________________
પ્ર. દિનચર્યા-છ આવશ્યકેમાં છઠ પ્રત્યાખ્યાન
૬૦૫ અને તે દરેકના પણ ચાર ચાર પ્રકારે છે તે આ પ્રમાણે
૧. ઉછૂિતોષ્કૃિત એટલે દ્રવ્યથી અને ભાવથી બન્ને પ્રકારે ઉઠીને, તાત્પર્ય કે દ્રવ્યથી= શરીરથી ઊભા રહીને અને ભાવથી=ધર્મધ્યાન કે શુકલધ્યાનમાં રહીને, ૨. ઉચ્છિતાનુચિછૂત એટલે દ્રવ્યથી-ઊભા રહીને માટે ઉચિસ્કૃત, અને ભાવથી-કૃષ્ણાદિ અશુભ લેસ્થાના પરિણામપૂર્વક માટે અનુચિસ્કૃત, ૩. “અનુચિછૂતેચિસ્કૃત” એટલે દ્રવ્યથી નીચે બેસીને અને ભાવથી–ધમ ધ્યાન કે શુકલધ્યાનમાં રહીને તથા ૪. અનુચિછૂતાનુચિસ્કૃત–એટલે દ્રવ્યથી–નીચે બેસીને અને ભાવથી પણ-કૃષ્ણ વગેરે અશુભ લેસ્થાપૂર્વક, એ ચાર ભેદ ઉસ્કૃિતના જણાવ્યા. એ પ્રમાણે “નિષણ” એટલે બેઠેલે અને “શયિત” એટલે સુતેલો, એ બંનેના પણ ચાર ચાર ભેદે સ્વયં વિચારી લેવા.
કાઉસ્સગ્ગસૂત્ર ( અન્નત્થ)અર્થ તથા તેના ઓગણીસ દે (પૃ. ૪૦૩ થી ૪૦૬ માં) કહેવાઈ ગયા છે. આ કાઉસગ્નનું પણ ફલ કર્મોની નિર્જરા રૂપ જ છે. કહ્યું છે કે—
" काउस्सग्गे जह सुडिअस्स भज्जति अंगमंगाई।
इय भिंदंति सुविहिआ, अट्ठविहं कम्मसंघायं ॥१। (आव०नि०, १५५१) ભાવાર્થ-“કાયોત્સર્ગમાં વિધિપૂર્વક ઊભા રહેલાનાં અંગેપગે (શરીર અવય) જેમ જેમ ભાંગે (દુખે), તેમ તેમ વિધિપૂર્વક કાઉસગ્ગ કરનારા સુવિહિત આત્માઓ ચિત્તને નિષેધ કરીને આઠ પ્રકારના કર્મસમૂહને ભેદે છે (નાશ કરે છે).”
એમ પાંચમું “કાઉસ્સગ્ગ” નામનું આવશ્યક વર્ણવ્યું. હવે–
૬. પચ્ચકખાણ-પ્રત્યાર્થી શબ્દ “પ્રતિ++થાન' એ ત્રણ અંશે મળવાથી થયો છે (અને તેને પ્રાકૃત યા ચાલુ ભાષામાં “પચ્ચકખાણ” કહે છે.) તેને અર્થ “તિ' એટલે પ્રતિકૂળપણે, “સા' એટલે અમુક મર્યાદાપૂર્વક, રસ્થાન' એટલે કહેવું ( અર્થાત્ રાગાદિ અંતરંગ શત્રુઓ સામે અમુક મર્યાદાપૂર્વક પ્રતિકુળ પ્રવૃત્તિ કરવાની કબૂલાત) તેને પચ્ચકખાણું કહે છે. આનું સ્વરૂપ પણ (પૃ. ૫૦૦ થી) ચકખાણ અધિકારમાં કહેવાઈ ગયું છે. એ રીતિએ “છ આવશ્યક પ્રતિક્રમણને” વિધિ જણાવ્યું.
પ્રતિક્રમણ વ્રતધારી શ્રાવકે દરરોજ ઉભયકાળ કરવું જોઈએ અને (પહેલા ગુણસ્થાનવતી ધર્મચિવાળા) “યથાભદ્રિક' આત્માએ (ત્રતાદિ ઉચ્ચર્યા ન હોય તે) પણ તેને અભ્યાસ વગેરે કરવાના ઉદ્દેશથી કરવું જોઈએ. અહીં કોઈ સમજે કે-શ્રાવકનાં બાર પૈકી કે એક પણ વ્રત અંગીકાર કર્યું નથી, તેવા યથાભદ્રિકને તેના અભાવે તેના અતિચારે ન હિય, માટે અતિચારેની શુદ્ધિ માટે કરાતું પ્રતિક્રમણ કરવું તેને અનુચિત છે અને પ્રતિક્રમણના પાઠ (સૂત્રે) બોલવા તે પણ તેને અઘટિત જ છે, જે એમ ન માનીએ તે તે મહાવ્રતના પાઠે ઉચ્ચારે તેને પણ વિરોધ નહિ કરાય. તેનું સમાધાન જણાવે છે કે-જેમ યથાભદ્રિકને પણ (વિરતિને) માર્ગે ચઢાવવા માટે દીક્ષા આપવાનું વિધાન છે, તેમ પ્રતિકમણ કરાવવું તે પણ યોગ્ય જ છે. જો કે તેણે કઈ એક પણ વ્રત ઉશ્ચર્યું નથી, છતાં તે તે વ્રતના અતિચારેના ઉચ્ચાર દ્વારા “અશ્રદ્ધા વગેરે દોષોને ટાળવા માટે પણ પ્રતિક્રમણ કરવાનું શાસ્ત્રમાં જણાવેલું છે. (ત્યાં પ્રતિક્રમણ-વંદિત્ત સૂત્રમાં જ પ્રતિક્રમણનાં કારણે જણાવતાં) કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org