SearchBrowseAboutContactDonate
Page Preview
Page 661
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ [ ધ સં૦ ભાવ ૧-વિ૦ ૨–૦ ૫ તે તે કરવા ચોગ્ય છે જ. વળી એ સૂત્ર અમુકે કહેવું અને અમુકે ન કહેવું એ ભેદ શાખામાં નથી, માટે પણ શ્રાવકને ઘટે છે. બીજી વાત એ પણ છે કે ભગવતીસૂત્રમાં શંખ (શ્રાવક) ના અધિકારમાં–પુષ્કલી શ્રાવકે ગમનાગમન પ્રતિક્રમણ કર્યું”—એમ કહેલું હોવાથી, ઈરિયાવહિ૦૫ડિક્તમવાનું શ્રાવકને અંગે પણ કહેલું છે અને ત્યાં ભગવતીસૂત્રમાં જ શંખ શ્રાવક વગેરેનાં કથાનકેમાં તથા એનિયુક્તિની ચૂર્ણિમાં “ગમનાગમન' શબ્દને “ઇરિયાવહિનો પર્યાય શબ્દ કહે છે (અર્થાત્ બનેને એક જ અર્થ છે) એમ ઈરિયાવહિ પડિક્રમવાનું શ્રાવકને જે સિદ્ધ છે તે તેના કાઉસગ્નમાં પ્રાયઃ “ચતુર્વિશતિસ્તવ’ને ચિંતવવાનું હોવાથી પણ તે શ્રાવકને કરણીય છે. ત્રીજું “વન્દન આવશ્યક ગુણવંતને વિનય કરવારૂપ છે. ગુણવંતને વિનય કર શ્રાવકને પણ ગ્ય છે, શ્રી કૃષ્ણજી વગેરેએ તે કરેલું પણ છે. માટે ત્રીજું “વન્દન આવશ્યક પણ શ્રાવકને કરણીય છે. અહીં શિષ્ય, “શ્રાવકને ગુરૂવન્દને કહ્યું નથી. ”—એમ સમજી પૂછે છે કે iામદyત્તો, નાનાપરિનિગમ ના संविग्गनिज्जरट्ठी, किइकम्मकरो हवह साह ॥१॥" (आव०नि० ११९७) ભાવાર્થ_“પંચમહાવ્રતવાળે, અનાળસુ (અપ્રમાદી), જેની બુદ્ધિમાંથી માન(અભિમાન) ને ત્યાગ થયો છે, ( અર્થાત્ નિરભિમાની છે, કે જે સંવેગી (મોક્ષની અભિલાષાવાળો) છે અને નિર્જરાન અથી છે, એ સાધુ વન્દનકારક અર્થાત્ ગુરૂવન્દન કરવામાં અધિકારી છે.” એમ આવશ્યકનિયુક્તિની આ ગાળામાં કહેલું છે. તેમાંને “સાધુ શબ્દ શ્રાવકને વ્યવચ્છેદક (નિષેધક) હોવાથી શ્રાવકને ગુન્દન કરવાનું ઘટતું નથી. તેનું સમાધાન ગુરૂ કરે છે કે તમારી સમજ બરાબર નથી, કારણ કે-તે ગાથામાં કહેલ “સાધુ” શબ્દ બીજાને નિષેધક નથી, પણ ઉપલક્ષથી “સાધુએ અને બીજાઓએ પણ વંદન કરવું” એમ જણાવનારો છે. જે બીજાને નિષેધક હેત. તે સાધુ સિવાયની સાધ્વીઓને પણ નિષેધ કરાયો હોત, અને તે નિષેધ તે ઘટતું નથી, કારણ કે-શાસ્ત્રમાં તે ગુરુવન્દન કરવામાં “માતા” વગેરે અમુક સાધ્વીને આશ્રીને જ પુત્ર વગેરે અમૂક સાધુને જ વંદન કરવાનો નિષેધ છે. (આથી બીજા સાધ્વીઓએ તે ગુરૂવન્દન કરવું, એમ સ્પષ્ટ જ છે.) બીજી વાતઉપર પાંચ મહાવ્રતવાળો” કહેલું હોવાથી, જે “મહાવ્રતાથી આJવ્રતવાળાને નિષેધ માનશે, તે એજ ન્યાયે “પાંચ' શબ્દથી ચાર મહાવ્રતવાળા બાવીસ તીર્થના સાધુઓ માટે પણ નિષેધ થઈ જશે કે જે કઈ રીતે ઈષ્ટ નથી, માટે (સાધુના ઉપલક્ષણથી) શ્રાવકે પણ સાધુની જેમ ગુરૂવંદન કરવું, તે અર્થ ઘટિત જ છે. સિદ્ધ જ છે. ચેથું “પ્રતિક્રમણ આવશ્યક” તે સામાન્યતયા ઉપર જણાવ્યા પ્રમાણે માત્ર ઈરિયાવહિ૦ પ્રતિક્રમણના વિધાનથી જ સિદ્ધ થાય છે. અહીં ‘વિચિત્ર ( જુદા જુદા ) અભિગ્રહ(નિયમ)વાળા સર્વ શ્રાવકોને સર્વસામાન્ય એક જ પ્રતિક્રમણ(વંદિત્ત)સૂત્રથી પ્રતિક્રમણ કેમ થઈ શકે ?”એવી શંકા પણ અઘટિત છે, કારણ કે-જેણે વ્રત અંગીકાર કર્યો હોય તેણે તેમાં લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ કરવું યોગ્ય છે અને બીજાઓને “અશ્રદ્ધાન, ઉસૂત્ર” વગેરેનું પ્રતિક્રમણ કરણીય છે. એ સમાધાન આગળ જણાવી પણ ગયા છીએ, એમ “પ્રતિક્રમણ આવશ્યક’ શ્રાવકને કરવાનું સિદ્ધ થતાં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે કે-“ભલે શ્રાવકને પ્રતિક્રમણ કરણીય હોય, પણ સાધુના પ્રતિક્રમણ(પગામ સઝાય) સૂત્રથીજ તેણે પ્રતિક્રમણ કરવું જોઈએ, કારણ કે-શ્રાવકના પ્રતિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy