SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ [ ૧૦ સં૦ ભા. ૧-વિ૦ ૨–ગાટ ૬૬ વિશેષ ધર્મ છે. અહીં “ગુરૂ ધર્માચાર્ય અને તેઓની “વિશ્રામણ =શ્રમ-થાક દૂર કરવા માટે અગર ભક્તિ નિમિત્ત “શરીર દબાવવું વગેરે, સેવા.” અહીં ઉપલક્ષથી તેઓને સંયમ યાત્રામાં કુશલતા-સુખશાતા વગેરેની પૃચ્છા કરવી, ઈત્યાદિ પણ સમજી લેવું. જો કે સાધુએ ઉત્સર્ગથી સેવા કરાવતા નથી, કારણ કે-દશવૈકાલિકસૂત્રના ત્રીજા અધ્યાયની ગાથા ૩ માં સંવાળા સંતામિણા જ એ પાઠથી શરીર દબાવરાવવું, દાંત સાફ કરવા, વગેરે કાર્યો સાધુને અનાચીણું (વર્ય) કહ્યાં છે તે પણ અપવાદથી (સકારણ) સાધુઓ દ્વારા કે તેના અભાવે તેવા (શ્રદ્ધાળુ) શ્રાવક વગેરે દ્વારા પણ સેવા કરાવી શકે છે તથા શ્રમ દૂર કરવા-કરાવે વગેરે પણ કરે છે, માટે તે વિષયમાં પરિણામની શુદ્ધિ (પૂજ્યભાવ)પૂર્વક સાધુની સેવા કરનારને કર્મનિજંરારૂપી લાભ તથા વિનય પણ થાય છે. ગુરૂવિશ્રામણુ કર્યા પછી “શ્રાવકનાં વતે તથા તેનું પાલન કરવાને વિધિ વગેરે યાદકરવારૂપે, શ્રીનમસ્કાર મહામંત્રનો જાપ કરવારૂપે, અથવા “વાચના-પૃચ્છના-પરાવર્તના-અનુપ્રેક્ષા અને ધર્મ, કથા ”—એ પાંચ પ્રકારને, એમ કઈ પણ સ્વાધ્યાય કરે. કેઈ તેવા ખાસ કારણથી સાધુના ઉપાશ્રયે જઈ શકે નહિ તે, અથવા રાજા (મંત્રી) વગેરે કે અતિ સંપત્તિવાળે મહા વ્યવસાયી શ્રાવક, સાધુના ઉપાશ્રયે જવાના અભાવે પિતાના સ્થાને પણ પ્રતિક્રમણ અને સ્વાધ્યાય પણ કરે, કારણ કે-શાસ્ત્રમાં સ્વાધ્યાયનું મહા ફલ જણવ્યું છે. કહ્યું છે કે __ " वारसविहम्मि वि तवे, समितरबाहिरेकुसलदिटे । नवि किंचि अस्थि होही, सज्झायसमं तवोकम्मं ॥११८।" (दशवै० नियु०) ભાવાર્થ–“કુરાધિ=શ્રીવીતરાગદેવે કહેલા બાહ્ય અને અત્યંતર-બાર પ્રકારના તપમાં એ કઈ તપ છે નહિ, થશે પણ નહિ, કે જે સ્વાધ્યાયની બરાબરી કરી શકે, અર્થાત સઘળા તષમાં સ્વાધ્યાય અતિ ઉપકારક તપ છે.” વળી પણ કહ્યું છે કે ___" सज्झाएण पसत्थं, झाणं जाणइ अ सच्चपरमत्थं । સશા વરૃતી, રવ રવ ના વેર શા” (ઉપામીથી રૂ૩૮) ભાવાર્થ_“સ્વાધ્યાયથી શુભ ધ્યાન થાય છે, સત્ય પરમાર્થ તને જાણી શકાય છે અને સ્વાધ્યાયમાં રહેલા જીવને ક્ષણે ક્ષણે વૈરાગ્ય થાય છે (વધે છે.)” શ્રાવકના દિનકૃત્યનો અધિકાર અહીં સમાપ્ત થયું. હવે રાત્રિ કહે છે– मूळ “ गत्वा गृहेऽथ कालेऽर्हद्-गुरुस्मृतिपुरस्सरम् । ____ अल्पनिद्रोपासनं च, प्रायेणाऽब्रह्मवर्जनम् ॥६६॥" મૂલાઈ–“પછી ઘેર જઈને શયન કરવાના સમયે શ્રીઅરિહંત અને ગુરુના સ્મરણપૂર્વક અ૫ નિદ્રા કરે અને પ્રાયઃ મૈથુનને ત્યાગ કરે.” ટીકાનો ભાવાર્થ –ાથ =એમ ગુરૂના ઉપાશ્રયે સ્વાધ્યાય કર્યા “પછી” “હે વત્ય'= ઘેર જઈને, “ =રાત્રિને પ્રથમ પ્રહર પૂર્ણ થયા પછી કે શરીરની સ્વસ્થતા સારી હોય તે અર્ધરાત્રિ પસાર થયા પછી નિદ્રા સમયે, અર્થાત્ ઘેર ગયા પછી પુત્ર-પુત્રી વગેરે પરિવારને ધર્મ સંભળાવે, પછી નિદ્રાને અવસર થાય ત્યારે, “અનિવારનં=અલ્પ નિદ્રા સેવે, એ ગૃહસ્થને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy