________________
માર્ગાનુસારીના ૩૫ ગુણે ]
આમ છતાં અહીં શંકા થશે કે–અપ્રાપ્તઅંશનું વિધાન કરી શકાય છે, પણ પ્રાપ્તઅંશમાં વિધાન કરવું અયુક્ત છે. અહીં તે “ધન કમાવું, ઘર કરવું” વગેરે અંશો પ્રાપ્તક્રિયા છે અને તેમાં “ન્યાયપૂર્વક” તથા “ગ્ય સ્થાને પરિમિત દ્વારવાળું ” વગેરે વિશેષણે અપ્રાપ્ત અંશરૂપ છે, તે “ન્યાયપૂર્વક ધન કમાવું” તેમાં “ ન્યાયપૂર્વક” એટલું વિધાન જ ધર્મરૂપ કહી શકાય, પણ
ધન કમાવું” તે અંશને ધર્મ કેમ કહેવાય? તેવી રીતે “ ગ્ય સ્થાને પરિમિત દ્વારવાળું ” વગેરે વિશેષણઅંશે ધર્મ કહી શકાય, પણ “ઘર બંધાવવું” એ અંશને ધર્મ શી રીતિએ કહેવાય? કારણ કે–તે પ્રાપ્તઅંશે છે, તેમાં પ્રેરણા કરવી નકામી છે. માત્ર “ન્યાયાર્જિતપણું” વગેરે અંશે અપ્રાણક્રિયારૂપ હોવાથી તેનું જ વિધાન કરવું તે ધર્મ ગણાય, પણ અહીં તે “ન્યાયપાર્જિત ધન કમાવું” વગેરે સંપૂર્ણ વાક્યને ધર્મ કહ્યો તે કેમ ઘટે?
ઉપરની શંકાના સમાધાનમાં જણાવે છે કે અનુવાદકવચન પ્રાપ્તઅંશને એટલે સહજસિદ્ધ હોય તેને અનુવાદ કરનારું હોય છે અને વિધિવચન અપ્રાપ્તઅંશને એટલે ત્રુટિને પૂરનારૂં હોય છે. એ રીતે વાક્યમાં અનુવાદ્યવિષય અને વિધેયવિષય બંને નિયમા યથાક્રમ હોય છે. પ્રાપ્ત એટલે વિદ્યમાન અને અપ્રાપ્ત એટલે અવિદ્યમાન અર્થ કહેવાય છે. વાક્યમાં અવિદ્યમાન અર્થ એટલે અપ્રાપ્ત અંશનું જ વિધાન કરવાનું હોય છે, તે પણ તે અપ્રાપ્તઅર્થનું સ્થાન (આધાર) પ્રાપ્તઅર્થમાં જ હોય છે, કારણ કે–અપ્રાપ્તઅર્થ વિશેષણરૂપ અને પ્રાપ્તઅર્થ વિશેષ્યરૂપ હોય છે. વિશેષમાં જ વિશેષણ કરવાનું (કરેલું) હોય છે, એટલે પ્રાપ્ત અર્થનું વિશેષ્યનું) પણ કથન કરવું જ પડે. તે સિવાય વાક્યની સમજણ શ્રોતાને થાય તે કઈ ઉપાય જ નથી. જેમ કે–અહીં “ન્યાયાજિત” એટલું વિશેષણનું જ વિધાન જરૂરી છે, માટે માત્ર “ન્યાયાર્જિત” એટલું જ કહીએ તો સાંભળનાર શું સમજે? કાંઈ ન સમજે. માટે તે વિશેષણ જે વિશેષ્યમાં કરવાનું છે, તે “ધન - રૂપ વિશેષ્ય, કે જે પ્રાપ્તઅંશરૂપ છે તેનો પણ ઉલ્લેખ કરવો જ જોઈએ, અર્થાત્ ન્યાયાર્જિતની સાથે ધન શબ્દની યેજના કરવાથી જ શ્રોતાને યથાર્થ સમજણ પડે. તેવી જ રીતે સુસ્થાનેસારા પાડેશમાં–પરિમિત દ્વારવાળું” એટલું જ કથન અહીં જરૂરી છે અને “ઘર કરવું” એ તે વિના પ્રેરણાએ પણ થતું હોવાથી તેને કહેવાની જરૂર નથી, છતાં “સુસ્થાને-સારા પાડેશમાં– પરિમિત દ્વારવાળું” એટલું વિશેષણ જ કહીએ અને તેના આધારભૂત “ઘર બાંધવું ”એ વિશેષ્યઅંશને છેડી દઈએ, તે તે વાક્ય વાસ્તવિક અર્થવાળું બનતું નથી, માટે “સુસ્થાને-સારા પાડેશમાં–પરિમિત દ્વારવાળું ઘર બનાવવું” તે ધર્મ છે. એમ બંનેની (પ્રાપ્ત-અપ્રાપ્તઅંશની) ચેજના કરવી જ પડે છે, કારણ કે–વિશેષણનો આધાર તે વિશેષણથી વિશિષ્ટ તેનું વિશેષ્ય જ
૪૧. જગતમાં અનાદિ પ્રવાહથી જે ચાલ્યું જ આવતું હોય અને જેમાં કેઈની પ્રેરણા કે સલાહની જરૂર ન હોય તે “પ્રાપ્તઅંશ” કહેવાય. જેમ કે–ભેગું કરવું–જન કરવું વગેરેમાં કઈને કોઈની પ્રેરણાની જરૂર નથી, માટે તે પ્રાપ્તક્રિયા” કહેવાય, પરંતુ જ્યારે ભજનમાં તે ભક્સ-અભક્ષ્ય કે પશ્ચ-કુપચ્ચેના વિવેક વિના ગમે તે ખાય અને પાપને ભાગી કે રેગી થાય, ત્યારે ત્યાં ખાવાની ક્રિયા “પ્રાપ્તઅંશ ”રૂપ છે અને તેમાં જે વિવેક નથી, તે “અપ્રાપ્તઅંશ” એટલે ખામીરૂપ છે. અહીં ખાવાની ક્રિયા સ્વયમેવ કરે છે માટે ખાવાની ભલામણ કરવી જરૂરી નથી, પણ અભક્ષ્ય કે કુપને ઓળખતા નથી કે તે નથી, તે તેને * અપ્રાપ્તઅંશ” હોવાથી તેને જણાવવાનું છે, માટે ભક્યાભક્સ તથા પથ્યાપથ્યને ઓળખાવવા કે છોડાવવા તેનું વિધાન કરવું જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org