SearchBrowseAboutContactDonate
Page Preview
Page 702
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકનાં ચોમાસી કર્તવ્ય હવે ચાતુમાસિક કર્તા કહે છે. તેમાં જે જે વ્રતે લીધેલાં હોય, તેણે તે તે વતેમાં રાખેલી છૂટે પછી જે છૂટે તે તે માસીમાં નિરૂપયોગી હોય તેને પણ ત્યાગ કરીને સંક્ષેપ કરે, વ્રત લીધાં ન હોય તેણે નિષ્કારણ થતા અવિરતિજન્ય પાપારંભ (કમબંધ)થી બચવા દરેક માસીએ પિતાની અનુકુળતા પ્રમાણે નવા નિયમે કરવા. તેમાં વર્ષ (અષાઢ) માસીમાં તે (પૃ. ૧૪૧ માં) સમ્યકત્વ અધિકારમાં નિત્ય નિયમે કહી ગયા તેમાં વૃદ્ધિ કરવી. જેમ કે-બે અથવા ત્રણ વાર અષ્ટપ્રકારી વગેરે જિનપૂજા કરવી, શ્રીજિનમંદિરમાં સંપૂર્ણ (બૃહત્ ) દેવવંદન કરવું, સર્વ બિંબની દરરોજ પૂજા કરવી, અથવા (ન બને તે દર્શન) વન્દન કરવું, સ્નાત્ર મહોત્સવ–મોટી પૂજા–પ્રભાવના વગેરે કરવું, ગુરૂને મોટું (દ્વાદશાવત્ત) વંદન કરવું, “ગુરૂની અંગપૂજા–પ્રભાવના–સ્વસ્તિક (ગર્લ્ડલી કરવી) વગેરે (જ્ઞાનીની ભક્તિ) કરવાપૂર્વક વ્યાખ્યાન સાંભળવું, ગુરૂની શારીરિક (પગ-માથું દાબવું વગેરે) ભક્તિ કરવી, નવું નવું જ્ઞાન ભણવું-વાંચવું વગેરે અનેક પ્રકારે સ્વાધ્યાય કરે, પાછું પ્રાસુક (ઉકાળેલું) પીવું, સચિત્ત વસ્તુને સર્વથા ત્યાગ કરે, અને તેમ ન થઈ શકે તે નિરૂપયેગી સચિત્ત ચીજો ખાવા-પીવાને ત્યાગ કરે. તથા ઘર-હાટ કે તે તે મકાનની ભીંતે-થાંભા-ખાટલા (પલંગાદિ-પાટ-પટલાપાટલી-સીકા (ઉંચે વસ્તુ મૂકવાનાં સાધન), ઘી-તેલ કે પાણી વગેરેનાં ભાજને, ઇંધણ ( કેલસા-છાણાં વગેરે) તથા અનાજ વગેરે, એ સર્વ ચીજોમાં પનક (નિગોદ-લીલ-રૂમ કે ઈયળ-ધનેરીયાં) વગેરે છ ઉત્પન્ન ન થાય તે માટે જેની જેમ રક્ષા થાય તેમ મકાન વગેરેને પહેલાંથી જ ચુને વગેરે લગાવે, અનાજ વગેરેમાં રાખ વગેરે ભેળવવું, તે તે ચીને લાગેલા મેલ સાફ કરવા, તપાવવા યોગ્ય વસ્તુને તડકે તપાવવી ( જ્યાં ભેજ કે હવા લાગે ત્યાં ન મૂકવી.), ઠંડા સ્થાનમાં રાખવા જેવી (અનાજ વગેરે) વસ્તુઓને ઠંડા સ્થાનમાં મૂકવી, વગેરે જયાણ કરવી. તથા પાણી દિવસમાં બે અથવા ત્રણ વાર ગાળવું, ઘી-તેલ-ગોળ-છાશ–પાણી વગેરેમાં ભાજને સારી રીતિએ ઢાંકવાં, ગરમ ઓસામણ (તથા સ્નાનનું મેલું પાણી) વગેર લીલ-ફૂગ વગેરે છે જ્યાં ન હોય તેવી ઘણી રેતીવાળી જમીનમાં થોડું થોડું હું છૂટું નાખવું (કે જેથી જલદી સૂકાઈ જતાં છત્પત્તિને પ્રસંગ ન આવે), ચૂલા કે દીવા વગેરે (અગ્નિ)ને ઉઘાડા નહિ રાખવા તથા દળવામાં–રાંધવામાં–વસ્ત્ર ધેવામાં–વાસણ ધવામાં વગેરે કામમાં સારી રીતિએ જેવાને-પ્રમાવાનો ઉપયોગ રાખવે, મંદિર-શાળા (પૌષધશાળાઉપાશ્રય) વગેરે સ્થાનોમાં ચંહુઆ (ચંદરવા-છાટ ) બાંધવા, વગેરે સર્વ કાર્યો પૂર્ણ જયણાપૂર્વક કરવાં. (એમ પહેલા વ્રતની રક્ષા કરવી. બીજાની રક્ષા માટે) અભ્યાખ્યાન ૫ પિતાની પૂજા કરાવવા ઇચ્છવું-એ સાધુને ધર્મ નથી, પણ ગુરૂપૂજા કરનારને અટકાવ જેએ નહિ, કારણ કે-શ્રાવકને તે યોગ્ય નાની ગુરૂની પૂજા કરવી તે તેને ધર્મ છે. ૧. લે, પાણીઆરં, ખાંડણીઓ તથા ઘંટી ઉપર; વલણના, સુવાના, હાવાના તથા જમવાના સ્થાને; તેમ જ દેહરાસર અને પૌષધશાળાએ-એમ દશ સ્થાને ચંદરવા બાંધવા એ શ્રાવકનું સ્તબ છે. ' ૭. છત્પત્તિ ન થાય માટે એ કાય પહેલાં જ કરવાં જોઈએ, છત્પત્તિ થયા પછી ધાવુંતપાવું-ઝાટકવુંસાફ કરવું અયોગ્ય છે. વસ્તુત છો ઉત્પન્ન થાય નહિ તેની પ્રામથી જ કાળજી ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy