SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ ધામિકનું સ્વરૂપ ] કરવી, તે તે પટના મંત્રના અધિષ્ઠાયક દેવની પૂજા કરવી, સદાચારોનું શ્રવણ કરવું, ઔદાર્ય ગુણને કેળવે અને ઉત્તમ પુરુષના આચારેને અનુસરવા, વગેરે પ્રવૃત્તિરૂપ લક્ષણ જેનામાં હોય તે અપુનબંધક-આદિધાર્મિક હોય છે. આ જીવની સઘળી પ્રવૃત્તિ ઉત્તમ હોય છે અને તેની અપુનબંધક વગેરે (અવસ્થાઓ) નિયમ માર્ગાનુસારી (મોક્ષમાર્ગને અનુસરતી) જ હોય છે, કારણ કે તે સિવાય આવી ઉત્તમ પ્રવૃત્તિ હોતી નથી, માટે (નૈગમનયના અભિપ્રાયે) આવા જીવની પ્રવૃત્તિ વિચિત્ર છતાં પ્રથમ આરંભથી જ ઉત્તમ જ હોય-એમ કહ્યું છે. જેમ પ્રસ્થક (એક પ્રકારનું અનાજ માપવાનું માપું) બનાવવાની ઈચ્છાથી સુથાર જંગલમાં કાષ્ઠ લેવા જાય, તેને કાપે, માર્ગમાં ગમનાગમન આદિ કરે, એમ કરતાં યાવત્ તે માપું તૈયાર કરે ત્યાં સુધી વચ્ચે અનેક બીજી પણ પ્રવૃત્તિઓ કરે, છતાં તે બધું પ્રસ્થક બનાવવાના ઉદ્દેશથી કરાતું હોવાથી પ્રસ્થકની ક્રિયા કહેવાય છે. લાકડું લેવા જતાં કેઈ તેને પૂછે, તો પણ કહે કે–પ્રસ્થક લેવા જાઉં છું, લાકડું વગેરે બધું પ્રસ્થકની પૂર્વાવસ્થારૂપ હોવાથી નૈગમનયના (કે જે નય સામાન્ય-વિશેષ ઉભયને મુખ્ય માનનાર છે તેના) મતે પ્રસ્થક માટેની ક્રિયારૂપ છે. ( આ અપેક્ષાએ) અપુનબંધકાદિ પણ માર્ગાનુસારી હોવાથી તેઓની સઘળી પ્રવૃત્તિઓ ઉત્તમ જ કહેવાય છે. આ ઉદ્દેશથી જ કહ્યું છે કે-“કુરાવિત્તિf નિપ્રવૃત્તિવ ” અર્થા–“કઈ પ્રસ્થક આદિરૂપ બનાવવું હોય, તે તેને માટે કુહાડીથી માંડીને બધી પ્રવૃત્તિ પ્રસ્થક આદિ બનાવવાની જ પ્રવૃત્તિ મનાય છે.” એ રીતે આદિધાર્મિકની સ્વસ્વ દેવને પ્રમાદિરૂપ ધર્મવિષયક જે જે પ્રવૃત્તિઓ થાય છે, તે દોષવાળી હોવા છતાં પણ સર્વ રીતે ધર્મને અનુસરનારી છે-બાધક નથી, એમ અદંપર્યના (ધર્મ રહસ્યના) જાણુપુરુષે કહે છે. અહીં એક પ્રશ્ન ઉદ્ભવે કે-તેઓ સદેષ પ્રવૃત્તિ છતાં ધર્માનુસારિણી શા માટે કહે છે ?” તેનું સમાધાન કરતાં કહે છે કે દેવાદિ તત્ત્વ પ્રત્યે આવા જીવનું હૃદય વિધવાળું હોતું નથી, પ્રવૃત્તિમાં દેષ છે તે અનાગ–અજ્ઞાનતાદિના વેગે છે પણ હૃદયનું દૂષણ નથી. દેવાદિ તત્વે પ્રત્યે વિરેધ નહિ હેવાથી તેનું “સમન્તભદ્રતા” એટલે સર્વ રીતે કલ્યાણ જ હોય છે. એ રીતે ઉપર જણાવેલા પ્રસ્થક દષ્ટાંતની જેમ જૈનદર્શનથી ભિન્ન જે જે દશને (નયવાદ) છે, તેમાં કહેલાં “ગુપ્તમતિ -વનાર' દષ્ટાંતે એ જીવમાં આ રીતે ઘટાવવાં. જેમ કે-કેઈ નિદ્રાધીન પુરુષને નિદ્રામાં ચંદનાદિ વિલેપન કરવામાં અને ઘરેણાંથી શણગારવામાં આવે તે વખતે તેને ખ્યાલ તેને ન હોય, પણ જાગ્યા પછી શરીરે ચંદનાદિનું વિલેપન અને ઘરેણાંથી અલંકૃત જોઈ તે આશ્ચર્ય પામે; જેમ નાવડીમાં નિદ્રાધીન થયેલા પુરુષને નાવડીની ગતિને ખ્યાલ ન હોય, પણ જાગ્યા પછી પોતે સમુદ્રકાંઠે પહોંચે છે-એમ જાણી આશ્ચર્ય પામે; તેમ અજ્ઞાન, અનાગ આદિ કારણે તે અવસ્થામાં પિતાની પ્રવૃત્તિનું મહત્વ આદિધાર્મિકને ન સમજાય, દેશે સેવે, તથાપિ સમ્યગદર્શન વગેરે ગુણોની પ્રાપ્તિ થયા પછી તેને આશ્ચર્યજનક વિચિત્ર ગુણોથી અલંકૃત પિતાના આત્માનું દર્શન થાય, માટે તેની તે પૂર્વની દરેક પ્રવૃત્તિઓ પણ ઉત્તમ જ સમજવી. આ પ્રમાણે અનાગાદિ કારણે પ્રવૃત્તિ દેષવાળી છતાં તે ઈષ્ટગુણની સાધક જ છે, કારણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy