SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ૩-દનચર્યા-રાઈ પ્રતિક્રમણ વિધિ તથા હેતુઓ ] ચારાના બીજ રૂપ “રવૃત્તિ વિ રાજગ' સૂત્ર બોલીને રમત્યુ –' કહે. પહેલાં કરાતું (જગચિંતામણિ વગેરે) દેવવન્દન તે પછી કરાતા સ્વાધ્યાય વગેરે (પ્રભાતિક) ધમકૃત્યને ઉદ્દેશીને છે, પ્રતિક્રમણ સાથે તેને સંબંધ નથી. આથી જ પ્રતિક્રમણની શરૂઆતમાં મંગલ વગેરેને માટે પુનઃ આ “નમેથુ છું” રૂપ સંક્ષિપ્ત દેવવન્દન કરાય છે. પછી દ્રવ્યથી (ઊભા થઈને) અને ભાવથી (ઉત્સાહી બનીને), એમ બે પ્રકારે ઊભા થઈને મિ મને ! સામાશં' વગેરે સૂત્રો બાલવાપૂર્વક અનુક્રમે ચારિત્ર, દર્શન અને જ્ઞાનના અતિચારાની વિશુદ્ધિ માટે ત્રણ કાયોત્સર્ગો કરે, તેમાં પહેલા અને બીજા કાઉસગ્નમાં એકેક લોગસ્સ (ચદેસુ નિમ્મલયરા સુધી) ચિંતવે. તે માટે આવ. નિ.માં કહ્યું છે કે-સાથે જ અથ–સાંજે એક સો અને સવારે અડધે શત (પચાસ) શ્વાસોચ્છવાસને કાઉસ્સગ કરે.' ત્રીજા કાઉસગમાં તે “સાંજના (દેવસિક) પ્રતિક્રમણ(માં છે આવશ્યક )ને અંતે કહેવાતી નમોસ્તુ વર્તમાના' વગેરે ત્રણ સ્તુતિઓથી માંડીને હમણાં સુધી લાગેલા સઘળા રાત્રિના અતિચારેનું ચિંતન કરે. (શ્રીદેવસૂરિકૃત યતિદિનચર્યામાં) કહ્યું છે કે “ લિવરસથતિ, શુત્તિમાં તપાવવામાં जा पच्छिमुस्सग्गं, चिंतिज्जसु ताव अइआरे ॥(गा०१७)॥" ભાવાર્થ “દેવસિક પ્રતિક્રમણને અંતે જે ત્રણ સ્તુતિઓ કહેવાય છે, ત્યાંથી માંડીને (રાઈ પ્રતિક્રમણના) છેલા (ત્રીજા) કાઉસ્સગ્ન સુધીની પ્રવૃત્તિમાં જે જે અતિચારે લાગ્યા હોય તે તે સઘળા ( ત્રીજા કાઉસ્સગ્નમાં ) ચિંતવવા.” અહીં દૈવસિક પ્રતિક્રમણુવિધિમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાનાચાર વગેરેથી ચારિત્રારની મહત્તા વિશેષ હોવા છતાં તેને કાઉસ્સગ એક લેગસ્સને જ કરવાનું કહ્યું, તેમાં રાત્રિએ પ્રાયઃ પ્રવૃત્તિ થડી હવાથી ચારિત્રના અતિચારે છેડા જ લાગ્યા હોય, વગેરે હેતુઓ સંભવે છે. ત્રીજો કાઉસગ્ગ પારીને, વિજાપ શુદ્ધા' સૂત્ર બોલીને, સંડાસા પ્રમાજીને નીચે બેસે. અહીં ચારિત્રાચારની વિકૃદ્ધિ માટેના પહેલા કાઉસ્સગ્નમાં દેવસિક પ્રતિક્રમણની જેમ રાત્રિના અતિચારનું ચિંતન કરવાને બદલે એક લોગસ્સ ચિંતવવાનું કહ્યું, તેમાં પણ કદાચ નિદ્રાને ગે સ્પષ્ટ ચૈતન્યના અભાવે પ્રારંભમાં અતિચારેનું બરાબર સ્મરણ થઈ શકે નહિ એ કારણ છે. ત્રીજા કાઉસ્સગ વખતે તે બરાબર સાવધ થવાથી સારી રીતિએ (રાત્રિના વ્યાપારનું) સ્મરણ કરી શકે, માટે તેમાં અતિચારનું સ્મરણ (અવધારણા) કરવાનું કહ્યું એમ સમજવું. શાસ્ત્રના જાણીતાર્થોએ કહ્યું છે કે " निद्दामत्तो न सरइ, अइआरं मा य घट्टणंऽणोन्नं। વિશાળવા વા, સાનિ વસા શ" (બાવનિ., ર૬) ભાવાર્થ-“નિદ્રાને વેગે પ્રમાદી અતિચારનું સ્મરણ ન કરી શકે, અંધારે વાંદવાથી અન્ય સાધુને સંઘટ્ટ થાય, અથવા મંદ શ્રદ્ધાવાળે કઈ સાધુ અંધારાને આશ્રય લઈને વંદન ન કરે, વગેરે દેને સંભવ હોવાથી સવારના પ્રતિક્રમણમાં પહેલાં ત્રણ કાઉસ્સગ કરવામાં આવે છે. (કાઉસગ્ન વધુ કરવાથી નિદ્રાને નાશ થતાં સાવધ થઈ શકે, એમ આશય જણાય છે.” પછી દેવસિક પ્રતિક્રમણની જેમ મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરી ગુરૂવન્દન વગેરે કરીને “દિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy