________________
૬૪૨
[ ધ ૦ સં૦ ભા. ૧-વિ૦ ર-ગાટ ૬૭ ટીકાને ભાવાર્થ-“નિદ્રામાંથી રાત્રિ વધુ બાકી હોય તેવા વખતે જાગી જવાય, તે અનાદિ સંસારમાં કરેલા (વિષયસેવનના) અભ્યાસના રસથી ઉછળતા દુર્જય કામના વિકારને જીતવા સ્ત્રીનાં અંગેની અપવિત્રતાનું વિશેષ પ્રકારે ચિંતવન કરવું; અને મૂળ ગાથામાં કહેલા આદિ' શબ્દથી શ્રીજ—સ્વામિજી, શ્રીસ્થલભદ્રજી આદિ મહર્ષિઓ, (શ્રીવિજયશ્રેષ્ઠિ આદિ) સુશ્રાવકો અને (શ્રીમતીચંદનબાલા વગેરે) શ્રાવિકાઓ, વગેરેનાં દુગ્ધાલ્ય શીલપાલનની સુગંધથી સુવાસિત બનેલાં પવિત્ર ચરિત્રને વિચારવાં, ઉપરાન્ત કષાયોને વિજય કરવાના ઉપાયેનું અને સંસારસ્થિતિની અતિ દુષ્ટતાનું ધ્યાન કરવું તથા ધર્મ મનોરથ ચિંતવવા, ઈત્યાદિ ગૃહસ્થને વિશેષ ધર્મ છે–એમ સંબંધ જોડવો. સ્ત્રી શરીરની અપવિત્રતા માટે વિચારવું કે
" मंस इमं मुत्तपुरीसमीसं, सिंहाण खेलाण य निझरंतं ।
एवं अणिञ्च किमिआण वासं, पासं नराणं मइयाहिराणं ॥१॥" इत्यादि. ભાવાર્થ-“(સ્ત્રીનું) આ શરીર માંસ રૂપ છે, આ મળ મૂત્રથી ભરેલું છે, લેમ્પ અને કફથુંક વગેરે અશુચિનું ઝરણું છે, કૃમિયા વગેરે અનેક ઇવેનું ઘર છે, ક્ષણવિનશ્વર (નાશવંત) છે, વસ્તુતઃ બુદ્ધિરહિત પુરૂષને ફસાવવા માટે ફાસે (જાળ) છે.” વગેરે વિચારવું - શ્રીજબૂસ્વામિજી, શ્રીસ્થલભદ્રજી આદિ મહા મુનિઓનાં ચરિત્ર તે પ્રસિદ્ધ જ છે.
કષાયાદિ જીતવાનો ઉપાય-કષાયાદિને જય તે તે દૂષણોના પ્રતિપક્ષને સેવવાથી થાય છે. જેમ કે-૧-ક્રોધને ક્ષમાથી, ૨-માનને નિરભિમાનતાથી ( લઘુતાથી), ૩-માયાને ત્રાજુતાથી (સરલતાથી), ૪-લેભાને સંતોષથી, પરાગને વૈરાગ્યથી, -બ્રેષને મિત્રતાથી, ૭-મોહ(મૂઢતા)નો વિવેકથી, ૮-કામવિકારને સ્ત્રીના શરીરની અપવિત્રતાનો વિચાર કરવાથી, ૯-મત્સરને બીજાની સંપત્તિમાં વધારે જોઈને પણ કલેશ નહિ કરવાથી ૧૦-વિષયને (પાંચેય ઈન્દ્રિયે તથા મનના) સંયમથી, ૧૧-મન, વચન અને કાયાના અશુભ જેને ત્રણ ગુપ્તિથી, ૧૨-પ્રમાદને અપ્રમાદથી અને ૧૩-અવિરતિને વિરતિથી, એમ પ્રતિપક્ષ આચરણથી તે તે દેશે સહેલાઈથી જીતાય છે.
સંસારસ્થિતિની દુષ્ટતા–આનો વિચાર ચારેય ગતિઓમાં પ્રાયઃ અનુભવેલાં અતિ દુઓના ચિંતનથી કર્યો. તેમાં નારકનું અને તિર્યચેનું મહા દુઃખ તે પ્રગટ જ છે. કહ્યું છે કે –
“ अच्छिनिमीलणमित्त, गथि सुहं दुक्खमेव अणुबद्धं ।
ના રફાળે, શનિણં પાતi I ? ' “ નરનૈના, તુજે વંતિ જોયા! વિવા
तं पुण निगोअमज्झे, अणतगुणि मुअव्यं ॥२॥" ભાવાર્થ-નરકમાં રાત્રિ-દિવસ દુઃખથી સળગી રહેલા (ત્રાહિ ત્રાહિ પિોકારતા) નારકેને સતત દુખ જ છે, આંખના પલકારા જેટલે સમય પણ ત્યાં સુખ નથી. (૧) હે ગૌતમ! નરકમાં નારકે જે આકરાં દુઃખે ભગવે છે, તેથી પણ અનંતગણું દુઃખ નિગદમાં સમજવું. (૨)”
મનુષ્યભવમાં પણ જીવને ગર્ભવાસનું, જમનું, વૃદ્ધાવસ્થાનું, મરણનું તથા “અનેક જાતિની માનસિક ચિંતા-શરીરના રાગ-દરિદ્રતા ” વગેરે ઉપદ્રનું દુઃખ જ છે. દેવપણામાં પણ ત્યાંથી આવવાનું, દાસપણાનું, પરાભવનું, ઈર્ષ્યાનું, વગેરે અનેક પ્રકારનાં દુખે છે. કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org