SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા-છ આવશ્યકમાં પાંચમું કાત્સગ આવશ્યક] કહ્યું તેમાં જે જે સૂત્રે બોલવાનાં જણાવ્યાં, તે પૈકી બાકી રહેલાં “પ્રતિક્રમણ(વંદિત્ત) સૂત્ર” વગેરેનું વિવરણ આ ચાલુ અધિકારને અંતે કહેવાશે. હવે પાંચમું આવશ્યક કહેવાય છે. ૫. કાઉસ્સગ્ન-જાત્ર એટલે “કાયાને” (શરીરને) “ઉત્સગ ” ( ત્યાગ કરે.) તેને “કાયોત્સર્ગ કહેવાય છે. તેનું પ્રાકૃત રૂપ “કાઉસ્સગ’ બને છે) એ કેવી રીતિએ કરે? તે માટે જણાવ્યું છે કે-શરીરથી “સ્થાન” કરવું-જિનમુદ્રાથી સ્થિર ઉભા રહેવું (અપવાદે સ્થિર બેસવું) વગેરે, વચનથી “મોન’ કરવું, મનથી શુભ ધ્યાન” કરવું અને “અન્નત્થ” સૂત્રમાં કહેલી “શ્વા છુવાસાદિ અનિવાર્ય શારીરિક ચેષ્ટાઓ સિવાયની મન-વચન-કાયાની સઘળી પ્રવૃત્તિને (અર્થાત્ સ્વૈર્ય મૌન-ધ્યાન કરી શ્વાસ-ઊચ્છવાસ વગેરે અનિવાર્ય ચેષ્ટાઓ સિવાયની બધી ક્રિયાને) ત્યાગ કરે તેને “કાર્યોત્સર્ગ” કહેવાય છે. તે કયાં સુધી કરી તે માટે પણ કહ્યું છે કે- (જે જે કાઉસગમાં “અમુક સંખ્યામાં શ્વાસે શ્વાસ વગેરે કહેલું પ્રમાણ પૂર્ણ થયા પછી) “નમો નહિંત બેલે ત્યાં સુધી કાયાને ત્યાગ તે કાર્યોત્સર્ગ સમજ. આ “કાર્યોત્સર્ગ” બે કારણે કરવાનું હોય છે. એક-તે તે પ્રકારની કાયાદિકની ચેષ્ટા-પ્રવૃત્તિમાં સેવેલા અતિચારોને અંગે, બીજે–ચારિત્રમાં ઉપસર્ગ–પરાભવ થાય તેવા પ્રસંગે. તેમાં જવું-આવવું” વગેરે પ્રવૃત્તિને અંગે “ઇરિયાવહિ.” આદિ પડિક્કમતાં કરાતે “ચેષ્ટાપ્રવૃત્તિને અંગે અને આકસ્મિક ઉપસર્ગોને જીતવા માટે કરાતે “ પરાભવને અંગે” સમજ. કહ્યું છે કે " सो उस्सग्गो दुविहो, चिट्ठाए अभिभवे अनायव्यो।। भिख्खायरिआइ पढमो, उवसग्गभिउंजणे विइओ ॥१॥"(आव०नि०१४५२) ભાવાથ–“તે કાર્યોત્સર્ગ “ચેષ્ટામાં અને પરાભવમાં” એમ બે કારણે જાણુ. તેમાં ભિક્ષા માટે (ગૌચરી) ફરવું વગેરે પ્રવૃત્તિઓને અંગે પહેલે, અને ઉપસર્ગ પ્રસંગે બીજે જાણવો.” તેમાં ઉપસર્ગોદિ પરાભને અંગેને કાર્યોત્સર્ગ એક (અંતઃ) મુહૂર્તથી માંડીને શ્રી બાહુબલીની જેમ એક વર્ષ સુધીને પણ હય, અને તે (દરેક રીતિએ) અનિયત જ હોય. ચેષ્ટાને વેગે કરાતે કાર્યોત્સર્ગ તે જઘન્ય આઠથી માંડીને પચીસ-સત્તાવીસ-ત્રણ સો-પાંચ સે અને એક હજાર આઠ શ્વાસોચ્છવાસ સુધીને પણ હોય છે, તેમાં નિયત-અનિયતની વ્યવસ્થા રેસિગર રાપરિવર, વરમાણે ય તહેવ વરિલે ૩ एएसु हुँति नियया, उस्सग्गा अणिअया सेसा ॥१॥' (आव०नि० १५२९) ભાવાર્થ-“દેવસિક-રાત્રિક-પાક્ષિક-ચાતુર્માસિક તથા વાર્ષિક (પ્રતિક્રમણ)માં કરાતા કાર્યોત્સર્ગો નિયત હોય છે અને તે સિવાયના (ગમન-આગમન વગેરે ચેષ્ટાઓના)અનિયત હોય છે.” તેમાં નિયત કાર્યોત્સર્ગોનું શ્વાસોચ્છવાસપ્રમાણ સામાન્યતયા આ પ્રમાણે કહ્યું છે “ સર સયં જોઉં, તિomત્ર સવા વંતિ પરિવાર વંજ ૧ વાડમાણે, દૃ સહ ર વારિસ શા(ગારનિ., ૨૫૩૦) ભાવાર્થ– “સાંજે (દેવસિક પ્રતિક્રમણાં) એક સે, પ્રાતઃકાળે (રાઈપ્રતિક્રમણમાં) તેનાથી અડધ (પચાસ,) પાક્ષિકમાં ત્રણ સે, ચાતુર્માસિકમાં પાંચ સો તથા વાર્ષિક (પ્રતિક્રમણમાં) એક હજાર ને આઠ શ્વાસોચ્છવાસપ્રમાણુ કાર્યોત્સર્ગ કરે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy