SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં૦ ભા૧-વિ. ૨–ગા ૬પ ક્રમણ સમજવું. આ કાળ પડિકકમતાં પણ આઠ શ્વાસોચ્છવાસને અને “આદિ ” શબ્દથી “કાળ ગ્રહણ કરવામાં, કાળ પરઠવવામાં, ગોચરી (જતાં પહેલાં કરાતી ઉપયોગની ક્રિયા) માં તથા શ્રુતસ્કંધનું પરાવર્તન કરવામાં,’ એટલા સ્થાને પણ આઠ શ્વાસોચ્છવાસને કાઉસ્સગ્ન સમજી લે. કેટલાકે કૃતાદિના પરાવર્તનમાં પચીસ શ્વાસોચ્છવાસ પણ કહે છે. એમ દ્વારગાથામાં કહેલા ચોથા “સૂત્ર'ને અંગે કાઉસ્સગનું પ્રમાણુ કહ્યું. હવે પાંચમા “રાત્રે સ્વપ્ન જેવાને અંગે” કહે છે, જે જીવહિંસા, અસત્ય બોલવું વગેરે દેનું સ્વપ્ન આવ્યું હોય, તે “એક સ” શ્વાસે છૂવાસને અને સ્વયં મિથુનસેવ્યાનું સ્વપ્ન આવ્યું હોય તે “એક સો ને આઠ” શ્વાસોચ્છવાસને કાઉસગ કરે. તે હકીકત (પૃ. ૩૪૯ માં) કહેવાઈ ગઈ છે. છઠ્ઠા દ્વારમાં નાવડી (આદિ)થી નદી ઉતરે તે પચીસ શ્વાસોચ્છવાસપ્રમાણુ કાઉસ્સગ્ન કર. કહ્યું છે કે – " नावाए उत्तरिउं, वहमाई तह नई च एमेव । संतारेण चलेण व, गंतुं पणवीस ऊसासा॥१॥" (आव०नि०१५३८मा प्रक्षिप्त) - ભાવાર્થ-બનાવડીથી પાણીનો પ્રવાહ વગેરે, કે નદી વગેરે ઉતરીને (ઓળંગીને) “પચીસ શ્વાસોચ્છવાસ પ્રમાણુ કાઉસ્સગ કરે, એ પ્રમાણે તારૂઓથી (ત્રાપાથી) કે પગથી ચાલીને પણ નદી કે પાણીને કઈ પ્રવાહ ઉતરે, તે પણ તેટલે જ કાઉસગ્ગ કરે. ” એ પ્રમાણે અનિયત કાર્યોત્સર્ગના પ્રમાણુની દ્વારગાથાનું વિવરણ પણ પૂર્ણ થયું. કાઉસગમાં શ્વાસન્ડ્રવાસનું પ્રમાણ આ પ્રમાણે કહ્યું છે– " पायसमा ऊसासा, कालपमाणेण हुंति णायव्वा । gવં ત્રિમાણે, ઉસને હોદ શા” (આવરિ૦, ૨૨૨) ભાવાર્થ-“કાઉસ્સગ્નમાં જેટલાં પદે ચિંતવે તેટલા શ્વાસોચ્છુવાસ સમજવા, એમ કાઉસ્સગ્નમાં કાળનું પ્રમાણ સમજવું. અર્થાત કાળનું પ્રમાણુ કાઉસ્સગ્ગના પ્રમાણુથી જાણવું.” કાઉસ્સગને વિધિ આ પ્રમાણે છે – " पुव्वं ठंति अ गुरुणो, गुरुणा उस्सारिश्रमि पारिति । કાયંતિ (1) કવિ, તUIT on g(કૂવિ રિવા ૩ આશા " "चउरंगुल मुहपोत्ती, उज्जूए डब्बहत्थरयहरणं ।। જોરદૃરહો, પણ જ્ઞાદિ ારા” (સાવ નિષ-૪૬) ભાવાર્થ-“પહેલાં ગુરૂ કાઉસ્સગ કરે, (પછી અન્ય સાધુઓ કરે) અને ગુરૂએ પાય પછી બીજાઓ પારે. તેમાં પણ અન્ય અન્ય કાર્યો માટે ફરેલા અર્થાત્ ગયેલા–આવેલા હોવાથી તરૂણ (સશક્ત ) સાધુઓ (તેઓને વિશેષ પ્રવૃત્તિને અંગે ચિંતન વધુ કરવાનું હોવાથી) વધુ સમય કાઉસ્સગ્નમાં રહે (૧). વળી ( કાઉસ્સગ કરતાં) બે પગની વચ્ચે આગળ (બે અંગુઠામાં પરસ્પર) ચાર આંગળ અંતર રાખી ઊભા રહેવું અને મુહપત્તિ જમણા હાથમાં તથા રજોહરણ ડાબા હાથમાં પકડે; એ પ્રમાણે હાથ પગ વગેરે અંગેની (જિન) મુદ્રા કરીને (પરિશ્રમ, ડાંસમછરાદિને ઉપદ્રવ કે ઠંડી-ગરમી આદિના પરીષહની ઉપેક્ષા કરવારૂપ) કાત્સર્ગ કરે (૨).” આ કાર્યોત્સર્ગ (૧) ઉચિત, (૨) નિષાણુ અને (૩) શયિત-એમ ત્રણ પ્રકારે થાય છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy