________________
૨૧
માર્ગાનુસારીના રૂપ ગુણે ]
૧૩. માતાપિરં–માતાપિતાની પૂજા કરવી, એટલે કે-ત્રણે ય કાળ તેઓને પ્રણામ કરે; પરલેકમાં હિત કરનારાં (ધર્મનાં) કાર્યોમાં તેઓને જોડવાં (સગવડ આપવી); દરેક પ્રવૃત્તિમાં તેઓની આજ્ઞા પ્રમાણે વર્તન કરવું; ફળ, ફૂલ વગેરે ભેગોપભેગના પદાર્થો પણ, જેના વર્ણ— ગંધરસ સારા હોય તેવા તેઓને આપવા; અર્થાત્ વાપરવાની ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ તેઓને આપવી; તેઓના જમ્યા પછી જમવું; સુતા પછી સુવું વગેરે બાહ્ય સેવા સાથે તેઓએ અંગીકાર કરેલાં વ્રત-નિયમોને જરા ય બાધ ન આવે તેમ વ્યાપાર, વ્યવહાર વગેરે કાર્યો કરવાં, કે જેથી તેઓનું પૂર્ણ ઔચિત્ય જળવાય; વગેરે વતન માતાપિતાની ભક્તિ-પૂજન કરવારૂપ છે. તેમાં પણ પિતાથી ય માતા અધિક પૂજ્ય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે “દશ વિદ્યાગુરુઓની બરાબર એક ધર્માચાર્યું છે, સે ધર્માચાર્યોની બરાબર પિતા છે અને માતા તે પિતા કરતાં ય હજારગુણું અધિક ગૌરવને પાત્ર છે.” માટે અહીં પણ પિતા–માતાને બદલે માતા-પિતા એ કમ જણાવ્યું છે. ૨૫
૧૪. રાજા સિં–આ લેક-પરલેકમાં હિતકારી-સુંદર આચાર સેવનારા સદાચારી પુરુની સોબત કરવી. તેવાઓની સોબતથી દુરાચારથી બચી સદાચારી થવાય છે અને જુગારી, ધૂર્ત, ભાટ, ભાંડ, નટ વગેરે અસત્ પુરુષોની સેબતથી જે શીલ-સદાચાર હોય તે પણ તત્કાળ નાશ પામે છે. કહ્યું છે કે-“જે સસંગતિમાં રક્ત થઈશ તે સ–સા થઈશ અને અસદાચારીની ગેડીમાં પડીશ તે પતન પામીશ, અર્થાત્ જે ગુણે મળ્યા છે તે પણ નાશ પામશે.”
આત્મા સ્વયં એક જ છે, સંગ થયા પછી પણ વિગ થાય જ છે, એટલે વસ્તુતઃ સંગ છેડવામાં જ આત્મસુખ રહેલું છે, છતાં સંગ છડી ન શકાય તે સબત પુરુષની જ કરવી, કારણ કે–સપુરુષ સંગમાંથી છૂટવાના ઔષધતુલ્ય છે. અર્થાત્ પુરુષના યોગથી ધીમે ધીમે ગુણવાન બનતે આત્મા આખરે આખા જગતને રાગ તેડીને સ્વ-સ્વરૂપમાં તૃપ્ત બની શકે છે, માટે જ્યાં સુધી સંગ ન છૂટે ત્યાં સુધી સંગમાંથી છૂટવા માટે પણ સત્પની જ સેબત કરવી એ જરૂરી છે.
૧૫. રાત-ઉપકારીના ઉપકારને છૂપાવ થા વિસારે નહિ. સહુએ ઉપકારીના ઉપકારને કદી ભૂલતા નથી, પણ શિર ઉપર ભારરૂપે માનતા તેને યથાશક્ય બદલે કેમ વળે તેની ચિંતા સેવે છે. કહ્યું છે કે-શ્રીફલ પણ બાલ્યકાળમાં અ૫ પાણું પાનાર(વૃક્ષ સિંચનાર)ને પિતાના છેરનાર તરીકે ઉપકારી માની, મસ્તક ઉપર ભાર(જટારૂપે છોડાં)ને ધારણ કરી, ઉપકારીને
૨૫. માતા-પિતા પ્રત્યક્ષ ઉપકારી છે. જન્મ પછી તેઓએ જે વેશ્યાની માફક બાળકને ત્યજી દીધું હોત, તે આજે તેની હયાતિ પણ ન હોત. અનેક સંકટ વેઠી ઉછેરનારાં પ્રત્યક્ષ ઉપકારી માતા-પિતાની જેઓ સેવા કરી શકતા નથી, તેઓ આખા જગતની કે દેવ-ગુરુની સેવાની વાતે ભલે કરતા હોય, તેવા મનુષ્યોમાં હોતે જ નથી. પ્રત્યક્ષ ઉપકારી પ્રત્યે કતજનતા સેવનાર દેવ, ગુરુ કે બીજા કોઈ પરોક્ષ ઉપકારીની સેવા કયા કારણે કરે ? તે વિચારતાં જ સ્વાર્થ, દંભ કે અજ્ઞાન આદિના યોગે તેની સેવા પાયા વિનાની પ્રવૃત્તિરૂપ જણાશે. માતા-પિતાની સેવા કરનારે જ સમાજની, દેશની, તથા દેવ, ગુરુ કે બીજા સાધર્મિક વગેરેની પણ સેવા કરી શકે છે, માટે એ ગૃહસ્થને સામાન્ય ધર્મ છે. ૨૬. “ રાગ ન કરશે કેઈ જન કેઇશું રે, નવિ રહેવાય તે કર મુનિશું રે, મણી જિમ ફણીવિષને તીમ તેહે રે, રાગનું ભેષજ સુજશુ સનેહ રે. ”
જ ( રાગની સઝાયમાં પૂ. મહોપાધ્યાય શ્રીયશોવિજયજી ગણું ) સદાચારીની સેબતથી સદાચારી થવાય છે. “ ઉત્તમ સંગે રે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતજી.” (શ્રીદેવચંદ્રજી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org