SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ [ ધ સં. ભા૦ ૧-વિ૦ ૧-ગ. ૧૭ કે–અપનબંધક જીવ પિતાની અવસ્થાને ઉચિત આચારને કદાચ ચૂકે, તે પણ તે સ્વ-ઉચિત આચારસેવનમાં પ્રયત્નશીલ જ હોય છે અને તેથી તેને કરેલે ઉપદેશ વગેરે સફલ થાય છે. આ વિષયમાં સાંખ્યદર્શન માને છે કે-“(તામસી–રાજસી–સાત્વિકી) પ્રકૃતિનો અધિકાર (બળ) આત્મા ઉપરથી નિવૃત્ત ન થાય, એટલે કે-જ્યાં સુધી આત્મા પ્રકૃતિને વશ બનેલું હોય ત્યાં સુધી તેનું આવું (અપનબંધક) સ્વરૂપે પ્રગટ થતું નથી.” અને બૌદ્ધો માને છે કે–“જ્યાં સુધી ભવન (ભવિતવ્યતાને) પરિપાક થતું નથી, ત્યાં સુધી જીવને આવી દશા પ્રાપ્ત થતી નથી.” જૈનદર્શન માને છે કે-“જે જીવ હવે પછી મિથ્યાત્વાદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધવાને નથી, તેવા જીવમાં આવી ઉત્તમતા (આદિધાર્મિકતા) પ્રગટે છે.” અહીં સુધી લલિતવિસ્તરાના સાક્ષીપાઠ દ્વારા આદિધાર્મિકનું સ્વરૂપ જણાવ્યું હવે પ્રસંગોપાત્ત પંચાશકની ગાથા દ્વારા અપુનબંધકનું સ્વરૂપ બતાવે છે– "पावं न तिव्वभावा, कुणइ ण बहु मन्नइ भवं घोरं। વિદિ = સેવ, સંસ્થવિ શપુર્વ ાિ” (તા. રૂ, To ) ભાવાર્થ-અપુનબંધક જીવ હિંસાદિ પાપકર્મોને તીવ્ર પરિણામ(અતિ સંક્લેશ)પૂર્વક ન કરે, કારણ કે-અતિ ઉત્કૃષ્ટ સ્થિતિવાળાં મિથ્યાત્વાદિ કર્મોને ક્ષયોપશમ થવાથી તેને આત્મા નિર્મળ થયેલું છે. એટલે પાપના તીવ્ર પરિણામ ન હોય તથાપિ સામાન્ય મેહનીયાદિ અશુભ કર્મના ચંગે સામાન્ય પરિણામથી પાપવૃત્તિવાળે તે હોય, દુઃખની ખાણ સમાન ભયંકર સંસારનું (સાંસારિક પ્રવૃત્તિઓ કરવા છતાં) બહુમાન તેને ન હોય અને દેવ-અતિથિ–માતા-પિતા વગેરે સર્વ પ્રત્યે દેશ-કાળ-બળ વગેરેને અનુસારે સઘળા ઉચિત વ્યવહારને બરાબર સાચવે; કારણ કે તેનાં કર્મો પાતળાં પડવાથી તે ઉચિતને છેડી શકે નહિ. મેરના બચ્ચાના દષ્ટાંતથી સમજવું કે-ઉપર કહેલાં અનુષ્ઠાનવાળે અપનબંધક જીવ માર્ગાનુસારીપણાની સન્મુખ છે. જેમ મોરના ઈંડાને ચિતરવાની જરૂર પડતી નથી, તે સ્વાભાવિક જ પોતાની યોગ્યતાથી સુંદર રંગવાળું બને છે, તેમ અહીં અપુનબંધક જીવ પણ પિતામાં થયેલા કર્મના હાસથી સ્વાભાવિક રીતે જ માર્ગાનુસારીપણાની સમ્મુખ હોય છે.* આ રીતે (અપુનબંધક) આદિધામિકનું સ્વરૂપ-લક્ષણ જણાવીને, હવે તે સદ્ધર્મની દેશના માટે યોગ્ય છે, એ વાત જણાવતાં કહે છે કે- ૪૪. આની પહેલાં આ પાનામાં જ લલિતવિસ્તરાના સાક્ષીપાઠમાં જણાવી ગયા કે-“અપુનબંધકાદિ પણ માર્ગોનુસારી હોવાથી તેની બધી પ્રવૃત્તિ ઉત્તમ ગણું છે,” એમ કહી અપુનબંધકને માર્ગાનુસારી ગણાવ્યો અને અહીં “ અપુનબંધક માર્ગાનુસારીપણાની સન્મુખ હોય' તેમ કહ્યું છે. વળી પાના ૩૩ ની નં. ૪૨ ની ટિપ્પણીમાં “છેલ્લા યથાપ્રવૃત્તિકરણને અંતે વર્તતે જીવ માર્ગનુસારી કહેવાય અને તે પહેલાં જુદી જુદી અવસ્થામાં અપુનબંધક, માગભિમુખ અને માર્ગ પતિત કહેવાય” એમ બતાવ્યું, એટલે કે– અપુનબંધક તે અવસ્થાઓમાં ભાગનુસારી નથી ” એમ જણાવ્યું. તે દરેકની સાથે આ વ્યાખ્યાનો સમન્વય આ રીતે કરે વાસ્તવિક માર્ગોનસારીપણું તે યથાપ્રવૃત્તિકરણના અંતે વર્તતાં હોય છે, પણ અપુનર્બોધક જીવ સ્વાભાવિક રીતે જ મેર-શિશુન્યાયે આગળ વધી માર્ગાભિમુખ, માર્ગ પતિત અને માર્ગાનુસારીપણાને નિયમો પામવાને છે, માટે ગમયની અપેક્ષાએ તે બધી અવસ્થાઓમાં પણ માર્ગોનુસારીપણું કહેવામાં દોષ નથી. વિશેષ તેના જાણકાર વિદ્વાન પાસેથી સમજી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy