SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] ૨૩. ચા-દુઃખી પ્રાણીઓને દુઃખથી બચાવવાની ઈચ્છા તે દયા. દયાળુ મનુષ્ય દરેક પ્રાણીને સુખી કરવાની ઈચ્છાવાળે હોય છે. પ્રાણી માત્ર પ્રત્યે તે પ્રાયઃ દયાશીલ હેવાથી સુયતનાના ચગે તેની સર્વ આરાધનામાં ‘દયા’ મુખ્ય હોય છે. દયા? એ ધર્મનું મૂળ છે. તે પ્રાપ્ત થવાથી જ પ્રાણી માત્ર પ્રત્યે દયાની ભાવનાપૂર્વક તે ક્ષમા વગેરે તાત્વિક ધમની આરાધના કરી શકે છે. ૨૪. લઘુલ્લુિ કહ્યું છે કે-“ શુકૂળ છi Rવ, પ્રળ ઘા તથા પોmોવિજ્ઞાન તરવજ્ઞાન ૪ ઈyurli ” ૧. શુશ્રુષાતત્ત્વ સાંભળવાની ઈચ્છા, ૨. શ્રવણતત્ત્વને સાંભળવું, ૩. ગ્રહણ-ઉપગપૂર્વક સાંભળેલું ગ્રહણ કરવું, ૪. ધારણ ગ્રહણ કરેલું ભૂલી નહિ જવું– યાદ રાખવું, પ. ઊહ-જે અર્થ સાંભ-જાણ્ય-યાદ રાખે તેને તે જ્યાં જ્યાં ઘટિત હોય ત્યાં ત્યાં ઘટાવે , અથવા ઊહ એટલે પદાર્થનું સામાન્ય જ્ઞાન, ૬. અપેહ=સાંભળેલાં વચનોથી તથા યુક્તિથી પણ વિરુદ્ધ એવા હિંસા-જુ ડું–ચોરી વગેરે દુષ્ટ ભાવેનાં માઠાં પરિણામ (દુઃખ) જાણું તેને છોડી દેવાં અથવા અપોહ એટલે પદાર્થનું તે તે ગુણ-પર્યાયપૂર્વકનું જ્ઞાન, ૭. અર્થવિજ્ઞાન= ઊહાપોહ દ્વારા થએલું ભ્રમ, સંશય કે વિપર્યય (ઊલટે અર્થ) વગેરે દેથી રહિત (તે તે ભાનું) યથાર્થ જ્ઞાન, અને ૮. તત્ત્વજ્ઞાન=ઊહાપોહથી સંશયાદિ દોષરહિત થયેલું “આ એમ જ છે”—એવું નિશ્ચિત જ્ઞાન. આ આઠ ગુણે ઉત્તરોત્તર બુદ્ધિની વિશુદ્ધિરૂપ છે. આ ગુણોવાળે વિશિષ્ટપુરુષ કદી પણ (અકલ્યાણ) દુઃખને પામતે નથી. એને યોગ કરે એટલે તે આઠ ગુણે જ્યાં જે રીતે હિતકર બને તે રીતે ઘટાવવા-સમજવા. ૨૫. કુળગુ પક્ષપાત –“સ્વપર કલ્યાણકારક આત્મધર્મસાધક એવા સજ્જનતા, ઉદારતા, દાક્ષિય, સ્થિરતા અને પ્રિયભાષણપૂર્વક સામાએ બોલાવ્યા પહેલાં તેને બોલાવ” વગેરે ગુણોનું અને તેવા ગુણનું બહુમાન, પ્રશંસા કરવી કે તેને સહાય કરવી, વગેરે ગુણેના પક્ષપાતરૂપ છે. ગુણુના પક્ષાપાતી પુરુષે જ અવધ્ય પુણ્યબીજને સિંચન કરવા દ્વારા આલેક-પરલેકમાં ઉત્તમ ગુણરૂપ લક્ષ્મીને પામે છે, ગુણવાન બને છે. ૩ - ૨૬. નામિનિધેરા –હમેશાં અદુરાગ્રહી બનવું. બીજાને પરાભવ કરવાની બુદ્ધિથી અન્યાયી - ૩૧. ધર્મક્રિયા કરવા છતાં જે મનુષ્યમાં દયાના પરિણામ નથી, તે મનુષ્યની ધર્મક્રિયા તેના ધર્મને કલંકરૂપ બને છે. ધર્મ તે શ્રેષ્ઠ જ હોય છે, પણ ધર્મ કરનારની અગ્યતાથી જ જગતમાં ધર્મ અયોગ્ય ઠરે છે, વગેવાય છે અને એ રીતે ધર્મ કરવા છતાં ધર્મની અપભ્રાજના કરનાર વાસ્તવિકરીતે ધર્મને હાસ કરે છે. ૩૨. બુદ્ધિ આ ગુણોથી વિશિષ્ટ બને તે ધર્મનું રહસ્ય સહેલાઈથી સમજાય. જગતના કેઈ પણ પદાર્થને યથાર્થ સ્વરૂપે જાણવા માટે તેવી વિશિષ્ટ બુદ્ધિ જોઈએ છે. જેમ ઈધણું, અનાજ, ગોળ, સાકર, ધાતુ, ચાંદી, સેનું કે ઝવેરાત વગેરે પદાર્થોની પરીક્ષા માટે ઉત્તરોત્તર વિશિષ્ટ બુદ્ધિ જરૂરી છે, તેમ તેથી પણ અતિ ગહન ધર્મને સમજવા માટે અતિસુક્ષ્મ-તીક્ષ્ણ બુદ્ધિ અતિશય જરૂરી છે. આ વસ્તુને નહિ જાણતાં ધર્મ જેવી કિંમતી વસ્તુમાં “ધમ આવો ન હોય ! આ તે ધર્મ કહેવાતું હશે ? આ તે લોકોને સુખથી વંચિત રાખનારી વાત છે!” વગેરે વગેરે બોલનારાઓ કેવી ભયંકર ભૂલ કરે છે, તેને નિષ્પક્ષ શુદ્ધ બુદ્ધિવાળા જ સમજી શકે છે. ૩૩. કહ્યું છે કે-“ રાળી ઉત્ત, ગુ ગુણિપુ મત્તા . મુળ જ ગુનામાં ૨, વિસ્ટા સરસ્ટો કનઃ ” અર્થાત “અવગુણી ગુણવાનને જાણી શકતું નથી. ગુણવાન પણ મટે વર્ગ એ હોય છે કે-બીજા ગુણવાનના ગુણને સહન કરી શકતા નથી, મત્સર-તેષ કરે છે. સ્વયંગણું અને ગુણગુણીને રાગી એ સરળ ઉત્તમ મનુષ્ય કેઈક જ હોય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy