________________
૪૮.
L[ ધ સં. ભા. ૧-વિ૦ ૧-ગા. ૧૯ એટલે કે-ગીતાર્થ ગુરુએ પિતાના બંધ પ્રમાણે શ્રોતાની “બલબુદ્ધિ વગેરે અવસ્થાને જાણીને તેને સંવેગ પ્રગટે તેવી આપવી.
ટીમને ભાવાર્થ–તે ધર્મદેશના શ્રોતામાં સવેગ પ્રગટ થાય તેવી કરવી. સવેગનું લક્ષણ આ પ્રમાણે છે-“જીવને પાપકર્મના જનક હિંસાદિ આશ્ર જેમાં ન હોય તે (૧) સત્યધર્મ, રાગ-દ્વેષ–મેહ વગેરે અંતરંગ શત્રુઓને પરાજય કરી સર્વ દુઃખોથી મુક્ત થયા હોય તેવા (૨) શુદ્ધદેવ અને સર્વ રીતે ગ્રન્થિસમૂહથી એટલે મૂચ્છના કારણભૂત વિવિધ પરિગ્રહથી જેએ મુક્ત હોય તેવા (૩) નિગ્રંથ સાધુ,-એ ત્રણે ય ઉપર નિશ્ચલ શુદ્ધ રાગ છે તે સંવેગ કહેવાય છે. ”
આ સંવેગ જીવમાં પ્રગટ થાય તેવી દેશના આપવી. આવી દેશના કેણ આપી શકે ? તે જણાવતાં કહે છે કે–ગીતાર્થ સિવાય બીજાને ધર્મોપદેશ દેવા માટે અધિકાર નથી, માટે ગીતાર્થ સાધુએ દેશના આપવી. નિશીથસૂત્રમાં કહ્યું છે કે “જેણે નિશીથ અધ્યયનને અભ્યાસ કર્યો છે, તે (ગીતાર્થ સાધુ) પ્રકલ્પતિ કહેવાય છે. તેણે સંસારદુઃખને નાશ કરનારા અને ભવ્ય આત્મારૂપી પુંડરીક કમળને વિકાસ એટલે બેધ કરનારા એવા શ્રીજિનેશ્વરકથિત ધર્મની દેશના દેવી.” તે પણ શ્રેષ્ઠ, અર્થાત્ બીજા દર્શનવાળાઓ કરતાં અતિશયવાળી એટલે જિનધર્મની મહત્તા પૂર્ણ રીતે સમજાય તેવી રીતે દેશના આપવી. તે પણ જેને–તેને નહિ, પણ સાંભળવા માટે સામે આવેલા (સાંભળવાની માગણી કરે તેવા) અથીરને ૭ દેવી. આવા અથ શ્રોતાને પણ તેની બુદ્ધિ, રુચિ વગેરે ભાવે અથવા તેનું સ્વરૂપ તપાસીને તેને લાભ થાય તે રીતે દેશના દેવી. તે માટે જણાવ્યું છે કે-જીવના બાળપણને, મધ્યમ બુદ્ધિપણાને કે પાંડિત્યને સારી રીતે જાણુંને દેશના દેવી.
જીવની કેવી રુચિથી બાલ, મધ્યમ અને પતિબુદ્ધિરૂપ ત્રણ પ્રકારના ધર્મોથી ઓળખાય? તે માટે કહ્યું છે કે– ___ “बालः पश्यति लिङ्ग, मध्यमबुद्धिर्विचारयति वृत्तम् ।
શામત તુ યુધ, પાલતે નૈન શા” ( ૩૦ ૨-૨) ભાવાર્થ–બાલક જેવી બુદ્ધિવાળે જીવ ઉપદેશકને વેષ વગેરે બાહ્ય દેખાવ જોઈ આકર્ષાય છે, તેના આચાર સુધી તેનું લક્ષ્ય પહોંચતું નથી; મધ્યમબુદ્ધિવાળે આગળ વધીને ધર્મકથકના આચાર–સદાચાર દેખી આકર્ષાય છે અને પંડિતબુદ્ધિ તે ધર્મકથકના બાહ્ય વેષ, આડંબર કે તેના વર્તનને ગૌણ કરી, તેના ઉપદેશેલા ધર્મની પૂર્ણ આદરથી પરીક્ષા કરે છે. (આ રીતે બાહ્ય વેષાદિ રુચિભેદે શ્રોતાઓના પણ બાલ, મધ્યમ અને પંડિત એવા ભેદ કહ્યા છે.) એ રીતે રુચિદ્વારા બાલક વગેરેનું લક્ષણ કર્યું. તેમના વનરૂપી લક્ષણને જણાવતાં કહ્યું છે કે
“ થાઓ ઘામો, મધ્યમદ્ધિતુ જમવારકા
શેય દુદું તરવમા યુધતુ માનુસારી : ' (વર૦ ૨-૨) ૪૭. ધર્મશ્રવણની ઈચ્છા વિનાના-રૂચિ વગરના જીવને દીધેલી દેશના સફલ થતી નથી, ઊલટે અણગમે પેદા કરે છે, જેથી લાભને બદલે હાનિ થાય છે. જેમ ભૂખ વિનાના માણસને મિષ્ટાન્ન પણ અરુચિકર થાય, તેમ તેવા જીને શ્રીજિનેશ્વરદેવના અમૂલ્ય વચનો પણ કિંમત વિનાનાં લાગે છે. એથી દૂધમાં પિરા શોધવાની જેમ જિનવચનમાં પણ દૂષણ શેધવા જેવું અનિષ્ટ ફળ પણ આવે છે. માટે તત્ત્વના જાણુ મુનિ જ્યાં-ત્યાં જઇને જેને–તેને વિના માગે ધર્મ સંભળાવતા નથી, પરંતુ યોગ્ય સમયે–સ્થલે ધર્મ સમજવા આવેલા અથીને તેની યોગ્યતા પ્રમાણે ધર્મ સમજાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org