SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મદેશના દેવાને વિધિ-મ ]. ૧-મિત્રાદષ્ટિમાં બોધ તૃણ-ઘાસના અગ્નિ જે, બહુ ઓછા પ્રકાશને કરનાર અને જલ્દી બુઝાઈ–ભૂલાઈ જાય તેવું હોય છે. આ બોધ કાર્યકરણકાળ સુધી ટકી શકવાના અભાવે ઈષ્ટકાર્ય સાધી શકતા નથી, બોધનું બેલ અલ્પ હોવાથી ઘર્મબીનો સંસ્કાર–ધારણું પણ સારી રીતે થઈ શકતી નથી અને તેથી ક્રિયામાં વિકલતા થવાથી ભાવચેત્યવંદનાદિ અનુષ્ઠાનેને યથાર્થ વેગ આત્માને પહેલી દૃષ્ટિમાં થતું નથી. ૨-તારાષ્ટિમાં બોધ ગેમય(છાણું)ના અગ્નિ જેવો હોવાથી તે પણ લગભગ મિત્રાદષ્ટિ જે જ કાર્ય સાધવામાં અસમર્થ હોય છે. આ બેધમાં પણ તાત્વિક બળ કે શૈર્ય નહિ હોવાથી ક્રિયા કરતી વખતે તે બેધનું સ્મરણ નહિ જેવું હોય છે, જેથી ક્રિયા યથાર્થ થઈ શકતી નથી. આ રીતે બીજી દષ્ટિમાં પણ ભાવચેત્યવંદનાદિ તે તે અનુષ્કાને યથાર્થ સ્વરૂપમાં થઈ શકતાં નથી. ૩. બેલાષ્ટિમાં બે લાકડાના અગ્નિના કણ અંગારા) જે એટલે પૂર્વની બે દષ્ટિ કરતાં કાંઈક વિશિષ્ટ પ્રકાશક, ટકી શકે તે અને દઢ હોવાથી કાર્યકરણકાળે સ્મરણ સારું હોય છે, પણ એ સ્મરણ ભાવચિત્યવંદનાદિ કરવામાં માત્ર પ્રીતિ કરાવે છે, તેથી તે વિષયમાં પ્રયત્ન થાય છે પણ તે અધૂરે થાય છે. ૪. દિપ્રાષ્ટિમાં બોધ દીવાની ત જે, પૂર્વની ત્રણ દષ્ટિ કરતાં અધિકતર સ્થિતિવાળ અને વધુ બળવાન હોય છે, જેથી કાર્યકાળે સ્મરણ પણ સુંદર હોય છે, તેથી જીવને આ અવસ્થામાં ચૈત્યવન્દનાદિ અનુષ્ઠાને સારાં થાય છે, છતાં તે ભાવસ્વરૂપ નહિ પણ દ્રવ્ય સ્વરૂપ હોય છે, કારણ કે–ગ્રંથિભેદના અભાવે તથા પ્રકારે પ્રવૃત્તિમાં ભેદ રહેવાથી (અધ્યવસાયમાં) ભાવમાં પણ ભેદ પડે છે. યોગીઓ આ ચેથી દષ્ટિને પહેલા ગુણસ્થાનકની ઊંચામાં ઊંચી કક્ષા માને છે. એ રીતે ઉપર જણાવેલા ગષ્ટિસમુચ્ચયના પાઠના આધારે મિથ્યાત્વ અવસ્થામાં પણ જીવને માધ્યચ્ચ ગુણમાંથી પ્રગટ થતી મિત્રા, તારા, બલા અને ઢીપ્રા દૃષ્ટિઓને યોગે ગુણસ્થાનકપણાની પ્રાપ્તિ થવાથી તેની પ્રવૃત્તિ ગુણોને અનુસરીને હોય છે અને તેથી જ તેને દુરાગ્રહ રહેતો નથી. જીવનું આ અનાભિગ્રહિકપણું ( દુરાગ્રહને અભાવ), તે જ ધર્મશ્રવણની યેગ્યતાનું સુંદર કારણ છે એમ નિશ્ચિત સમજવું. આને અંગે લલિતવિસ્તરામાં કહેલા “ઇલ્વે ચાનામો તો મારા મનને રાધન, ચૂધ્યાત્મચત્તા ” અર્થા–“આ રીતે સારા (ભાગ્યશાળી) આંધળાની જેમ અજાણપણે પણ સત્ય માર્ગે પ્રયાણ થાય તે શ્રેષ્ઠ જ છે–એમ અધ્યાત્મવાદી કહે છે.” એ વચનને અનુસારે જે અજ્ઞાની મિથ્યાદષ્ટિ પણ મિથ્યાત્વની મંદતા થવાથી પ્રગટેલા “માધ્યઐ– તત્ત્વજ્ઞાનની ઈચ્છા” વગેરે ગુણોના ચગે માર્ગને જ અનુસરતા હોવાથી ધર્મ વિણ માટે ચગ્ય જણાવ્યું છે, તે તેનાથી પણ વિશેષ ગુણ પ્રગટ થવાના ચેગે દુરાગ્રહ ટળી જવાથી જે અનાભિગ્રહિક બને છે તેનામાં તે ધર્મશ્રવણની યોગ્યતા સુતરાં ઘટે છે, અર્થાત્ તે ચોગ્યતા ધરાવે જ છે, તેમાં સંદેહને લેશ પણ અવકાશ રહેતો નથી. એ રીતે આદિધાર્મિક જીવ ધર્મ સાંભળવા માટે યોગ્ય છે એમ જણાવીને, હવે દેશના દેનાર ગુરુએ કેવા વિધિપૂર્વક દેશના આપવી? તે કહે છે. પૂ4–“ તા ૨ સંવેશ , પુનિના પIT बालादिभावं संज्ञाय, यथाबोधं महात्मना ॥१९॥" અન્તે ધર્મદેશના મુનિએ સાંભળવા ઈચ્છતા આત્માને સંવેગ પેદા થાય તેવી શ્રેષ્ઠ આપવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy