SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ - - - -- -- - -- - -- -- --- - ૧૪ [ ૧૦ સંભા૦ ૧-વિ૦ ૧-ગા. પ-૧૪ તરીકે વર્તમાનમાં જે પ્રસિદ્ધ હોય તેવા પણ કુલશીલથી જે સરખા હોય, એટલે કે જેના પિતા, દાદા વિગેરેની પરંપરા નિષ્કલંક-કુલીન હોય, અને દારૂ, માંસ, રાત્રિભેજન આદિ અશુભ આચરણે ન હોય તેવા (શીલ) સદાચારથી જેઓ સમાન કક્ષાવાળા હોય તેવાઓની સાથે વિવાહકાર્ય કરવું, તે ગૃહસ્થના સામાન્ય ધર્મને બીજો ગુણ–પ્રકાર જાણ. " આ વિષયમાં લૌકિક નીતિશાસ્ત્રમાં આ પ્રમાણે મર્યાદા બતાવી છે-બાર વર્ષની કન્યા અને સેળ વર્ષને વર, તે પરસ્પર વિવાહને એગ્ય છે. આ વિવાહ એટલે સગપણ–સંબંધ કરવાપૂર્વકનું લગ્ન, સંતતિની ઉત્પત્તિ અને તેનું પાલન કરવું, વિગેરે વ્યવહારથી ચારે ય વર્ષોમાં કુલને નિર્મળ કરે છે, અર્થાત્ કુલીનતા વધારે છે. એ રીતે યોગ્યતા અનુસાર સગપણસંબંધપૂર્વક અગ્નિદેવાદુખો જ હોય છે ત્યાં કોડે ક સુધી એ દુઃખ વેઠી પુનઃ માનવતામાં આવી જે ન્યાય આચરે છે તે સુખી થાય છે. ક્રોડ કલ્પો સુધી દુઃખ વેઠી, દુઃખ વેઠવાને અભ્યાસ કરી, દુઃખ વેઠવારૂપ પરીક્ષામાં પાસ થવા માટે પુનઃ માનવતા છે. જે મનુષ્ય આ સનાતન સત્યને ભૂલી, ધન વગેરે મેળવવામાં અન્યાય આચરે છે, તેઓને ધન મળતું નથી, તે મળે તે ટકતું નથી અને તે ટકે તે પાપ કરાવી-નાપાસ કરાવી નરક જેવી દુર્ગતિમાં નાખ્યા વિના રહેતું નથી. પુનઃ ત્યાં અસંખ્ય વર્ષો સુધી દુઃખ ભોગવી આખરે માનવતારૂપ પરીક્ષામાં પસાર થયા વિના તેને અંત આવવાને નથી. મનુષ્યભવની પરીક્ષા કહો કે અન્યાય વિનાનું-કઈ જીવને કાંઈ પણ ડખલરૂપ ન બને તેવું ન્યાયી જીવન જીવવારૂપ ધર્માચરણુ કહો, એ એક જ છે. બીજા શબ્દોમાં કહીએ તે ચારે ય ગતિમાં મનુષ્યગતિ ન્યાયી જીવન જીવવા માટે જ છે અને તેથી માનવભવની સાથે ન્યાયને ધાઢો સંબંધ છે. જ્યાં ન્યાય નહિ, ત્યાં માનવતા નહિ. એ રીતે માનવજીવન નિભૂલ ધર્મજીવન જીવવા માટે છે. આથી ન્યાયપાર્જિત ધન એ જ માનવજીવનની સફલતા કરાવી શકે છે. કહ્યું છે કે “નિમિત્તષિાં હેમો, નાયુર્વવિદિવાઝ્મા न श्रीर्नीतिद्विषां भूयात्, त्रयं धर्मद्विषां हि न ॥" ભાવાર્થ-“જ્યોતિષાદિ નિમિત્તને નહિ માનનારનું ક્ષેમ થતું નથી (એટલે કે નિમિત્તશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારને સુખ–શાન્તિ થતી નથી), વૈદ્યકશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારને દીર્ધ આયુષ્યની-આરોગ્યની પ્રાપ્તિ થતી નથી, નીતિશાસ્ત્રથી વિરબ્દ વર્તનારને અર્થાત નીતિને શત્રુને લમી મળતી નથી, અને ધર્મશાસ્ત્રથી વિરુદ્ધ વર્તનારને-ધર્મવેરીને તે સુખ, આરોગ્ય કે લક્ષ્મી-એ ત્રણેયમાંથી એકેયની પ્રાપ્તિ થતી નથી. જે ન્યાયને બદલે અન્યાયથી ધન મેળવવા ઈચ્છે છે, તે કદાચ પૂર્વોપાર્જિત પુણ્યના બળે મેળવી શકે તે પણ, તેને મેળવવામાં અનેક જીવોની હિંસા, અનેકના મનની હિંસા (નિસાસા–હાય) વિગેરે મહાપાપ થાય છે, જેથી તે જીવોને જે દુઃખ થાય છે, તેને બદલે સેંકડ, હજારે, લાખો કે ક્રોડગણું દુઃખ ભગવાને આપે જ પડે છે. આ અટલ સિદ્ધાન્તથી જગતને એક પણ છવ કદી બચી શક્યો નથી જ. યુક્તિથી કે શ્રદ્ધાથી આ સિદ્ધાન્તને સ્વીકારવામાં જ માનવતા છે. સમજપૂર્વક કે અજ્ઞાનતાથી ખાવાપીવામાં કે અન્ય કઈ પણ વતનમાં બીજાના જીવનમાં વિદ્ધ કરવું તે ભાવિકાળે આપણું જીવનને ક્રોડગણું વિધ્વરૂપ બને જ છે; માટે સુખના અર્થીએ અન્યાયને શક્ય હોય તેટલે તજીને નિર્ભેલ જીવન જીવવું એ જ હિતાવહ છે અને એ જ સઘળા ધર્મોને પાયે છે. ૧૬. ઉપલક્ષણથી “ભાષા, વેષ, ધન વિગેરે પણ સરખાં હોય તેવાની સાથે” એમ પણ સમજવું. અન્યથા, જે કન્યાને બાપ ધનિક હોય તો પિતાના ધનથી ગવંત સ્ત્રી, પુરુષનો અનાદર–પરાભવ કરે. તેમ જ જે કન્યાના બાપ કરતાં સસરે અધિક લક્ષ્મીવંત હોય તે ભર્તા સ્ત્રીને તૃણવત્ ગણે. જે ભાષાભેદ કે વેષભેદ હોય તો પરસ્પરના વ્યવહારમાં અલના થવાથી પ્રીતિ ન વધે, ઈત્યાદિ દામ્પત્યધર્મમાં અનેક આપત્તિઓ નડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy