________________
ધર્મદેશના દેવાને વિધિ-કમ ] - ભાવાર્થ—“નિષિદ્ધ કાર્યોને કરનારો અને અસત્ આરંભવાળ હોય તે નિ ૧. બાલબુદ્ધિ, લાભ-હાનિને વિચાર કર્યા વિના માત્ર સૂત્રમાં કહેલી ક્રિયા કરવામાં જ સંતોષ માનનારો, અર્થાત્ “આ ક્રિયામાં વિશેષ લાભ છે, આ ક્રિયામાં અ૫ લાભ છે વગેરે વિચાર કરવાની શક્તિ વિનાને હોય તે સામાન્ય આચારવાળો હોવાથી ૨. મધ્યમબુદ્ધિ અને જે જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ મોક્ષમાર્ગને અનુસરનારો હોય તે તે અહીં મોક્ષમાર્ગમાં (ધર્મસાધનામાં) ૩. પંડિત સમજો.
ઉપર જણાવ્યા પ્રમાણે શ્રોતાની રૂચિ અને આચાર ઉપરથી તેને ઓળખી તદનુસાર દેશના આપવી-એમ નકકી થયું. હવે એ બલબુદ્ધિ વગેરેને કેવી દેશના આપવાથી હિતકર બને તે જણાવે છે.
બાલક જેવી બુદ્ધિવાળા જીવને મુખ્યતયા બાહ્ય આચારો, જેવા કે-વેચ કરે, પગરખાં કે બીજું કાંઈ પગે પહેરવું નહિ, પૃથ્વી ઉપર માત્ર સંથારામાં શયન કરવું પણ પલંક, તળાઈ વગેરે વાપરવાં નહિ, રાત્રિના બીજા-ત્રીજા પ્રહરમાંજ ઊંઘવું, તેથી વધારે ઊંઘવું નહિ, ઠંડી-તાપ વગેરે સહન કરવું, છટ્ટ-અટૂમ વગેરે જૈનદર્શનપ્રસિદ્ધ અનેક પ્રકારનાં બાહ્યપ જે અલ્પ સત્ત્વવાળાઓને કે દુર્બળ શરીરવાળાઓને દુઃશક્ય છે-તેવાં તપ કરવાં, ઉપધિ (વસ્ત્ર–પાત્ર વગેરે સામગ્રી) અલ્પ રાખવી, તેમાં પણ શાસ્ત્રકથિત “ઉદ્ગમાદિ દે ન લગાડવા, બેંતાલીશ દોષરહિત નિર્દોષ આહાર–પાણીથી નિભાવ કરે, તેમાં પણ જેનાગપ્રસિદ્ધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ભિન્ન ભિન્ન પ્રકારના (નિયમ) અભિગ્રહ કરવા, ઘી-ગોળ-સાકર-તેલ–દહીં કે પકવાન વગેરે ઈષ્ટ-મિષ્ટ ખોરાક તથા મેવા, ફુલ-ફળાદિ ન ખાવાં, ઉપવાસાદિના પારણે પણ માત્ર એક સિક–એક જ દાણાથી અથવા આયંબીલ, એકાસણું વગેરેથી પારણું કરવું, એક ક્ષેત્રમાં સ્થિર નહિ રહેતાં અનિયતઅપ્રતિબદ્ધપણે ગ્રામાનુગ્રામ (નવકપી) વિહાર કરે, હંમેશાં કાઉસ્સગ્ન કરવા, આતાપના લેવી, વગેરે કો સહવાં.” ઈત્યાદિ બાહ્ય ધર્મક્રિયા સવિશેષ કરવાથી જીવને મોક્ષ થાય છે એમ સમજાવવું અને ઉપદેશકે સ્વયં પણ તેની આગળ તે તે આચારનું બરાબર પાલન કરવું. | મધ્યમ બુદ્ધિવાળા શ્રોતાને ઈર્યાસમિતિ આદિ સાધુના સદાચારો, જેવા કે-“રાગ-દ્વેષ–મેહ વિનાને ત્રિકેટિશુદ્ધ સાધુવ્યવહાર, અથવા તે સચિત્તનું અચિત્ત કરવું, પકાવવું કે ખરીદ કરવું,
સચિત્તનું અચિત્ત કરાવવું, પકાવરાવવું કે ખરીદ કરાવવું તથા એ ત્રણેયની અનુમોદના કરવી; એ દેના ત્યાગથી ત્રણ કટિ પરિશુદ્ધ, બેંતાલીશ દેષરહિત આહારાદિથી નિભાવ કર વગેરે સમજાવવું. (ત્રીજી ગાથાના વિવેચનમાં પૃ. ૪ માં કહી ગયા તે) કષ, છેદ અને તાપથી શુદ્ધ જિન-આગમની મહત્તા સમજાવવી, અથવા પ્રથમ વય, મધ્યમ વય અને અંતિમ અવસ્થામાં હિતકારક સાધુની ક્રિયાઓને સમજાવવી. જેમ કે-મોક્ષાથી સાધુઓએ હંમેશાં માતા સમાન હિત કરનારી ઈર્યાસમિતિ આદિ પાંચ સમિતિ અને મનગુપ્તિ આદિ ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાને છોડવી નહિ-શુદ્ધ પાળવી. આઠ પ્રવચન માતાનું પાલન કરનારા સાધુને કદી પણ સંસારને ભય રહેતું નથી, કારણ કે–તેવા સાધુને “માંડલીમાં બેસીને ગુરુ પાસે આગમવાચના લેવી વગેરે શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે મેળવેલું જ્ઞાન ભાવિ અપાને નાશ કરવારૂપ અત્યંત ફળ આપે છે. (આઠ પ્રવચન માતાનું પાલન નહિ કરનાર સાધુને જ્ઞાન ભારભૂત બની સંસારમાં __४८. 'प्ताश्चारित्रगात्रस्य, जननात्परिपालनात् । संशोधनाञ्च साधूनां, मातरोऽष्टौ प्रकीर्तिताः।' સાધુઓમાં સંયમરૂપ ગાત્ર(પુત્ર)ને જન્મ આપનારી, તેને પાળનારી અને તેની અશુદ્ધિ ટાળનારી હેવાથી એ આઠેયને પ્રવચન(સંયમ)ની માતા કહી છે. (ગશાસ-મટ ૧, શ્લેક ૪૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org