SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ માનુસારીના ૩૫ ગુણે ] પ્રમાણે યથાશક્ય આચરવું; અમલમાં મૂકી શકાય તેટલું ઉચ્ચારવું તે અવિસંવાદિતા છે, વિદ્યમાં પસાર થઈને પણ અંગીકાર કરેલા શુભ કાર્યને પૂર્ણ કરવું; કુલાચારનું પાલન કરવું આવકથી અધિક કે અગ્ય કાર્યોમાં લક્ષ્મીને વ્યય નહિ કરે; જે કાર્ય જે સ્થાને કરવા ગ્ય હોય તે ત્યાં કરવું સારાં કાર્યો કરવા માટે હમેશાં આદર-આગ્રહ રાખવે; અતિનિદ્રા-વિકથા-વિષય-કષાય કે વ્યસનીપણારૂપ પ્રમાદનો પરિહાર કર; લેકાચારને અનુસરવું; તેને વિરોધ નહિ કરે; ઔચિત્ય ધમને કોઈ વિષયમાં ચૂક નહિ અને પ્રાણુતે પણ અગ્ય–નિન્દનીય કાર્ય કરવું નહિ; વગેરે શિષ્ટના આચારે છે. આવા શિષ્ટાચારની પ્રશંસા કરવી, કારણ કે–શિષ્ટ પુરુષના ઉપર્યુક્ત આચારોની પ્રશંસા ધર્મનાં બીજરૂપ હોવાથી પરલેકમાં પણ ધર્મ ફળ આપે છે અને પરિણામે મેક્ષફળ આપે છે. જેમ દૂધ વિનાની (વધ્યા) ગાયને ઘંટા, ઘૂઘરી વગેરે બાંધીને શણગારવાથી તેની કાંઈ કિંમત વધતી નથી અર્થાત્ તેને કઈ દૂધને અથી લેતું નથી, કારણ કે-દૂધ વિના માત્ર આડંબરથી દૂધનું કામ સરતું નથી, તેમ મનુષ્ય પણ છેટે આડંબર કરે તેથી મોટા બની જવાતું નથી, માટે ગુણ મેળવવા પ્રયત્ન કરે જોઈએ. (ગુણવાનેના ગુણોની પ્રશંસાદિ તે તે ગુણેને મેળવવાના સાચા ઉપાયરૂપ છે.) જેમ હાથીનું શરીર મેટું છતાં તે અંધારામાં દેખાતું નથી અને તેના દંકૂશળ નાના છતાં શુદ્ધ-ઊજળા-સફેદ હોવાથી તે દેખી શકાય છે, તેમ ગુણ વગરને માટે પણ જગતમાં આદર પામતું નથી અને નિર્ધન–સત્તા વગરને પણ ગુણવાન પૂજાય છે-આદર પામે છે માટે ધન, સત્તા કે એવા બાહ્ય પદાર્થોથી મેટા બનવાને બદલે ગુણવાની પ્રશંસાદિ દ્વારા ગુણ થવા પ્રયત્ન કરવો જોઈએ. ગુણીની જેમ ગુણીના ગુણેની પ્રશંસા કરનારે પણ જગતમાં આદર પામે છે, માટે શિષ્ટાચારની પ્રશંસા એ અવશ્ય કરણીય હાઈ ગૃહસ્થને સામાન્ય ધર્મ કહ્યો છે. ૪. ચિકનં–કામ, ક્રોધ, લોભ, માન, મદ અને હર્ષ એ આત્માના છ અંતરંગ શત્રુઓને ત્યાગ કરે, એટલે કે–અગ્ય કાળ–સ્થળે કામ-ક્રોધાદિ કરવાં નહિ, કારણ કેતે ઉત્તમ પુરુષની ઉત્તમતાનાં ઘાતક છે. અહીં ૧–અન્યપરિગ્રહિતા કે કન્યા, વિધવા સ્ત્રી વગેરેની સાથે દુષ્ટ વિષયેચ્છા તે કામ, ૨-અવિચારીપણે પિતાને કે પરને આપત્તિજનક હૃદયને રેષ, ધમધમાટ, ગુસ્સાપૂર્વક કઠેર બોલવું કે કેપ કર વગેરે ક્રોધ; ૩-દાનને ગ્ય સુપાત્ર કે દયાપાત્ર આત્માઓને દેવા ગ્ય વસ્તુ પિતાની પાસે હોવા છતાં આપવી નહિ, અગર કારણ વિના પણ બીજાની પાસેથી ધન લેવા ઈચ્છા કરવી તે લેભ; ૪-દુરાગ્રહે એવું કે વ્યાજબી પણ વચન ન સ્વીકારવું તે માન; પસારું કુલ, શરીરમાં બળ, ઉચ્ચ જાતિ, ઘણું ધન, વિદ્વત્તા, સુંદર રૂપ વગેરે પ્રાપ્ત થવાથી અહંકાર કરવામાં કે બીજાને આપણાથી હલકો પાડવામાં કારણરૂપ મનને પરિણામ-ગર્વ તે મદ; અને ૬-કારણ વિના બીજાને દુઃખી કરીને કે પિતે જુગાર, શિકાર વગેરે અનર્થકારી કાર્યો કરીને ખુશી થવું તે હર્ષ. એ રીતે અયોગ્ય સ્થળે કરેલાં આ કામ-ક્રોધાદિ આત્માના અંતરંગ શત્રુભૂત બની આત્મગુણરૂપી ધનને નાશ કરે છે, માટે દુઃખનાં કારણભૂત આ છ અંતરંગ શત્રુઓને ત્યાગ કરે જરૂરી છે. અહીં ૧. કામમાં દાડકય તથા કરાલનું, ૨. કોધમાં જનમેજય તથા તાલ જઘનું, ૩. લેભમાં એલ તથા અજબિન્દુનું, ૪. માનમાં રાવણ તથા દુર્યોધનનું, પ. મદમાં અભેદુભવ તથા હૈહયનું, અને ૬. હર્ષમાં વાતાપી તથા વૃષ્ણિજંધનું, એમ દષ્ટાન્ત (અન્ય ગ્રંથમાંથી) સમજી લેવાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy