________________
ધર્મનાં બીજો અંકુર-દ-નાળ વગેરે ]
“શારીરિક વગેરે કષ્ટથી પીડાતા દીન-દુઃખીયાઓ પ્રત્યે યથાશક્ય દુખનિવારક ઉપાય કરવાપૂર્વકની દયા કરવી, વિશિષ્ટ જ્ઞાની આદિ ગુણવંતે પ્રત્યે માત્સર્યને ત્યાગ કરે, દીનાદિ સર્વ પ્રત્યે સામાન્ય ઔચિત્યનું પાલન કરવું, એ વગેરે પ્રવૃત્તિ સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ યોગે(ધર્મ)ની પ્રાપ્તિમાં કારણભૂત હોવાથી તેને ધર્મનાં બીજે કહ્યાં છે.” (૬)
સામાન્ય ગૃહસ્થ ધર્મયુક્ત જીવેમાં શાસ્ત્રમાં જણાવેલા બાલ-મધ્યમ–પંડિત આદિ જીવને આશ્રયી યથાગ્ય વિધિપૂર્વક દેશના દેવી, કે જેનું સ્વરૂપ આ ગ્રંથમાં જ આગળ કહેવામાં આવશે, તેવી દેશના વડે સુખપૂર્વક આવાં બીજે વાવી શકાય છે. જેમ વિધિપૂર્વક સારી જમીનમાં વાવેલાં અનાજનાં બીજે ઊગી નીકળે છે, તેમ ધર્મનાં બીજે પ્રાયઃ તે જમાં ઊગી નીકળે છે. તેનું વાવેતર, ઉગારે–અકુરા વગેરે કોને કહેવાય, તે જણાવતાં કહે છે કે-ધર્મની શુદ્ધ ભાવથી પ્રશંસા કરવી વગેરે ધર્મબીજનું વાવેતર કરવારૂપ છે, (તે ધર્મ પ્રાપ્ત કરવાની) ચિંતા–અભિલાષા કરવી એ બીજને અંકુરે કહેવાય છે, તે ધર્મની વાત સાંભળવી તે તેને કાષ્ઠ (કંદ) કહેવાય છે, ધર્મનું આચરણ કરવું તે પુષ્પને નાળ કહેવાય છે, તેનાથી દેવ–મનુષ્યપ્રાગ્ય સુખ-સંપદા મળે તે તેનાં પુપે કહ્યાં છે અને પરિણામે સર્વકર્મનિવૃત્તિ (મેક્ષ) થાય તે ધર્મબીજનું ફળ કહ્યું છે. આ બીજે વાવ્યા વિના જીવમાં કદી પણ ધર્મને ઉદય થતું નથી. કહ્યું છે કે
" अकए बीजक्खेवे, जहा सुवासे वि न भवइ सस्सं ।
તદ ધર્મવીનવિ, ન સુસમાપ વિ તરસરણં છે ” ( ૩૫૦૫-ભા. રર) ભાવાર્થ_“સારે વરસાદ થવા છતાં પણ જેમ બીજ વાવ્યા વિના ધાન્ય પાકતું નથી, તેમ ઉપર જણાવેલાં ધમબીના વાવેતર વિના જીવમાં શ્રીતીર્થંકરદેવાદિ વર્તતા હોય તેવા સારા કાળમાં પણ ધર્મવૃક્ષ ઊગતું નથી. (મક્ષસાધક સામગ્રી સફળ થતી નથી.)”
અહી “પ્રાય' કહેવામાં ગ્રંથકારશ્રીનો એ આશય છે કે-શ્રીમદેવા માતા જેવા કેઈ જીવમાં તેનું તથાભવ્ય જે પરિપકવ થયું હોય તે બીજેના વાવેતર વિના પણ ધર્મ પ્રગટી શકે છે, માટે “પ્રાયઃ કહ્યું છે.
હવે ઉપર કહ્યો તે સામાન્ય ગૃહસ્થ ધર્મથી યુક્ત અને ભેગનાં બીજાદિની પ્રાપ્તિવાળો જે જીવ, તેનું શાસ્ત્રમાં કયી સંજ્ઞા-શું નામ હોય છે, તેમ જ તેની અવસ્થા કેવી હોય છે તે કહે છે. मूळ-"स आदिधार्मिकश्चित्रस्तत्तत्तन्त्रानुसारतः ।
૬૪ તુ સ્થાનમાપેક્ષ, ક્ષણ પરિપૃઢ ” અથ–ઉપર જણાવ્યું તે જીવ “આદિધાર્મિક” કહેવાય છે અને પોતપોતાના દર્શનને અનુસારે તેવા છે અનેક પ્રકારના ( જુદી જુદી પ્રવૃત્તિવાળા) હોય છે. અહીં તે જૈન આગમને અનુસાર તેનું લક્ષણ જણાવવાનું છે.
ટીકાને ભાવાર્થ–“જેનું સ્વરૂપ ઉપર વર્ણવવામાં આવ્યું તેવી ગુણવૃદ્ધિ (આત્મશુદ્ધિ) ચરમાવર્તકાળમાં જ થાય છે, તે પહેલાં થતી જ નથી. આ ચરમાવર્તાકાળ પામીને જીવ પ્રથમ જ ધર્મને આરંભ કરે છે, માટે જૈન સંપ્રદાયમાં તે જીવનું “આદિધાર્મિક” એ સંજ્ઞા-નામ રાખ્યું છે.”
* જે પુદગલપરાવર્તમાં જે જીવને મેક્ષ અવશ્ય થાય, તે તેને “ચરમાવર્તકાળ” કહેવાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org