________________
પર ૪-જાવકનાં વાર્ષિક કૃત્યો ]
૬૬૩ બીજી (ઉપધાન વગેરેની) માળા (ઉછામણી બેલીને પહેરવી, તથા સંપત્તિ પ્રમાણે શ્રીજિનપ્રતિમાને માટે મુગટ વગેરે નવાં આભરણે-ચંદરવા (પુંઠીયાં–છોડ) વગેરે કરાવી મંદિરમાં મૂકવા.
૬-૭-મહાપૂજા તથા રાત્રિજાગરણ–પ્રભુના સર્વ અંગેએ આભરણે ચઢાવવાં, વિશિષ્ટ અંગરચના કરવી, શરીર ઉપર પત્રભંગી(કસ્તુરી વગેરેથી લલાટે આડ વગેરે)ની રચના કરવી, પુપનાં તથા કેળનાં ઘર કરવા (માંડવા બનાવવા), પૂતળીના આકારવાળા પાણીના કુવારા બનાવવા તથા જુદાં જુદાં સુંદર ગીત ગાવાં, નૃત્ય કરવાં, વાજીંત્ર વગાડવાં, વગેરે ઓછવપૂર્વક માટી (૧૦૮ પ્રકારી વગેરે) પૂજા કરવી (ભણાવવી) અને રાત્રિએ જાગરણ કરવું.
૮-શ્રુતપૂજા-શ્રુતજ્ઞાન (નાં સાધનેરુપ) પુસ્તક વગેરેની બરાસ-વાસ વગેરેથી પૂજા માત્ર કરવી તે તે પ્રતિદિન પણ શકય છે, છતાં તેટલું કરવામાં ય અશક્ત હોય તેણે દર વર્ષે એક વખત તે અવશ્ય તેવી મૃતપૂજા કરવી.
૯-ઉદ્યાપન-પંચપરમેષ્ઠિ શ્રીનમસ્કારમહામંત્ર-શ્રીઆવશ્યકસૂત્ર-શ્રીઉપદેશમાલા વગેરે જ્ઞાનને અંગે દર્શનને અંગે તથા જુદા જુદા પ્રકારના તપને અંગે ઉદ્યાપન કરવાનું શાસ્ત્રમાં જણાવેલું છે, તેમાં દર વર્ષે ઓછામાં ઓછું એક પણ ઉદ્યાપન વિધિપૂર્વક કરવું.
તેમાં વિધિ એ છે કે–શ્રી નવકારમહામંત્રને લાખ કે ક્રોડ વગેરે જાપ કરીને શ્રીજિનમંદિરમાં સનાત્રમોત્સવ–સાધર્મિક વાત્સલ્ય-સંઘપૂજા વગેરે મેટા આડંબરપૂર્વક (જાપ કર્યો હોય તેટલા) લાખ કે ક્રોડ ચાખા (ના દાણું કે સ્વસ્તિક); શ્રી નવકારમંત્રના અક્ષર જેટલી અડસઠ સેનાચાંદીની વાટકીઓ, પાટીએ (સ્લેટે ), કલમ, મણિમતી-પરવાળાં-રોકડ વગેરે નાણું, શ્રીફળ વગેરે અનેક જાતિનાં ફળ; જાતજાતનાં પકવાન; જાતજાતનાં અનાજ, ખાદિમ-સ્વાદિમ તથા કાપડ વગેરે વસ્તુઓની ભેટપૂર્વક શ્રીનવકારમંત્રનું ઉદ્યાપન કરવું, ઉપધાન-વડનાદિ વિધિપૂર્વક માળ પહેરીને શ્રીઆવશ્યકસૂત્રનું ઉજમણું કરવું. એમ બીજા પ્રકીર્ણ ગ્રંથાનાં ઉજમણાં પણ તેની ગાથાઓની સંખ્યા પ્રમાણે કરવાં. જેમકે-શ્રી ઉપદેશમાલાની ૫૪૪ ગાથાઓ હેવાથી, તેટલા લાડુ-શ્રીફળ વગેરે ફળ-નૈવેદ્ય-કડનાણું આદિ વસ્તુઓની ભેટ કરવી, ઇત્યાદિ ઉપદેશમાલા વગેરે જ્ઞાનનાં ઉદ્યાપન કરવાં, તથા અંદર સેનામહેર વગેરે મૂકીને તૈયાર કરેલા લાડુ (દર્શન લાડુ)ની કહાણી (પ્રભાવના) કરીને શાસન પ્રભાવના રૂપ દર્શન વગેરેનાં ઉજમણાં કરવાં, અને શકૂલપંચમી આદિ જુદા જુદા તપનાં ઉજમણું પણ, તે તે તપમાં કરવાના ઉપવાસ વગેરેની સંખ્યા જેટલા રોકડા રૂપીયા કે સોનામહોર આદિ નાણું- સોના-રૂપા વગેરેની) વાટકીઓ-શ્રીફ. બે-તેટલા લાડુ વગેરે વિવિધિ વસ્તુઓ ભેટ મૂકીને કરવાં; એમ જ્ઞાન-દર્શન-તપ વગેરેનાં ઉદ્યાપને પિકી પ્રતિવર્ષે ઓછામાં ઓછું સ્વશક્તિ પ્રમાણે એક ઉદ્યાપન તે કરવું જ.
૧૦-તીર્થપ્રભાવના–શ્રી જૈનશાસનની શોભા માટે પ્રતિવર્ષે ઓછામાં ઓછા એકેક વખત પણ ગુરૂને પ્રવેશોત્સવ, શ્રીસંઘને પહેરામણી અને પ્રભાવના વગેરે કરવું. તેમાં ગુરૂને પ્રવેશ મહોત્સવ તે “સર્વ પ્રકારનાં વાજીંત્રો વગેરે મેટા આડંબરથી ચતુર્વિધ શ્રીસંઘે સાથે મળીને કરે ગુરૂની સામે જવું અને શ્રીગુરૂ આદિ સર્વ સંઘને સત્કાર કર, ઈત્યાદિ યથાશક્તિ આડંબરથી શરૂને નગરમાં પ્રવેશ કરાવો. કહ્યું છે કે–
- “ મિHળવળનમં-સબં હgછળ RT
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org