SearchBrowseAboutContactDonate
Page Preview
Page 662
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩–દિનચર્યા–શ્રાવકને પણ છ આવશ્યકની કર્તવ્યતા ] મણ(વંદિત્ત)સૂત્ર ઉપર નિર્યુક્તિ-ભાગ્ય-ચૂર્ણિ વગેરે પૂર્વાચાર્યોની રચના નહિ હોવાથી તે પૂર્વચાને માન્ય નથી.” તેના ઉત્તરમાં પણ જણાવે છે કે આ પ્રશ્ન પણ વ્યાજબી નથી, કારણ કે–નિર્યુક્તિ વગેરે નહિ હેવાથી વંદિત્તસૂત્રને પ્રમાણભૂત નહિ માને, તે “આવશ્યક વગેરે દશ શાસ્ત્રો સિવાય બીજા શાસ્ત્રો ઉપર પણ નિયંતિની રચના નથી અને “ઓપપાતિક વગેરે ઉપાંગસૂત્રો ઉપર તે ચૂર્ણિની રચના પણ નથી, માટે તમારા મતે નિયુક્તિ કે ચૂણિ વિનાનાં એ પણ દરેક શાસ્ત્રો પૂર્વાચાર્યોને અમાન્ય સિદ્ધ થશે. કે જે ઈષ્ટ નથી, આથી શ્રાવકને “વંદિત્ત સૂત્રથી પ્રતિક્રમણ કરવું વ્યાજબી જ છે”—એમ શ્રાવકને ચેણું આવશ્યક પણ સિદ્ધ જ છે. પાંચમું “કાયેત્સર્ગ આવશ્યક—એક તો શ્રાવકને ઈરિયાવહિ પડિકમવાને અધિકાર હોવાથી, બીજું તેને પાંચમી (કાઉસ્સગ) પડિમા કરવાની હોવાથી અને ત્રીજું સુભદ્રા શ્રાવિકા વગેરેનાં કાઉસ્સગ્ન કર્યાનાં શાસ્ત્રમાં દષ્ટાન્તો હેવાથી, શ્રાવકને “કાઉસ્સગ્ગ” કરણીય છે એમ સ્વીકારવું જ જોઈએ. વળી સાધુઓ કાઉસ્સગ્નને ભંગ થવાના ભયે તેમાં આગાર રાખે છે, તે ગૃહસ્થ તે અવશ્ય આગા રાખવા જ જોઈએ, કારણ કે–સાધુની અપેક્ષાએ શ્રાવકો નિષ્ઠા રહિત (ઓછી સ્થિરતાવાળા) હોય છે. એમ શ્રાવકને પાંચમું આવશ્યક પણ કરણીય છે–એમ સમજવું. - છઠું “પચ્ચક્ખાણું આવશ્યક' પણ શ્રાવકને કરણીય છે. અહીં પ્રશ્નકાર પચ્ચક્ખાણના આગારેને અંગે પ્રશ્ન કરે છે કે–"grછાનિક' વગેરે આગારે તે સાધુઓને (આહારદિ પરઠવવાનાં ન હોવાથી તેઓને) જ ઘટે, શ્રાવકને તે આગાર રાખવા યોગ્ય નથી.” તેનું સમાધાન ગુરૂ જણાવે છે કે તમારે પ્રશ્ન અયોગ્ય છે, કારણ કે-પરઠવવા ગ્ય આહાર ગુરૂ વગેરે વડીલોને વાપરવાને અધિકાર નથી, છતાં તેઓ “પિટ્ટાવક' આગાર રાખે છે, ભગવતીસૂત્રને યોગવહન કરનાર સાધુને “ જિવં ' આગારની આવશ્યક્તા નથી, છતાં તેઓ એ આગાર રાખે છે, તેમાં જેમ સૂત્રપાઠ અખંડ રાખવાને ઉદ્દેશ છે, તેમ ગૃહસ્થને પણ “ જગત” વગેરેની જરૂર નથી, છતાં તે આગાર રાખે છે, તેનાં “સૂત્રપાઠ અખંડ રાખ” એ જ કારણ છે; માટે ગૃહસ્થને એ આગારપૂર્વક પચ્ચકખાણ કરવામાં દેષ નથી.” એમ શ્રાવકને છ આવશ્યક ઘટિત છે, માટે સાધુની જેમ શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામી વગેરે પૂર્વપુરૂની પરંપરાથી ચાલ્યા આવતા વિધિ પ્રમાણે પ્રતિક્રમણ કરવું જ જોઈએ. અહીં છ આવશ્યકોનું વર્ણન પૂર્ણ થયું. હવે પહેલાં કહેલું છે કે–પ્રતિક્રમણુસૂત્રનું વિવરણ છ આવશ્યકને અંતે કહીશું,' તે કહે છે. તેમાં સાધુના પ્રતિક્રમણુસૂત્રનું વિવરણ આ ગ્રંથના બીજા ભાગમાં આપવાનું હોવાથી, અહીં માત્ર શ્રાવકના પ્રતિકમણુસૂત્રનું જ કહીશું શ્રાવકે પ્રથમ સામાયિપૂર્વક પ્રતિક્રમણ કરવું જોઈએ. “પ્રતિક્રમણ સૂત્ર” સર્વ અતિચારોની શુદ્ધિ કરનારૂં હોવાથી વિશિષ્ટ કલ્યાણ સ્વરૂપ છે, માટે પ્રારંભમાં મંગલ વગેરે કરે છે– વંતિ -સિદ્ધ, ઘમાયરિક સંખ્યા મા. इच्छामि पडिक्कमिडं, सावगधम्माइआरस्स ॥१॥" અથ–જાતિ એટલે વાંધીને, કેને? “સાને, સિહોને, ધર્માચાર્યોને, “જ શબ્દથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy