SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મરૂપી ઔષધને કાળ ] मूळ-" स धर्मदेशनायोग्यः, मध्यस्थत्वाजिनमतः । योगदृष्टयुदयात् साथै, यद्गुणस्थानमादिमम् ॥१८॥" અથ તે આદિધાર્મિક માધ્યચ્ચ ગુણને યોગે શ્રીજિનેશ્વરોએ ધર્મદેશના માટે એગ્ય માને છે અને તેનામાં ચગદષ્ટિને ઉદય થવાથી તેનું પ્રથમગુણસ્થાનક સાર્થક છે. ટીકાને ભાવાર્થ–ઉપર જણાવેલા ગુણસંપત્તિવાળા આદિધાર્મિક જીવને શ્રીજિનેશ્વરેએ લેકેત્તર ધર્મની દેશના માટે એગ્ય જણાવ્યું છે. આ જીવ ધર્મપ્રાપ્તિમાં કારણભૂત ચરમપુદ્ગલપરાવર્તરૂપ કાળબળને પામ્યા છે. ઉપદેશપદમાં જણાવ્યું છે કે " घणमिच्छत्तो कालो, एत्थ अकालो उ होइ नायव्यो । વારો ૧ ગgધા–ifમ ધાદિ બિદ્દિો જરૂર” " णिच्छयओ पुण एसो, विन्नेओ गंठिभेअकालंमि । एयमि विहिसयपालणाउ आरोग्गमेया उ ॥४३३॥" ભાવાર્થ–“જ્યાં તીવ્ર મિથ્યાત્વ હોય છે તેવે (ચરમપુદ્ગલપરાવર્તકાળની પૂર્વે) અનતે કાળ, કે જેને અચરમાવર્તકાળ કહેવાય છે, તે કાળ શ્રીજિનેશ્વરનાં વચનરૂપી ઔષધ માટે અગ્ય જાણો. ચરમાવર્ત કાળ તે જીવમાં તથાભવ્યત્વના પરિપાકથી ધર્મબીજેનું આદાન, તેની વૃદ્ધિ અને પિષણ વગેરે માટે એગ્ય પણ બને છે; માટે અહીં અપુનબંધક (વગેરે) અવસ્થા જે કાળમાં પ્રગટે, તે ચરમાવતકાળને વ્યવહારનયથી શ્રીજિનવચનરૂપ ઔષધ માટે એગ્ય કહ્યો છે. નિશ્ચયથી તે ગ્રંથિભેદ થાય તે કાળ ચોગ્ય જાણઃ કારણ કે-ગ્રંથિભેદ પછી શ્રીજિનવચનની પાલના સદાય થાય અને તેથી આરોગ્ય પ્રગટે.” અહીં અપુનબંધક વગેરે કહેવાથી માર્ગાભિમુખ-માર્ગપતિત પણ સમજવા. તેઓનું સ્વરૂપ આ પ્રમાણે છે. માર્ગ એટલે ચિત્તની સરલતા. જેમ સર્પનું દર સીધું હોવાથી વક્રગતિવાળે પણ સર્ષ દરમાં સીધું ચાલે છે અને સ્થાને પહોંચ્યા વિના વચ્ચેથી પાછા ફરી શકતું નથી–સ્વસ્થાને પહોંચે જ છે, તેમ જીવને પણ ચિત્તની વકતાને દૂર કરનારે ઉત્તરોત્તર વિશિષ્ટ ગુણપ્રાપ્તિ કરાવનારે સ્વ-અભિલાષજન્ય કર્મને પશમવિશેષ, તેને માર્ગ કહેવાય છે. અર્થાત્ ૧-ક્ષયોપશમમાં હેતુભૂત શ્રદ્ધાની શુદ્ધિ, તેનાથી ૨-વિમલ, વિમલતર તથા વિમલતમ સોપશમની શુદ્ધિ અને ૩–તેના ફળરૂપે ઉત્તરોત્તર ગુણવૃદ્ધિરૂપ આત્માની વિશિષ્ટ અવસ્થા–આત્મશુદ્ધિ, આ ત્રણે ય પ્રકારરૂપ સુખાસિકાને (આનંદ અનુભવરૂપ આત્મસ્વરૂપને) માર્ગ કહેવાય છે.૪૫ આવા ક્ષયોપશમાદરૂપ માગ પામવાને યોગ્ય થયેલે તેને પ્રારંભિક જીવ માર્ગાભિમુખ કહેવાય છે અને તે ક્ષયોપશમાદિ ભાવને પામેલે જીવ માર્ગ પતિત (માગે ચાલતો) કહેવાય છે. આ બે અવસ્થાની પૂર્વ-અવસ્થા અપુનબંધક અવસ્થા છે. એ બને અવસ્થાઓ ચરમપુદ્ગલ ૪૫. માર્ગનું આ વર્ણન ઉપદેશપદમાં પણ લલિતવિસ્તરાના “મવાળ” પદ ઉપરના પાઠના આધારે કરેલું છે. તાત્પર્ય કે-માર્ગ એ જ કર્મોને પશમ, શ્રદ્ધા તેનું કારણ તથા એ ક્ષપશમનું ફળ આત્મગુણની વૃદ્ધિરૂપ આત્માની ઉત્તરોત્તર અવસ્થા–એમ સમજવું. એ રીતે શ્રદ્ધારૂપ હેતુ, ગુણપ્રાપ્તિરૂપ ફળ અને કર્મોને ક્ષપશમ-એ હેતુ, માર્ગ અને તેનું ફળ ત્રણેયની આત્મામાં ઉત્તરેત્તર વૃદ્ધિ તેનું નામ માર્ગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy