SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા–પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓને સાક્ષિપાઠ] પકડીને (દબાવીને રાખે.) (૩) અને ઘાટકષ' વગેરે કાઉસગ્ગના ૧૯ દેરહિત કાઉસ્સઆ કરે. ચોળપહો નાભિથી ચાર આંગળ નીચે અને જાનથી ચાર આંગળ ઉપર રાખે (શ્રાવક તે પ્રમાણે ધોતી રાખે) (૪). તે કાઉસ્સગમાં દિવસે કરેલા અતિચારોને યથાક્રમ હૃદયમાં ધારે અને નવકારથી કાઉસગ્ગ પારીને પ્રગટ લેગસ કહે (૫). પછી સંડાસા પ્રમાજીને, નીચે બેસીને, બે ભૂજાઓ સ્પર્શ ન થાય તેમ લાંબી રાખીને પચીસ પચીસ (બેલ) વડે મુહપત્તિ અને શરીરનું પડિલેહણ કરે (૬) પછી ઊભા થઈને વિધિપૂર્વક, વિનયસહિત, બત્રીસ દેવરહિત અને પચીસ આવશ્યકથી વિશુદ્ધ ગુરૂવન્દન કરે (વાંદણ દે.) (૭). પછી સારી રીતિએ (ઉપરનું) શરીર નમાવીને, બે હાથમાં મુહપત્તિ તથા રજોહરણ પકડીને (કાઉસગમાં) વિચારેલા અતિચારોને ક્રમશઃ ગુરૂની આગળ પ્રગટપણે જણાવે (૮). પછી (વિધિથી) નીચે બેસીને, પ્રયત્નપૂર્વક (અપ્રમત્ત થઈને), “કરેમિ ભંતે, વગેરે કહેવાપૂર્વક “પ્રતિક્રમણુસૂત્ર (શ્રાવક વંદિત્ત)” કહે. તેમાં “અમુદિમોનિ માતા ” વગેરે બાકીનું સૂત્ર (દ્રવ્યથી અને ભાવથી એમ) બે પ્રકારે વિધિપૂર્વક ઉભો થઈને કહે ”. પછી (બે) વંદન દઈ, મંડલમાં પાંચ કે તેથી વધારે સાધુ હોય તે ત્રણને ખમાવે અને (પુન) બે વંદન દઈ, આ િવભrgo' વગેરે ત્રણ ગાથા કહે (૧૦). પછી કરેમિ ભંતે અને કાઉસ્સગ્ગસૂત્રો (ઈચ્છામિ ઠામિડ વગેરે' કહીને કાઉસ્સગ્નમુદ્રામાં રહીને ચારિત્ર (ના અતિચા)ની શુદ્ધિ માટે બે લેગસ્સને' ચિંતવે (૧૧). પછી વિધિપૂર્વક (કાઉસગ્ગ) પારીને સમ્યક્ત્વ( દર્શનાચાર)ની શુદ્ધિ માટે પ્રગટ ગટ્સ કહે તથા (તેની જ શુદ્ધિ માટે) “વ્યો તિબrfo' કહીને સર્વ લેકનાં ચિત્યની આરાધના માટે કાઉસ્સગ કરે (૧૨). તેમાં “એક લેગસ્સનું ચિંતન કરીને દર્શનાચારની શુદ્ધિવાળે તે કાઉરૂગને પારી કૃતજ્ઞાનની શુદ્ધિ કરવા માટે “પક્રખરવરદીવઢ' કહે (૧૩). ફરીથી “પચીસ શ્વાસોચ્છવાસને ( “ચંદેસુ નિમ્મલય” સુધી એક લેગાસને) કાઉસગ કરીને વિધિપૂર્વક પારે. પછી સઘળાં કુશળ (શુભ) અનુષ્ઠાનના ફલસ્વરૂપ શ્રીસિદ્ધોનું સ્તવન (સિદ્ધાણં બુદ્ધાણું) કહે (૧૪). પછી શ્રતજ્ઞાનની સમૃદ્ધિના કારણભૂત મૃતદેવતાનો કાઉસ્સગ્ય કરે, તેમાં એક નવકાર ચિંતવે અને મૃતદેવીની સ્તુતિ કહે અથવા સાંભળે. ( વડિલ કહે અને બીજા સાંભળે. ) (૧૫). એમ ક્ષેત્રદેવતાને પણ કાઉસગ્ન કરીને એની સ્તુતિ કહે અથવા સાંભળે, પછી “નવકારમંત્ર કહીને, સંડાસા પ્રમાને નીચે બેસે (૧૬). પછી પહેલાં જણાવેલા વિધિથી મુહપત્તિ પડિલે. હીને ગુરૂને બે વંદન દઈને, “ઝામો અણુÉિ કહીને, ઢીંચણના આધારે (નીચે) બેસે (૧૭). પછી ગુરૂ (“નમેતુ”ની) એક સ્તુતિ કહે, તે પછી બીજાએ વધતા વધતા અક્ષરોથી તથા ઉંચા ઉચા સ્વર(અવાજ)થી (નમસ્તુ આદિ) ત્રણ સ્તુતિઓ કહે, પછી “શકસ્તવ અને સ્તવન કહીને (દેવસિક) પ્રાયશ્ચિત્તની શુદ્ધિ માટે કાઉસગ્ગ કરે (૧૮). એ પ્રમાણે દેવસિક પ્રતિકમણને ક્રમ જાણ. * રાઈ પ્રતિક્રમણ પણ એ જ પ્રમાણે છે. માત્ર તેમાં પ્રથમ ('શ્વર શિવ કહીને) મિચ્છામિ દુક દઈને “નમેથુ ’ કહે (૧૯). પછી ઊભા થઈને વિધિપૂર્વક (ચારિત્રાચારની શુદ્ધિ માટે) પહેલે કાઉસ્સગ્ન કરે, તેમાં એક લેગસ્સ ચિંતવે. પછી બીજે કાઉસગ્ગ દર્શનશુદ્ધિ માટે કરે, તેમાં પણ એક લોગસ જ ચિંતવે (૨૦). ત્રીજા કાઉસ્સગ્નમાં મશઃ રાત્રિના અતિચારાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy