગછેષમાંથી બચી જવાની આત્માની શક્તિરૂપ શાન્ત પરિણામ ), તે તે સત્યને પક્ષપાતી હોવાથી દુરાગ્રહના અભાવે સત્યવૃત્તિરૂપ છે જ. (અર્થાત્ તેવા ઉપશમવાળા આત્માની પ્રવૃત્તિ સત્યવૃત્તિ રૂ૫ છે જ.) વળી પણ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે–આદિધાર્મિકમાં માધ્યય્યને કારણે ધર્મશ્રવણની જે યોગ્યતા જણાવી, તે પિતાના મત(સિદ્ધાન્ત)ને માનનારા (કેઈ એક પક્ષના) આદિધાર્મિકમાં ઘટી શકે, પણ આદિજામિકે જુદા જુદા મતના હેવાથી ભિન્ન ભિન્ન આચારવાળા જેઓ પિતપોતાના સિદ્ધાન્તમાં સ્થિર છે તે બધાઓમાં માધ્યચ્ચ કેમ ઘટે? અને માધ્યચ્યના અભાવે તેઓમાં દેશના સાંભળવાની ગ્યતા પણ કેમ ઘટે ? અહીં આચાર્યશ્રી સમાધાન આપે છે કે-તેઓમાં ચગદષ્ટિ પ્રગટેલી હોવાથી તેઓનું “મિચ્યાવગુણસ્થાનક” મિથ્યાત્વના સદૂભાવમાં પણ ગુણપ્રાપક હોવાથી સાર્થક છે અને તેથી મિથ્યાત્વ છતાં પણ તેઓ ધર્મશ્રવણ માટે એગ્ય છે, કારણ કે-મિથ્યાત્વ છતાં પણ પ્રગટેલી ગદષ્ટિના બળે તેઓ સત્યના શેધક, નિષ્પક્ષપાતી અને અષાદિ ગુણોવાળા હોય છે અને સતત શુભ પ્રવૃત્તિ કરવા છતાં થાકતા નથી, તેથી તેઓના સંવેગમાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે અને એ સંવેગવૃદ્ધિની તારતમ્યતાને લીધે પ્રગટ થતી માર્ગાભિમુખતારૂપ શેરડી, શેરડીને રસ, શેરડીને અડધે ઉકાળેલે રસ અને ગેળની મીઠાશની જેમ તેઓમાં ઉત્તરોત્તર વધુ ગુણવાળી મિત્રા, તારા, બલા અને દીપ્રા–એ ચાર પ્રકારની ગદષ્ટિએ કમશઃ પ્રગટે છે. ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણપ્રાપ્તિરૂપ એ ચાર દૃષ્ટિએમાં યથાક્રમ સવિશેષ આત્મશુદ્ધિ હોય છે. પાતંજલગદર્શનકાર ભગવાન પતજલિ તથા ભદન્તભાસ્કર વગેરે અન્ય ગીઓ પણ આ વિષયમાં એમ જ માને છે. તે દૃષ્ટિએનું સ્વરૂપ ગદષ્ટિસમુચ્ચય ગ્રંથના આધારે ટૂંકમાં આ પ્રમાણે છે– ૧. “મિત્રા” નામની દૃષ્ટિમાં બોધ સ્વલ્પ માત્ર થાય છે. (યમ-નિયમ–આસન-પ્રાણયામ-પ્રત્યાહાર-ધારણા–ધ્યાન અને સમાધિ, એ ગનાં આઠ અગે છે, તે પિકી) અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અકિંચનતાએ પાંચ( દેશત્રત કે મહાવતે)ને અન્ય યોગીઓ “યમ” કહે છે. આ યમરૂપી વેગનું પ્રથમ અંગ જીવને આ પહેલી મિત્રાદષ્ટિમાં પ્રાપ્ત થાય છે અર્થાત દેશથી કે સર્વથી પાંચ વ્રત (મે) મિત્રાદષ્ટિવાળા આત્મામાં પ્રગટે છે. દેવ-ગુર્નાદિકનાં કાર્યોમાં સતત પ્રવૃત્તિ કરવા છતાં તે કંટાળતે કે થાકતા નથી. (આ ગ્રંથમાં જ પૃ. ૩૪ માં જણાવેલાં) “દેવ-ગુરુ પ્રત્યે કુશલ મનવચન-કાયાના ચેગે, સંસાર પ્રત્યે સહજ વૈરાગ્ય અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy