SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ २२ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૧-ગ. પ-૧૪ પિતાના પ્રાણને નાશ કરીને પણ અમૃત સમાન મીઠું પાણી આપે છે, અર્થાત નાળીયેર ફોડવાથી નાળીયેરને જીવ પ્રાણમુક્ત થાય છે અને તેમાંથી માણસે મીઠું પાણી મેળવે છે. જો શ્રીફલ પણ આ રીતે કૃતજ્ઞતા ગુણને ધારણ કરે છે, તે પુરુષ ઉપકારીને કેમ વિસરે? અર્થાત્ સપુરુષે કદી પણ ઉપકારીને ભૂલતા નથી અને તેથી (જેમ શ્રીફલ સર્વ ફળમાં શ્રેષ્ઠતાને પામ્યું છે તેમ) કૃતજ્ઞ પુરુષે મહાન (યશ-પૂજાદિને પામી) કુશલ-કલ્યાણના ભાગી બને છે. ૧૬. કીડનનં-અજીર્ણ વખતે ભજન ન કરવું. અજીર્ણ હોવા છતાં ભજન કરવાથી સર્વ રેગની વૃદ્ધિ થાય છે, કારણ કે-રગ માત્રનું મૂળ અજીર્ણ છે. અજીર્ણના આમ, વિદગ્ધ, વિષ્ટબ્ધ અને રસશેષ–એમ ચાર પ્રકારે કહ્યા છે. તેમાં ૧–આમઅજીર્ણ, કે જેથી ઝાડો નરમ અને સડેલાં–મરેલાં માછલાંની ગંધ જે દુર્ગંધવાળો થાય. ૨-વિદગ્ધઅજીર્ણ, કે જેમાં અપાનવાયુ દુર્ગધવા થાય. ૩-વિષ્ટબ્ધઅજીર્ણ, કે જેનાથી ઝાડો કા–છૂટો થાય, શરીરનાં ગાત્રે-અવય ભાંગે (શરીર તૂટે). ૪-રસશેષ અજીર્ણ, કે જેનાથી આળસ-પ્રમાદ ઘણે થાય. તેમાં ૧–અજીણથી દુર્ગંધવાળે ઝાડે થે, ૨-અપાનવાયુ દુધવાળે થે, ૩-ઝાડો કાચે થવો, ૪-શરીરનાં ગાત્રે (સાંધા) તૂટવાં, ૫-ખોરાક ઉપર અરુચિ થવી અને ૬-ઓડકાર ખાટા કે દુર્ગધવાળા આવવા, તે છ અજીર્ણનાં લક્ષણ છે. આગળ વધીને અજીર્ણથી મૂચ્છ, બહુ બકવાટ, ઉલટી, અધિક ઘૂંક–લાળ આવવી, શરીર થાકવું, ચકરી આવવી, વગેરે અનેક વિકારે થાય છે અને તેમાંથી મરણ પણ નીપજે છે ૨૭ (માટે પૂર્વે લીધે આહાર પચી ગયા પછી ફરી ભૂખ લાગે ત્યારે ભેજન લેવું) ૧૭. જે મુત્તા સામ્યવસ્થતા–ગ્ય કાળે, લુપતાવશ થયા વિના, પ્રકૃતિને અનુકૂળ પથ્ય (હિતકર) અને પરિમિત ભેજન કરવું. સુધા લાગે ત્યારે ભેજન નહિ કરવાથી અન્ન અરુચિ થાય છે-શરીર નબળું પડે છે. અગ્નિ બુઝાઈ ગયા પછી ઇંધણ અગ્નિનું કેવી રીતે પોષણ કરે ? અર્થાત્ જઠરને અગ્નિ ભૂખ છતાં નહિ ખાવાથી મંદ પડી જાય છે અને પછી એકીસાથે ખાવાથી તેનું પાચન થઈ શકતું નથી, માટે ભૂખ૮ લાગે ત્યારે ભેજન કરવું. ભૂખ વિના ખાધેલું અમૃત પણું ઝેર બને છે. ૨૭. શરીરસ્વાસ્થ એ ધર્મનું અંગ છે અને અજીર્ણ છતાં જમવાથી સ્વાસ્થ બગડવાથી ધર્મમાં શરીરની સહાય મળતી નથી, માટે અજીર્ણમાં ભેજનને ત્યાગ કરે એ ધર્મનું કારણ છે. ૨૮. અહીં કોઈ “રાત્રે ભૂખ લાગે તે રાત્રે પણ ભોજન કરવું ”—એવો અર્થ કરે તે તે અજ્ઞાનતા છે. રાત્રિભોજન એ મહાપાપ છે–એ જૈનદર્શનને મત તે જગપ્રસિદ્ધ છે. ઉપરાંત વેદાંતીઓ ય માને છે કે"त्रयीतेजोमयो भानुरिति वेदविदो विदुः। तत्करैः पूतमखिलं, शुभं कर्म समाचरेत् ॥ नैवाहुतिर्न જ નાનં, ન ચાદ્ધ દેવતાનમ્ ા ન વા વિદતં રાત્રૌ, મોનનું તુ વિશેષતઃ ” “વેદ, યજુર્વેદ અને સામવેદ-એ ત્રણેયનાં તેજ રૂપ સૂર્ય છે, માટે સર્વે શુભ કાર્યો સૂર્યનાં કિરણોથી પવિત્ર થાય તે રીતે દિવસે કરવાં. યજ્ઞ, સ્નાન, પિતૃકર્મ, દેવપૂજકે દાન વગેરે કાર્યો રાત્રે કરવાનો નિષેધ છે અને ભોજનને તે રાત્રે સર્વથા નિષેધ કરેલો છે.” વગેરે રાત્રિભોજનના આ ભવ–પરભવના દોષ આદિ ઘણી હકીકત જૈન-જૈનેતર શાસ્ત્રોમાં પ્રગટ છે. માટે “ ભૂખ લાગે ત્યારે જમવું’ એટલે રાત્રે પણ જમવું-એ અર્થ કરવામાં “વદતે વ્યાધાત” થાય છે. જે શાસ્ત્રો રાત્રે ખાવામાં મહાપા૫ વર્ણવે છે, તે શાસ્ત્રો ભૂખ લાગે ત્યારે ખાવું—એમ કહીને જે રાત્રે ખાવાનું જણાવે છે તે પોતાની જ વ્યાખ્યાને બીજી રીતે ખોટી ઠરાવનારાં બને છે. શાસ્ત્રનું કોઈ પણ વચન એકબીજા વચનને બાધક ન થાય તે જ તેને અર્થ અદંપર્યાર્થરૂપ હોવાથી સત્ય છે, માટે અહીં ભૂખ લાગે ત્યારે પણ દિવસે જ ખાવું, રાત્રે તે નહિ જ ખાવું એ અર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy