SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્ર. ૪-ભાવકનાં વાર્ષિક કૃત્ય ] ભાજનેમાં, જુદી જુદી જાતિનાં શાક વગેરે સહિત ઉત્તમ (મિણ) ભજન જમાડવું–તળેલ આપવું અને વસ્ત્રો (પાઘડી-શાલ દુશાલા) તથા આભરણેથી તેઓને સત્કાર કરે; જેઓ સંકટમાં હોય, તેઓને પિતાનું ધન ખચીને પણ તે તે સંકટમાંથી ઉદ્ધાર કરે (આપત્તિમાંથી છોડાવવા) અને અંતરાયકર્મના ઉદયે વૈભવ ક્ષીણ થયો હોય તે તેઓને પિતાનું ધન આપીને મૂળ અવસ્થાએ મૂકવા (અર્થાત્ પૂર્વની જેવા સંપત્તિવાળા બનાવવા) (શ્રાદ્ધવિધિમાં કહ્યું પણ છે કે – વીણાળે, જયં સહઅિવા વરછ દિવયંમ લીગ, ર પરિગો હરિ નો શા” (ના ૧ ટl) ભાવાર્થ-પિતાના જીવનમાં જેણે દીન-દુઃખીઆને ઉદ્ધાર કર્યો નહિ. સાધમિકેનું વાત્સલ્ય કર્યું નહિ અને હૃદયમાં શ્રીવીતરાગદેવને ધારણ કર્યા નહિ, તે માનવ જન્મને હારી ગયે.” ૨–ભાવ સાધમિકવાત્સલ્ય-ધર્મકાર્યોમાં સીદાતા જેઓ ધર્મ ન કરી શકતા હોય તેઓની તે તે અગવડો દૂર કરીને-જરૂરી સગવડ આપીને ધર્મમાં સ્થિર કરવા, ધર્મમાં પ્રમાદ (આળસ) કરનારાઓને તે તે કર્તવ્ય યાદ કરાવવું, ભૂલ કરનારાને વિવેકપૂર્વક ભૂલથી બચાવવા, વાત્સલ્યપૂર્વક સન્માર્ગની પ્રેરણા કરવી, એક વાર પ્રેરણા કરવા છતાં ન સમજે તે પણ નારાજ નહિ થતાં સદ્દભાવપૂર્વક પુનઃ પુનઃ પ્રેરણા કરવી, વગેરે. (શ્રાદ્ધદિનકૃત્યમાં) કહ્યું છે કે “ સારા વારા જેવ, જોયા વિના सावरणावि दायव्वा, सावयस्स हिआवहा ॥१॥” (गा०२०९) ' અથ–એ પ્રમાણે છે કે-“વિસરી ગયેલા ધર્મકાર્યને યાદ કરાવવું તે “મારણ, અને કુસં. ગતિ વગેરે કાર્યોથી વારવા તે “વારણ, સ્મારણ અને વારણું વારંવાર કરવા છતાં પણ કે અતિ પ્રમાદી જીવ પિતાનાં કર્તવ્ય (નિયમ) વગેરેમાં ભૂલ કરે, તે તેને “શ્રાવક જેવા ઉત્તમ કુલમાં જન્મેલાને આમ વર્તવું એ શું યોગ્ય છે? વગેરે વાકથી (કાંઈક) ઉપાલંભ(ઓર્થ) આપીને પ્રેરણા કરવી તે “નાદના” અને એક જ વિષયમાં વારંવાર ભૂલે વગેરે કરે ત્યારે “તારા જન્મને ધિક્કાર હો” વગેરે કઠોર શબ્દોથી અત્યંત પ્રેરણુ કરવી તે “પ્રતિદના સમજવી.” ( કઠેર શબ્દથી કહેવા છતાં હૃદયમાં વાત્સલ્યભાવ તૂટ ન જોઈએ, નહિ તે બીજાનું હિત કરવા પહેલાં પોતાને જ હાનિ થાય છે, પરિણામે અસદ્દભાવ થતાં ધર્મ મટી અધર્મ બની જાય છે.) (શ્રાદ્ધવિધિ પ્રકરણમાં કહ્યું છે કે – " पम्हुढे सारणा कुत्ता, अणायारस्स वारणा। જીરાનં જોયા છે (અit), નિરં દિવોયા છે” (નારી) ભાવાર્થ “વિસ્મૃત થયેલું યાદ કરાવવું તે સારણા, ઊલટા આચરણથી વાર તે વારણા, છતાં ચૂકે તે સાવધ કરે તે નેદના અને નિધુર વચનથી એળો આપ તે પ્રતિદિના છે.” માટે શ્રાવકે પણ સાધમિકના હિત માટે ધર્મકાર્યોમાં યથાયોગ્ય સ્થાને ઉપર પ્રમાણે સાર. થા-વારણાદિ કરવાં. એ ભાવથી સાધમિકવાત્સલ્યનું સ્વરૂપ જાણવું. કહ્યું છે કે – " साहम्मिआण वच्छल्लं, एवं अनं विआहिलं। હબદાપક રીતે, સવારે જય શા” ( વિ. ૨૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy