SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સંo ભા૧-વિ૦ ૧–ગા. પ-૧૪ પુત્ર વિના બધું નકામું છે. તેને અર્થ એ નથી કે અંધને દરિદ્રતા ગમે છે, ધન વિનાનું પાંડિત્ય ખરાબ છે કે પુત્ર વિના, ધન, યશ, સ્ત્રી બધું નકામું છે. વસ્તુતઃ જે ખૂટે છે તેના અભાવમાં મળેલું બધું જેમ નકામું ભાસે છે, તેમ અહીં પણ સદાચાર વિના સારૂં કુળ પણ વ્યર્થ જેવું છેએમ સમજવાનું છે. કુલ ભલે ગમે તે હોય તે પણ એક “સદાચારથી જ ચાલે” એ અર્થ નથી અર્થાત્ બનેની મહત્તા સરખી છે.) ૨૦. અસ્થમા-માતા-પિતા-રી-પુત્રાદિઆપણું આશ્રયે રહેલાં સગાંસંબંધી કે નોકરચાકર વગેરેનું (ગક્ષેમ દ્વારા એટલે કે તેમને જરૂરી પદાર્થો મેળવી આપવા અને તેઓની વસ્તુઓની રક્ષા કરવા દ્વારા) ભરણપોષણ કરવું. તેમાં માતા-પિતા, સતી સ્ત્રી અને પિતાના નિર્વાહની શક્તિ જેએમાં નથી તેવાં પુત્ર-પુત્રી-એ ત્રણેયનું સેંકડે અયોગ્ય કાર્યો (નોકરી-ચાકરી–મજૂરી વગેરે) કરીને પણ અવશ્ય ભરણપોષણ કરવું અને વૈભવ સારે હોય બીજા પણ નિરાધાર સ્વજનસંબંધી વગેરેનું ભરણપોષણ કરવું જોઈએ. અન્યત્ર પણ કહ્યું છે કે-હે તાત! ગૃહસ્થ ધર્મમાં લક્ષ્મીવંત એવા તમારે ત્યાં દરિદ્ર મિત્રે, પુત્ર વિનાની વિધવા બેન, સ્વજ્ઞાતિના વૃદ્ધો અને કુલવાન દરિદ્રો-એ ચાર પ્રકારના મનુષ્યો વસવાટ કરે ! અર્થાત્ લક્ષ્મીવંત ગૃહસ્થોએ એ ચાર દુઃખી યાઓને અવશ્ય સંભાળવા જોઈએ. ૨૧. વીgિ –કઈ પણ કાર્યનું પરિણામ શું આવશે તેનો વિચાર કરીને વર્તન કરવું, કારણ કે વિચાર કર્યા વિના કાર્ય કરનારને મહાન આપત્તિ આવે છે. કિરાતમાં જણાવ્યું છે કે-“લાભહાનિનો વિચાર કર્યા વિના કામ ન કરવું, અવિવેક મહા આપત્તિઓનું સ્થાન છે, વિચારીને કાર્ય કરનારને ગુણાનુરાગિણું સંપદાઓ સ્વયમેવ આવી વરે છે. ” ૨૨. ઇતિ –આ ગ્રંથમાં જેનું વર્ણન કર્યું છે અને ઉત્તરોત્તર ઉન્નતિ સાધી કેમે કમે જે મેક્ષ આપનાર છે, તે ધર્મને, “જેમ નિગી, ચતુર અને યુવાન પુરુષ સુંદર સ્ત્રી સાથે દેવીગીતને એકતાનપૂર્વક સાંભળે; તેથી પણ અતિ રાગપૂર્વક” હમેશાં સાંભળવો જોઈએ. ઉપગપૂર્વક સત્કથા શ્રવણ કરવાથી ચિત્ત થયું હોય તે થાક ઊતરી જાય છે, કષાય-ઉદ્વેગથી તપી ગયું હોય તે શાન્ત થાય છે, આપત્તિ વગેરેથી દિગમૂઢ બની ગયું હોય તે સૂઝવાળું બને છે અને અસ્થિરવ્યાકુળ બન્યું હોય તે સ્થિર થાય છે, વગેરે ઘણું લાભ થાય છે. જે કે-બુદ્ધિના ગુણેમાં પૃ. ૨૫ માં શ્રવણ ગુણ કહેવાનું છે, તથાપિ હમેશાં ધર્મ શ્રવણ કરનારને ઉત્તરોત્તર અનેક સગુણની પ્રાપ્તિ થાય છે. એ ફળની પ્રધાનતા બતાવવા માટે અહીં આ જુદો બતાવ્યો છે. ર૯. પિતાનાં આશ્રિત કુટુંબ, સ્વજનસંબંધી, જ્ઞાતિજને કે ગામના ઉત્તમ મનુષ્યોની સંભાળ નહિ લેતાં, “વસુધૈવ કુટુમ્”—એ ન્યાયને આગળ કરી અન્યોના ઉદ્ધાર માટે સખાવતે કરનારાઓ બ્રાન્ત છે. જે કુલ, જ્ઞાતિ કે ગામમાં પિતે જન્મે છે, તેને કુટુંબરૂપે નહિ માનતાં, જ્યારે આખી પૃથ્વીને કુટુંબરૂપ મનાવે છે, ત્યારે સહજ રીતે સજજનો તેને અજ્ઞાની તરીકે ઓળખી લે છે. વ્યવહાર એ જ છે કે-જેમ ઘરની રક્ષા ખાતર મહલ્લાની, મહલ્લાની રક્ષા ખાતર ગામની અને ગામની રક્ષા ખાતર દેશની રક્ષા થાય, તેમ નિકટના સંબંધીઓને સંભાળવાનું સહુથી પ્રથમ આવશ્યક ગણાય. તે પછી શકિત અનુસાર આગળ વધાય. ૩૦. સાક્ષાત્ સિદ્ધિ એ સૂત્ર દીર્ધસત્રી–બીકણુ મનુષ્યોને પુરુષાર્થમાં પ્રેરક છે. સારાં કાર્યોમાં બહુ લાબ વિચાર કરતાં સમય ચાલ્યો જાય છે, માટે તે વિલંબ વિના કરવાં જોઈએ-સાહસ ખેડવું જોઈએ. છતાં તેને અર્થ એ નથી કે-ગમે તે કાર્યો વગર વિચાર્યું કરવાં જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy