SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા–છ આવશ્યકમાં પાંચમું “કાઉસ્સગ્ગ” આવશ્યક ] કાઉસ્સગ્ન કરવાનો હોય છે.” તેમાં આહાર-પાણી નિમિત્તે પરગામ વગેરે અન્ય સ્થલ “ગમન કર્યા પછી, ત્યાંથી જદી પાછા ન વળી શકાય તે ( ત્યાં ) અને ત્યાંથી “આગમન=આવ્યા પછી પણ “ઇરિયા પથિકી પ્રતિક્રમણ કરવું. એ પ્રમાણે “શયન” એટલે સંથારે અથવા વસતિ (મકાન) નિમિત્ત, આસન એટલે પાટ-પાટલાદિ નિમિતે, “ચૈત્યઘર એટલે જિનમંદિરે દર્શનાદિ નિમિતે અને “શ્રમણગ્રહ” એટલે સાધુની વસતી (ઉપાશ્રય)માં જવા-આવવા નિમિતે (ઉપર કહ્યું તે કારણે ગમન-આગમનના યોગે) ઈરિયાવહિ પડિકકમતાં પચીસ શ્વાસે છૂવાસપ્રમાણુ કાઉસગ્ન કરે તથા સ્થડિલ-માત્રુ (વગેરે ) જે પિતે પરાઠવ્યું હોય, તે એક હાથ માત્ર દૂર જવા-આવવા છતાંય ઈરિયાવહિ પડિક્લેમીને તેટલેજ કાઉસ્સગ્ન કરે, પણ પિતે સ્પંડિલ–માત્રુ (કુડી વગેરે) માત્રકમાં કર્યું હોય અને તે બીજા સાધુએ પરઠવ્યું હોય, તે પાઠવનાર સાધુ ઈરિયાવહિ૦૫ડિક્કમીને કાઉસ્સગ કરે, પણ ઈંડિલાદિ કરનાર પોતે ન૨૫ કરે, હા ! પોતે વસતિથી એક સો હાથ ઉપરાંત દૂર જાય તે બીજાએ પાઠવવા છતાં પોતે અને પરઠવનાર સાધુ બને ઈરિયાવહિ. પડિક્કમીને પચીસ શ્વા છુવાસપ્રમાણુ કાઉસગ્ગ કરે, એટલા પ્રસં. ગમાં પચીસ શ્વાસોચ્છવાસનો કાઉસ્સગ જાણવો. એ પ્રમાણે મૂળ (તાર) ગાથામાં કહેલા ગમનનું અને આગમનનું કાઉસગ્ગ પ્રમાણુ કહ્યું. હવે ત્રીજું વિહારને અંગે કહે છે કે-વિહાર એટલે સૂત્રપારસી (સૂત્ર ભણવા ) નિમિ-તે ઉપાશ્રયેથી અન્યત્ર જવું છે. તેને અંગે કહ્યું છે કે– . “ नियआलयाओ गमणं, अण्णत्थ उ सुत्तपोरिसिनिमित्तं । होइ विहारो इत्थवि, पणवीसं हुंति ऊसासा ॥१॥” (आव भाष्य-२३४मांप्रक्षिप्त ભાવાર્થ “પિતાના સ્થાનેથી સૂત્રપરિસી (ભણવા)નિમિત્તે અન્ય સ્થળે જવું તે વિહાર કહેવાય, તેને અંગે પણ પચીસ શ્વાસોચ્છવાસ (ને કાઉસગ્ન કરવાની હોય છે દ્વારગાથામાં કહેલું ચોથું પદ “સૂત્ર =સૂત્રાદિના ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા સમજવી, તેમાં સત્તાવીસ શ્વાસોચ્છવાસને (સાગરવરગંભીરા સુધી) કાઉસગ્ગ કરાય છે, કહ્યું છે કે " उद्देससमुदसे, सत्तावीसं अणुण्णवणयाए। ચર ય સારા, પાપવિમળમાઈ શા” (સાવલિ, શરૂ૪) ભાવાથ–“ઉદ્દેશ, સમુદ્ર અને અનુજ્ઞામાં સત્તાવીશ શ્વાસોચ્છુવાસને અને પ્રસ્થાપન તથા પ્રતિક્રમણ વગેરેમાં આઠ શ્વાસે છૂવાસને કાઉસગ્ગ હાય ) છે.” આ પ્રસ્થાપન અને પ્રતિકમણને અર્થ કહે છે કે–પ્રસ્થાપન” એટલે કેઈ કાર્ય માટે કઈ સાધુને અન્યત્ર મોકલ તે; તેમાં જતાં ખલના (વિન) થાય તે આઠ શ્વાસે છૂવાસને કાઉસ્સગ્ન કરીને બીજી વાર ખલના થાય તે સેલ શ્વાસે છુવાસને કાઉસ્સગ કરીને જાય, પણ ત્રીજી વાર ખેલના થાય તે જાય જ નહિ; બદલે બીજા સાધુને મેકલે; અથવા કાર્યવશાત્ તે જ સાધુને મોકલવાની જરૂર હોય તે દેવવંદન કરીને, બીજા સાધુને આગળ રાખીને તેની નિશ્રામાં જાય; એ પ્રસ્થાપનને અંગે જાણવું. હવે “પ્રતિક્રમણ' એટલે અહીં (સાધુને મોટા યુગની ક્રિયામાં) કાળનું પ્રતિ ૧૨૫. ચંડિલ-મા જે કુંડી આદિ માત્રકમાં કર્યું હોય અને પરાવનાર બીજા સાધુ છે, તે પણ પિતે ઈરિયાવહિ૦ પ્રતિક્રમણ કરવું જોઈએ, એમ પણ વ્યવહાર સત્રમાં કહેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy