SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૫ જ સાચા સુખી છે, કે જે પરલોકના સુખમાં વિરાધ ન આવે તે રીતે આ ભવમાં જીવે છે. ધર્માંની બેદરકારી કરનાશે આ ભવમાં કદાચ પૂર્વ પુણ્યના ખળે દુ:ખી ન થાય તે પણ ભવિષ્યકાળમાં તા દુ:ખી થાય જ છે, કારણ કે–સુખનુ' મૂળ ધમ છે. જેમ મૂળ ગયા પછી વૃક્ષ ન ટકે તેમ ધર્મ ગયા પછી સુખ ટકી શકતું જ નથી, માટે બુદ્ધિમાન પુરુષે ધર્મનો ઘાત ન થાય તેવી રીતે અથ કામમાં પ્રયત્ન કરવા જોઈ એ. ૦ સં૰ ભા. ૧-વિ. ૧ઞા. ૫-૧૪ ધનની ઉપેક્ષા કરીને ધર્મ-કામની સેવા કરનારા દેવાદાર અની જાય છે અને કામના અનાદર કરીને ધન-ધર્મની સેવા કરનારને ગૃહસ્થપણાને જ અભાવ થઈ જાય છે, એટલે કે–તેના ગૃહસ્થપણાના વ્યવહાર અટકી પડે છે. ' જે ધનના કાંઈ પણ સંચય નહિ કરતાં પ્રાપ્ત થતું બધું ધન ખેંચી નાખે છે, તે માણુસ ‘ તાદાત્વિક ' કહેવાય છે, જે દાદા-પિતા વગેરેના પૂર્વજોપાર્જિત દ્રવ્યને અન્યાયથી ખાઈ જાય છે ખચી' નાખે છે તે · મૂળહર ’કહેવાય છે અને જે નાકરાની (કુટુંબની ) કે પેાતાની પીડાને પણુ અવગણીને માત્ર ધન ભેગું જ કરે છે કાંઈ પણ ખર્ચતા નથી, તે ‘કય ઃ કહેવાય છે. તેમાં તાદાત્વિક અને મૂળહેરને ધનનો નાશ થતાં ધર્મ-કામના પણ નાશ થાય છે—કલ્યાણ થતું નથી અને કદ( કૃપણ )ના ધનસંગ્રહ રાજા, ભાગીદારા કે ચારને જ ભાગ્ય અને છે-ધર્મ-કામના ઉપયાગમાં આવતા નથી. એમ તાદાત્વિક, મૂળહર અને કદને ધર્મ, અર્થ અને કામ પરસ્પર ખાધક થાય છે જ. આથી ગૃહસ્થે ત્રણેય વગને ખાધ ન પહાંચાડતાં ત્રણેયની યથાયાગ્ય સેવા (રક્ષા) કરવી જોઈ એ. સચેાગવશાત્ એ ત્રણેયને જો સરખી રીતે સાધી ન શકે તે ઉત્તર-ઉત્તરને છેડીને પૂર્વ-પૂર્વની રક્ષા કરે, એટલે કે–જો ત્રણેય ન સચવાય તેા કામની ઉપેક્ષા કરીને ધર્મ અને ધનની રક્ષા કરવી, કારણ કેધમ અને ધનની રક્ષાથી પિરણામે કામની પણ સિદ્ધિ સહેલાઈથી થઈ શકે છે. જો તેમ પણ ન અને તે ધન અને કામને છોડીને ધર્મની રક્ષા તેા કરવી જ જોઈ એ, કારણ કે--અર્થકામનુ મૂળ ધર્મ છે. ધર્મની રક્ષા કરનારા આખરે ધન અને કામને પણ સાધી શકે છે. કહ્યું છે કે- ભીખ માગીને જીવતાં પણ જો ધમ સચવાય તેા સમજવું કે હું ધનવાન જ છેં, કારણ કે—સત્પુરુષાનું સાચુ ધન એક ધર્મ જ છે. ૩૬ ૩૦. વેરાાજાહાવળ-અદેશ એટલે જ્યાં જવા માટે નિષેધ હાય તેવાં સ્થાના–જેલ, વધસ્થાન, જુગારનું સ્થાન, જ્યાં પરાભવ થાય તેવું સ્થળ, ખીજાના ભંડારનું સ્થાન, ખીજાનુ' અંતઃપુર, સ્મશાન, નિર્જન સ્થાન અને ચાર, વેશ્યા, નટ વગેરેનાં સ્થાને, આવાં સ્થળોએ જવાથી Jain Education International ૩૬. આ ગુણુમાં જણાવેલી હકીકતને સમજી તે પ્રમાણે ગૃહસ્થજીવન જીવનારને જીવનની સારી-માઠી કાઈ અવસ્થા દુઃખનું—અધઃપતનનું કારણ બનતી નથી, પણ તેને ગૃહવાસ સુખરૂપ બને છે અને પોતે ગૃહસ્થ છતાં ધણાં પાપાથી બચી પેાતાના જીવનને ઘણા અંશે સફળ કરી શકે છે. આ ત્રણેયનું અબાધિત પાલન કરવામાં વિઘ્નરૂપ ૧-અજ્ઞાનતાદિ કારણે ધર્મારાધનમાં થતી અતિપ્રવૃત્તિ, ૨-અપરિમિત ધનસંચય કરવાની વૃત્તિ-લાભ અને ૩-પાંચે ય ઈન્દ્રિયોના વિષયેાની તીવ્ર લાલસા,—એ ત્રણ દૂષણા છે. બુદ્ધિમાને પોતાના આત્માના હિતાહિતના વિચાર કરીને આ ત્રણેય દૂષણ્ણાના યથાશકય પરિહાર કરવા જોઈ એ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy