SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગાનુસારીના ૩૫ ગુણે] લકવાયકા (લોકોનો તે ભૂમિ માટે અભિપ્રાય) વગેરે જાણીને મકાન બાંધવું-વસવાટ કરે. આ સારે પાડોશ અને શુદ્ધ ભૂમિ છતાં રહેઠાણ રાજમાર્ગ ઉપર કે અતિ ગુપ્ત ગલીમાં ન હોવું જોઈએ, અર્થાત્ ઘર અતિ જાહેર માર્ગ ઉપર પણ નહિ, તેમ શોધવામાં મહેનત પડે તેવાં ઘણું ઘરની અંદર ઢંકાઈ ગયેલા સ્થાને પણ ન હોવું જોઈએ, કારણ કે-અતિ જાહેરમાં રહેવાથી પિળ-દરવાજાદિના અભાવે ચોર-લૂંટારાદિનો ભય રહે અને અતિ ગુપ્ત સ્થળે હોય તે ઘણું ઘરેથી ઢંકાઈ જવાથી ઘર શેભાને ન પામે, તેમ જ અગ્નિ આદિ ઉપદ્રવ વખતે જળ વગેરેની સહાય મેળવવામાં કે પિસવા–નીકળવા વગેરેમાં મુશ્કેલી પડે. વળી એગ્ય સ્થાને પણ બાંધેલા ઘરને પેસવા–નીકળવાનાં અનેક બારણાં (માગે) ન હોવાં જોઈએ, કારણ કે–જે ઘરને જવાઆવવાનાં ઘણાં બારણું હોય ત્યાં દુષ્ટ લેકે પ્રવેશ કરી જાય તે પણ ખ્યાલ ન રહે અને તેથી ધન સ્ત્રી વગેરેની રક્ષા કરવી મુશ્કેલ પડે. આથી સારા પાડેશમાં, સારી ગુણવાળી ભૂમિ ઉપર, અતિ પ્રગટ કે ગુપ્તસ્થાનને છોડીને, ઘણાં બારણાં વિનાનું ઘર ધમી આત્માઓને માટે ધર્મનું પિષક બને, માટે તેને ગૃહસ્થના સામાન્ય ધર્મરૂપે કહ્યું છે. (અહીં અનેક દ્વારનો નિષેધ કરવા દ્વારા નિયત દ્વારનું વિધાન હેવાથી, ગૃહસ્થ પ્રતિનિયતદ્વારવાળા ઘરવાળે હવે જોઈએ-એમ અર્થપત્તિથી સમજવું.) ૮. પામીવાતા–પ્રત્યક્ષ કે પરોક્ષ દુઃખેનાં કારણભૂત પાપકર્મોથી ભય પામવાપણું. તેમાં ચેરી, વ્યભિચાર, જુગાર વગેરે કાર્યો આ લેમાં પણ પ્રત્યક્ષ રાજદંડ આદિ મહા અપાયનાં કારણે બને છે અને દારૂપાન, માંસભક્ષણ તથા રાત્રિભેજન આદિ પાપકા શાસ્ત્રોમાં કહેલાં નરક આદિ પરલેકમાં દુર્ગતિનાં પક્ષ દુઃખ આપે છે. ૯. રાતા પાટનમૂ-અન્ય શિષ્ટપુરુષને માન્ય ઘણું કાળથી રૂઢ થયેલા દેશચારે (કે દેશમાં સર્વત્ર જે વ્યવહારરૂપ બની ગયા હોય), જેવાં કે-જમવું, જમાડવું, વસ્ત્ર પહેરવાં, પહેરામણી કરવી, વગેરે અનેક પ્રકારના લૌકિક વ્યવહારે, તેનું પાલન કરવું. જે તેમ કરવામાં ન આવે તે તે દેશના લોકો સાથે વિરોધ થાય, ધર્મની નિંદા થાય વગેરે અનેક પ્રકારે અહિત થાય. અન્ય લોકોનું મન્તવ્ય છે કે-યોગીપુરુષે આખી પૃથ્વીને (સકળ લેકને) ભૂલ કરતાં જુએ છે, તથાપિ (જે એગના રહસ્યને સમજ્યા છે તથા લેકેદ્વારની અપેક્ષાવાળા છે તે) મનથી પણું દેશાચારનું ઉલ્લંઘન કરતા નથી.” પછી ગૃહસ્થનું તે પૂછવું જ શું? આથી રૂઢ દશાચારનું પાલન કરવું તે ગૃહસ્થનો સામાન્ય ધર્મ છે. ૧૦. સર્વેશ્વપત્વેિ ગુurg વિશેષતઃ–ઉત્તમ, મધ્યમ કે અધમ એવા કોઈનો પણ (દેષ જાહેર કરવારૂપ) અવર્ણવાદ નહિ બોલ, કારણ કે–પરના દે ગાવા એ મહાદેષ છે. શ્રીપ્રશમરતિ નામના ગ્રંથની ૧૦૦ મી ગાથાથી વાચકચકવતી શ્રીમાન ઉમાસ્વાતિજી મહારાજા જણાવે છે કે-“ બીજાને હલકે પાડવાથી, તેના અવર્ણવાદ બોલવાથી કે પિતાનો ઉત્કર્ષ (મોટાઈ) ગાવાથી જીવ કોડે ભાથી પણ ન છૂટે તેવું નીચ ગોત્ર નામનું કર્મ ભવે ભવે બાંધે છે.” આમ જ્યારે ૨૨. નળરાજા, પાંડ વગેરે જુગારથી રાજ્યભ્રષ્ટ થયા; કૃષ્ણજી જેવા વાસુદેવ હયાત છતાં દ્વારિકાને મદિરાપાનથી નાશ થ; દશરથ રાજા શિકાર-માંસથી દુષિત થયા; શ્રેણિક રાજા માંસવ્યસનથી નરકમાં ગયા; રાવણ, દુર્યોધન આદિ પરસ્ત્રીલોપટથી ભ્રષ્ટ થયા અને કતપુણ્ય શેઠ વેશ્યાગમનથી નિર્ધન થયા; ચોરીના વ્યસનથી તે અનેક આત્માઓ મરણશરણ થયા છે; વગેરે પાપકાર્યોનાં દુષ્ટ ફળે છે. આથી પાપકાર્યોથી ડરવું એ ગૃહસ્થના સામાન્ય ધર્મનું લક્ષણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy