________________
5
ધર્મદેશના દેવાને વિધિ-કમ]
૨. ઉપદેશકે પ્રથમ શ્રોતાને ઓળખવો એટલે “ગુણવાનોના સંગમાં પ્રીતિ, લોકપ્રિયતા વગેરે તેના ગુણોને જાણી લેવા ઉપરાંત તે કયા દેવ, ગુરુ અને ધર્મને માને છે? તે જે દેવ વગેરેને માને છે તેના દર્શનમાં ધર્મનું સ્વરૂપ કેવું બતાવ્યું છે? મોક્ષનું સ્વરૂપ કેવું કહ્યું છે? વગેરે પણ જાણવું જોઈએ. એથી શ્રોતા જ રાગ, દ્વેષ, મોહ કે ભ્રમથી મુક્ત હોય, તે કુશળ ઉપદેશક તેની રુચિ જાળવીને લેકોત્તર ગુણવાળે બનાવી શકે છે અને તેના દર્શનને બંધ હેવાથી, તે દર્શનમાં કહેલાં જે જે માર્ગાનુસારી કે દૂષિત વચનો હોય તેનાથી જ સત્ય સમજાવીને, તેને સુખપૂર્વક સત્ય માર્ગે દોરી શકે છે. (અધ્યાય ૨–૫)
૩ લૌકિક કે લોકેત્તર સામાન્ય ગુણો, જેવા કે-દાન ગુમ દેવું, ઘરે આવેલાનું “તુત ઉભા થઈ સમ્મુખ જવું ઈત્યાદિ સત્કાર-સન્માન કરવું, કેઈનું સારું કરીને બીજાને કહેવું નહિ, બીજાએ ઉપકાર કર્યો હોય તે ઘણા માણસો વચ્ચે તે ઉપકારીની પ્રશંસા કરવી, લક્ષ્મીનું અભિમાન કરવું નહિ, કોઈને પરાભવ-હલકાઈ થાય તેવી બીજાની હલકી વાત કરવી નહિ, ધર્મશ્રવણુ વગેરે શુભ કાર્યોનો અસંતોષ રાખવે, ઈત્યાદિ ગુણે કુલીન-ઉત્તમ જાતિવંત વિના બીજામાં પ્રગટે નહિ. એ રીતે ગુણ-ગુણીની પ્રશંસા કરવી (અધ્યાય ૨-૬).
૪. ઉપર કહ્યા તે સામાન્ય ગુણ કરતાંય વિશિષ્ટ ગુણે, જેવા કે-અહિંસા, સત્ય, ચારીને ત્યાગ, બ્રહાચર્યપાલન અને મૂચ્છને ત્યાગ–આ પાંચ સર્વે દર્શનકારેને માન્ય મહાપવિત્ર ગુણ છે,” વગેરે વિશિષ્ટ ગુણો એાળખાવવા. (અધ્યાય ૨-૭)
૫. ઉપર પ્રમાણે સામાન્ય-વિશિષ્ટ ગુણો સમજાવવા છતાં શ્રોતા ન સમજે, તે પણ “અરે મંદબુદ્ધિ! આટલું આટલું સમજાવવા છતાં અલ્પ માત્ર પણ તું સમજ નથી,” વગેરે તેનો તિરસ્કાર થાય તેમ બોલવું નહિ. એમ કરવાથી તે કાંઈક સમજવાની ઈચ્છાવાળો હોય તે પણ પછી તે પાસે આવે નહિ અને તેને ઉપદેશક તરફ રાગ-અહુમાન હોય તે પણ તૂટી જાય. (અધ્યાય ૨-૮)
૬. માટે તે ન સમજે તે પણ, તેને સાંભળવાની ઈચ્છા વધે તેમ વાત્સલ્યપૂર્વક કહેલું કેશાસ્ત્રો ગહન હોય છે, ઉદ્યમથી ધીમે ધીમે સમજાશે,” વગેરે કહી તેની ઈચ્છા વધારવી. સાંભળવાની ઈચ્છા-રુચિ–પ્રેમ પ્રગટાવ્યા વિના ધર્મ કહેવાથી ઊલટે અનર્થ થવા સંભવ છે. કહ્યું છે કે-“સાંભળવાની ઈચ્છા વગરના જીવને જે ધર્મ સંભળાવે છે તે ખરેખર પિશાચગ્રસ્ત કે વાય છે.” ( અધ્યાય ૨૯).
૭. વળી એક વાર કહેવાથી ન સમજે તે યુક્તિ-પ્રયુક્તિથી પણ તેને તે વિષય વારંવાર સમજાવે. જેમ દઢ સંનિપાત જેવા રે મટાડવા માટે કડવા ઉકાળા વગેરે ઉપચારે પુનઃ પુનઃ કરવા વ્યાજબી છે, તેમ મંદબુદ્ધિ જીવને વારંવાર ઉપદેશ કરે તે વ્યાજબી જ છે. ( અધ્યાય ૨-૧૦ )
૮. એ રીતે વરતુતત્વને એક વખત કે વારંવાર કહેવાથી પણ તે સમજે, ત્યારે “ભારેકમી હોય તે આવા સૂક્ષમ અને સમજી શકતા નથી (અર્થાત્ તું લઘુકમી છે.) વગેરે કહીને તેની બુદ્ધિની પ્રશંસા કરવી. ( અધ્યાય ૨-૧૧)
૯. શાસ્ત્રોમાં બહુમાન પેદા કરાવવું, એટલે કે-“અલ્પસંસારી, બુદ્ધિમાન, શ્રદ્ધાળુ છે. પરલેકના સુખ માટે આગમ સિવાય બીજામાં શ્રદ્ધા રાખતા નથી. અર્થ અને કામમાં તે ઉપદેશ વિના પણ પ્રાણુઓ ઉદ્યમી હોય છે, જીવને ધર્મ માટે તે શાસ્ત્ર વિના બીજે કઈ આધાર નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org