SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ [ સ૰ ભા૦ ૧ વિ૦ ૧–ગા. ૫-૧૪ ૫. મૂન્દ્રિયાળાં નય:-કાન, આંખ, નાક, જીભ તથા ચામડી ( સ્પર્શન )–એ પાંચે ય ઇન્દ્રિયાની શબ્દ, રૂપ, ગધ, રસ અને સ્પરૂપ પોતપોતાના વિષયમાં અધિક પડતી આસક્તિના ત્યાગ કરવા, અર્થાત્ વિકારને અટકાવવા તે ઇન્દ્રિયજય કહેવાય છે. આ રીતે ઇન્દ્રિચાના વિકારને કાબૂમાં લેવાથી મનુષ્યને ખાહ્ય-અભ્યંતર મહાન સંપત્તિ મળે છે, કહ્યું છે કેઇન્દ્રિયાના અસંયમ ( સ્વેચ્છાચાર ) તે દુઃખાના માર્ગ છે અને ઇન્દ્રિયા ઉપર વિજય મેળવવા તે સ'પદ્મા—સુખને માર્ગ છે. એ બે માર્ગોમાંથી જે માગ ઇષ્ટ હોય તે માર્ગે ગમન કરવું ( અર્થાત્ સુખની અભિલાષાવાળાએ ઇન્દ્રિયાનો નિગ્રહ કરવા સતત ઉદ્યમ કરવા ). ઇન્દ્રિયા એ જ સ નરક અને સ્વસ્વરૂપ છે. નિગ્રહ કરેલી ઇન્દ્રિયા પાપથી બચાવીને સ્વર્ગમાં લઈ જાય છે, જ્યારે છૂટી મૂકેલી ઇન્દ્રિયા યથેચ્છ પાપ કરાવીને નરકમાં લઈ જાય છે. અહીં ઇન્દ્રિયજયમાં અતિ આસક્તિના પરિહારરૂપ મર્યાદા ખતાવી, તેનું કારણ એ છે કે-ગ્રંથકારશ્રી અહી' સામાન્ય ગૃહસ્થધર્મનુ સ્વરૂપ કહે છે. સર્વથા ઇન્દ્રિયજય તા સાધુપણામાં કરી શકાય છે. ૬. ઉદ્ધૃતસ્થાનવિવર્ઝનમ્-સ્વ-રાજ્ય કે પર-રાજ્યનાં લશ્કરથી ભય-ક્ષેાભ જાગવાથી; દુષ્કાળ, મરકી, કેલેરા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પતગિયા, ઉંદર, તીડ વગેરેનો ઉપદ્રવ થવાથી, તથા જનવિરોધ એટલે પરસ્પર મનુષ્યેાનો મહાવિગ્રહ-કામી રમખાણુ વગેરે કારણેાથી જે ગામ, નગર વગેરે અસ્વસ્થ બન્યાં હાય અર્થાત્ ત્યાંના લેાકેામાં ગભરાટ પેદા થયા હાય, તેવાં સ્થાનનો ત્યાગ કરવા; કારણ કે—એવી સ્થિતિમાં ત્યાં રહેવાથી પૂર્વે મેળવેલાં ધર્મ, અર્થ અને કામ(નાં સાધનો )નો નાશ થાય છે અને તેવા સ્થાને પુનઃ તે મેળવી શકાતાં નથી, તેથી ઉભય લેાકથી ભ્રષ્ટ થવાનું અને છે. ૭. જીપ્રાતિવૈમિને સ્થાનેતિપ્રમુખ્તજે અનૈનિગમનાર ચુસ્ય વિનિવેરાનમ્ II-ઘર કેવું, કેવા સ્થાને અને કેવા પાડોશમાં હાવું જોઈ એ, તે જણાવતાં કહે છે—જે સ્થાને સારાસદાચારી પાડશી હાય ત્યાં ઘર રાખવું, કેમ કે –“ સંસના રોષનુ મન્તિ ”–જેવી સામત મળે તેવા દોષ કે ગુણા પ્રગટે છે. લેાકેામાં પણ કહેવત છે કે—ગધેડા જોડે ઘેાડું રહે તે ભૂકતાં ન શીખે તેા બચકું ભરતાં (કરડતાં) કે પાટુ ( લાત ) મારતાં તે શીખે. માટે જે સ્થાનોએ " खरिया तिरिक्खजोणी, तालायरसमणमाहणसुसाणा । वग्गुरी अहव सुम्मिअ, हरिएसपुलिंदચ્છિા ॥ ” એટલે દાસપણુ કરનારા, પશુએથી ભાડાં વગેરે દ્વારા આજીવિકા ચલાવનારા, લાકોને હાસ્યવિસ્મયથી રજિત કરનારા મશ્કરા ( મેવડા ), સાધુસંન્યાસી, બ્રાહ્મણુ અર્થાત્ યાચક લોક રહેતાં હાય તેવાં સ્થાનોએ; તેમ જ સ્મશાનરક્ષકા, જાળ નાખનારા, પારધી–શિકારી, ચાંડાળ, ભીલ, માછીમાર વગેરે હલકી જાતિના ૨૧મનુષ્યા રહેતા હાય તેવા પાડોશમાં ઘરવસવાટ નિહ રાખવે. વળી જ્યાં જમીનમાં હાડકાં, કેાલસા વગેરે શલ્યેા ન હેાય; જ્યાં જમીનમાં ઘણા પ્રમાણમાં ધરા નામની વનસ્પતિ, નવા અકુરા, કુશ એટલે દાભ નામની વનસ્પતિ વગેરે ઊગતી હૈાય; જે ભૂમિની માટી સારા વણુ -ગંધવાળી હાય; જે જમીનમાં સ્વાદિષ્ટ પાણી હોય અગર જેમાં નિધાન વગેરે હાય; તેવા ઉત્તમ સ્થાનમાં પણ તે તે નિમિત્ત શાસ્ત્રાધારથી ગુણ-દોષસૂચક શકુન, સ્વપ્ન તથા ૧૮ ૨૧. શ્રાદ્ધગુણવિવરણુમાં તે આ ઉપરાંત વેશ્યા, ભાંડ, નટ, ભાટ કે ચામડાં આદિને હલકા ધંધા ( કુકર્મ ) કરનારાઓને પાડાશ તજવા ઉપરાંત દેવળની પાસે, ચોકમાં, ધૂત, મંત્રી, મૂર્ખ, વિધી, અધમી, પાખડી, નિલજ્જ, ચાર, રાગી, ક્રોધી, અતજ, અભિમાની, ગુરુની સ્ત્રીને સેવનાર, શત્રુ, સ્વામીદ્રોહી, શિકારી, સાધુ, તેમ જ સ્ત્રીહત્યા-બાળહત્યાદિ કરનાર વગેરેને પાડેશ પણ તજવાનું તેનાં કારણા સાથે જણાવ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy