SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૧ગા. ૧૯ ભમાવે છે.) વળી, અહા ! આ પરોપકારી ગુરુ મારા ભવદુઃખના નાશક છે, ઈત્યાદિ કૃતજ્ઞતાપૂજ્યભાવપૂર્વક તેઓનું બહુમાન–સેવા વગેરે કરતાં મહાપુણ્ય ઉપાર્જન થાય છે, પરિણામે અન્ય ભોમાં સર્વશદર્શનની અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે, માટે સાધુએ અવશ્ય ગુરુ આજ્ઞાના પાલક બનવું જોઈએ, ગુર્નાદિકનું આંતરિક પ્રીતિરૂપ બહુમાન કરવું જોઈએ, વગેરે સાધુના આચારોથી મેક્ષ થાય છે”—એમ સાધુઆચામાં બહુમાન પેદા થાય, તે રીતે દેશના દેવી. • બુધ(પંડિત શ્રોતા)ને તે ભાવપ્રધાન આગમતત્વ સમજાવવું, અર્થાત્ જિનાજ્ઞાનું (દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવપુરુષ સાપેક્ષ ઉત્સર્ગ–અપવાદથી) યથાયોગ્ય નિષ્કપટપણે પાલન કરવું તે ધર્મ અને જિનાજ્ઞાની વિરાધના કરવી તે અધમ છે, ધર્મને આ જ સાર છે, આજ્ઞાનું પાલન એ જ ધર્મનું સર્વસ્વ છે, કારણ કે–મનને હિંસાદિ પાપોથી રેકનારું અને સ્વાધ્યાય-ધ્યાનાદિમાં જેડનારું એક શ્રીજિનવચન જ છે. આ શ્રીજિનવચનમાં જ ધર્મ છે, માટે શ્રીજિનેશ્વરદેવેનું વચન તે જ મોક્ષનું અનન્ય સાધન છે. જિનાજ્ઞા વિનાનું અનુષ્ઠાન તે પ્રાણ વિનાનું કલેવર છે, જિનાજ્ઞા જ દરેક ક્રિયાને પ્રાણ છે, (તત્ત્વથી જે શ્રીજિનવચન હદયમાં છે તે શ્રીજિનેશ્વર જ હૃદયમાં છે અને શ્રીજિનેશ્વર હૃદયમાં છે તે સર્વ સુખની નિશ્ચિત સિદ્ધિ છે, કારણ કે શ્રીજિનેશ્વર એ મહાચિંતામણિરૂપ છે. તે હૃદયમાં રહેવાથી સમતા પ્રગટે છે અને મોક્ષફળને દેનારી એ સમતા જ ગીઓની માતારૂપ છે.) વગેરે શ્રીજિનવચનની આરાધના એ જ ધર્મ છે–એમ બુદ્ધિમાન શ્રોતાને દરેક અનુષ્ઠાનમાં જિનાજ્ઞાનું બહુમાન જાગે તેવી દેશના દેવી. - આ રીતે તે તે શોતાની રુચિ અને વર્તન અનુસાર બાલ, મધ્યમ કે પંડિતને નિર્ણય કરીને પણ પોતાને જેટલે બોધ હોય તેને અનુસારે જ દેશના દેવી, કારણ કે-વક્તાને જેનું જ્ઞાન ન હોય તે વિષયમાં પણ પિતે ઉપદેશ દે અને તે સૂત્રાનુસારી હોય, તે પણ તેને ઉન્માર્ગ(ઉસૂત્ર)દેશના કહી છે. (કારણ કે-જેને ઉસૂત્રભાષણનો ભય ન હોય તે જ નહિ સમજવા છતાં બેલે. આ ઉપદેશક ઉસૂત્રભાષક કહ્યો છે.) આવી દેશનાથી શ્રોતા–વક્તા ઉભયને અનર્થ થવા સંભવ છે. જેમ આંધળે અને બહેરે કદી પણ સન્માર્ગે ચઢી શકતા નથી, તેમ જે સ્વયં શાસ્ત્રોને સમજવામાં અજ્ઞાન (અંધ) છે અને બીજાનું કહેલું માનવામાં તૈયાર નથી (બહેરે છે), તે ઉપદેશક પિતે સંસારમાં રખડે છે અને અન્યને ૨ખડાવે છે. સ્વ-બંધના અનુસારે પણ શ્રોતાની ઉપર અનુગ્રહ (ઉપર) કરવાની બુદ્ધિથી જ દેશના દેવી. (કઈ તુચ્છ સ્વાર્થ સાધવા કે પોતાની મહત્તા વધારવા વગેરે દુષ્ટ આશયથી ધર્મોપદેશ કરનારનું વચન શ્રોતામાં ધર્મરૂપે પરિણમતું નથી. વ્યવહારનયથી તે ઉપદેશ દેનારનું વચન જેવા આશયવાળું હોય છે તેવા ભાવે શ્રોતામાં પ્રગટ કરે છે. આથી જ ધર્મોપદેશને અધિકાર ત્યાગી–ધમી સાધુઓનો જ છે. વેષધારી શિથિલાચારીનું વચન પ્રાયઃ ધર્મજનક થતું નથી, ઊલટું કેઈને અનાદરજનક પણ બને છે.) એ પ્રમાણે ધર્મદેશના વિધિ સંક્ષેપમાં જણાવ્યું. ધર્મબન્દુમાં તેનું વિસ્તૃત સ્વરૂપ છે. (તે તેના જ શબ્દમાં અહીં કહેવાય છે.) ૧. હવે અમે ધર્મદેશનાના વિધિનું વર્ણન કહીએ છીએ. (ધર્મબિન્દુ-અધ્યાય ૨-૪) ४८. 'वीतराग ! सपर्यायास्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विराद्धाच, शिवाय च भवाय = 1 ૨ | હે વીતરાગ ! તમારી સેવાથી પણ તમારી આજ્ઞા પાળવી તે ઉત્કૃષ્ટ છે. કારણ કે-જીવને તમારી આજ્ઞાનું પાલન મેક્ષનું કારણ અને આજ્ઞાને ભંગ ભવનું કારણ થાય છે. (વીતરાગસ્તોત્ર-પ્રકાશ ૧૯ મે) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy