SearchBrowseAboutContactDonate
Page Preview
Page 671
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં૦ ભા૧-વિ. ૨-ગાટ ૬૫ - કુvg ર૩પચંમી, દશને રેસિ સર્ષ ૨૮” અથ–“ઘ”= ગણિમ' વગેરે ચાર પ્રકારનું દ્રવ્ય. તેમાં ગણીને અપાય-લેવાય તે સોપારી-જાયફળ-ફફળ વગેરે “ગણિમ,” તેલ કરીને અપાય તે ગોળ વગેરે “ધરિમ,' માપીને (માડું ભરીને) અપાય તે ઘી-ચેપ્પડ વગેરે “મેય’ અને જે પરીક્ષા કરીને અપાય-લેવાય તે માણેક-હીરા-કાપડ વગેરે “પરિચ્છેદ્ય.” એ ચારેય પ્રકારનું ધન, “'=ાવીસ પ્રકારનાં (પૃ. ૧૯૦ માં) જણાવેલાં ધાન્ય, આ ધન અને ધાન્ય પિતે રાખેલા પ્રમાણથી વધારે રાખવું, એટલે કે પોતાની પાસે નિયમ પૂરતું હોય, ઉપરાંત દેણદાર આદિ પાસેથી લેવાને પ્રસંગ આવે ત્યારે તે ઘેર લાવે નહિ, પરંતુ પિતાનું જ્યાં સુધી વેચાય (ઓછું થાય) નહિ, ત્યાં સુધી દેણદારને ત્યાં જ પિતાના થયું રાખે, અગર અમુક મુદત પછી લેવાનું સાટું કરી રાખે, અથવા અમુક સંખ્યામાં મુંડા (કેઠી-કોઠાર) જેટલું ધાન્ય રાખવાનો નિયમ કર્યો હોય તેમાં વધારે ભરાય માટે મુંડા-ઠાર વગેરે ન્હાનાને મેટા બનાવી ભરે, એમ અનેક રીતિએ એ બને વસ્તુઓ ધારેલા પ્રમાણુથી વધારે રાખવા રૂપ “ધન-ધાન્ય અતિક્રમ” નામને પહેલો અતિચાર. ‘ત્તિ'=ક્ષેત્ર. તેમાં ૧–“સેતુ” (કુવા-વાવડી વગેરેના પાણીથી પાક પાકે તેવી જમીન), ૨ કેતુ' (વરસાદના પાણીથી પાક પાકે તેવી જમીન) અને ૩-સેતુકેતુ' (બને રીતિએ પાક પાકે તેવી જમીન), એમ ત્રણ પ્રકારની જમીન તે ક્ષેત્ર, “વલ્થ '=વાસ્તુ. તેમાં ૧–“ખાત' (જમીનની નીચેનું ભંયરું વગેરે), ૨-“ઉસ્કૃિત' (ઉપરનું મકાન-હવેલી વગેરે) અને ૩“ખાતેચિસ્કૃત” (ભેંયરાવાળી હવેલી વગેરે) તથા ઉપલક્ષણથી તે સિવાયનાં રાજા વગેરેને વસવાટ કરવાનાં શહેર-ગામ-રાજ્ય વગેરે, એમ માને કે શહેર વગેરેને “વાસ્તુ સમજવાં. આ ક્ષેત્ર અને વાસ્તુ પિતે રાખેલી સંખ્યાના પ્રમાણથી વધવાના પ્રસંગે બે-ત્રણ વગેરેને ભેગાં કરી એક (મેટું) બનાવે, તે ૨-ક્ષેત્રવાસ્તુ અતિક્રમ' નામને અતિચાર. “ '=રજત (ચાંદી) અને “સુવઇ '=સેનું, રાખેલા પ્રમાણુથી એને વધવાને પ્રસંગ આવે ત્યારે તે પોતાનાં સ્ત્રીપુત્રાદિને આપે, તે ૩-રૂષ્ય-સુવર્ણ અતિક્રમ' નામને અતિચાર. “વિ'=થાળ-કાળાં વગેરે ધાતુઓનાં વાસણે આદિ ઘરને સઘળે સરસામાન-રાચરચીલું, તે પ્રમાણથી વધી જતાં ન્હાનાને મેટાં, હલકોને ભારે, વગેરે ફેરફાર કરવો તે ૪-કુપિત પ્રમાણતિક્રમ અતિચાર. અને “'=ગાડાં-દાસ-દાસી વગેરે સઘળાં બે પગવાળાં તથા “asqન'=ગાય-ઘડા વગેરે સઘળાં ચાર પગવાળો, ધારેલા પ્રમાણથી એ વધી જતાં તેઓના ગર્ભને સંખ્યામાં ન ગણવા, વગેરે પ્રકારથી પ્રમાણનું ઉલ્લંઘન તે પ-દ્વિપદ-ચતુપદ પ્રમાણતિક ” અતિચાર. આ પાંચ પૈકી જે જે અતિચારો લાગ્યા હોય તે તે, “mતિ વિકa' વગેરે અર્થ ત્રીજી ગાથા પ્રમાણે. (૧૮) પાંચ અણુવ્રતનું પ્રતિક્રમણ કર્યું. હવે પહેલા ગુણવ્રતના પ્રતિક્રમણ માટે કહે છે – " गमणस्स य परिमाणे, दिसासु उड्ढं अहे अतिरिकं च । खुड्ढिसइअंतरद्धा, पढमंमि गुणव्वए निंदे ॥१९॥" ' અર્થ–“ભારત મિા'=જવા-આવવાના પરિમાણમાં “ઘ' (7) અતિક્રમણ કર્યું હાય, કયાં જવા-આવવામાં ? હિag=દિશાઓમાં, કયી દિશાઓમાં ?” ૪૮ અ તિરિએ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy