SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર-૩-દિનચર્યા–દેવસિક પ્રતિક્રમણને વિધિ તથા હેતુઓ] ૫૮૯ એ સ્તુતિઓ (મોડતુ) કહ્યા પછી “નમોહ્યુ ” સૂત્ર બેલે, પછી એક જણ મોટા (મધુર અને ઉંચા) સ્વરે શ્રીજિનેશ્વરદેવનું સ્તવન કહે અને બીજા સર્વ સાવધાન થઈ બે હાથ જોડીને તે સાંભળે. સ્તવન પછી સઘળાય (એક સો ને સીત્તેર) જિનેશ્વરની સ્તુતિરૂપ “વાજાનવરવિકુમe” વગેરે બોલીને (પૂર્વની જેમ) ચાર ખમાસમણ દેવા પૂર્વક, પ્રતિ ખમાસમણે “અાવાન છું' વગેરે એકેક પર બોલીને ગુરૂ વગેરેને વન્દન કરે. અહીં “મોરિલાકાળાથી માંડીને આ ચાર ખમાસમણપૂર્વક ગુર્નાદિને વહન કરે ત્યાં સુધી વિધિ દેવ અને ગુરૂના વંદન૫ જાણ. શ્રાવકને તે તે પછી બોલાતા “મહાકુસુધી દેવ-ગુરનું વંદન સમજવું. એમ પ્રતિક્રમણમાં પ્રારંભે અને અંતે દેવ-ગુરૂને વંદન કરવાથી “ગાયત થાપિ બળ અર્થાત્ આદિ અને અંતનું ગ્રહણ કરવાથી મધ્યનું પણ ગ્રહણ થાય છે, એ ન્યાયે પ્રતિક્રમણમાં સર્વત્ર દેવ તથા ગુરૂને વન્દન જણાવેલું છે–એમ સમજવું. જેમ નમેત્યુ નું સૂત્રની આદિમાં અને છેલ્લે બોલાતે “નમો શબ્દ સમગ્ર નમોલ્થ શુંમાં વ્યાપક છે, તેમ પ્રતિક્રમણમાં પણ દેવ-ગુરૂનું વન્દન સર્વત્ર વ્યાપક સમજવું. પછી “દિર્વિસે તુ મતિ ( એકને બદલે બે ગાંઠ વગેરેથી બાંધેલું મજબૂત બંધાય છે) એ ન્યાયે અહીં પણ ચારિત્રાચારની વિશુદ્ધિ માટે પહેલાં (બે) કાઉસગ્ન કરવા છતાં, “પ્રાણાતિપાતવિરમણાદિ તેમાં લાગેલા અતિચારરુપ “દેવસિક પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે પુનઃ (g નિયા સુધી) ચાર લેન્ગસ્સનું ચિંતન કરી કાઉસ્સગ કરે. આ કાઉસગ્ન ભિન્ન સામાન્ય ચારીને અનુલક્ષીને કેટલાકે પ્રતિક્રમણની આદિમાં, તે કેટલાક અંતે કરે છે. પછી પૂર્વની જેમ કાઉસ્સગ્ન પારીને, (અંતિમ) મંગલ માટે ઉપર (પ્રગટ) લેગસ્સ કહીને, માંડલીમાં બેસીને, સાવધાન મનથી બે ખમાસમણ દેવાપૂર્વક પિરિસી સુધી મૂળ વિધિ પ્રમાણે સ્વાધ્યાય કરે. ૧૫ અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “ પહેલાં કહ્યું કે પ્રતિક્રમણ પંચાચારની વિશુદ્ધિ માટે છે, અને તેના હેતુઓ જણાવ્યા તેમાં તે તે તે સ્થાને જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારની જ શુદ્ધિ જણાવી, તષાચાર–વીયચારની શુદ્ધિ માટે કોઈ અધિકાર જણાવ્યું નહિ, આથી પહેલાં પ્રતિક્રમણથી પંચાચારની શુદ્ધિ થાય છે–એમ કહ્યું તે ખેટું ઠરે છે તેનું શું?” એના સમાધાનમાં ગુરુ જણાવે છે કે-“હે શિષ્ય! તમારું કથન બરાબર નથી, કારણ કે તપાચાર–વીયચારની શુદ્ધિ જ્ઞાનાચારાદિની શુદ્ધિથી ભિન્ન નથી, જ્ઞાનાચારાદિની શુદ્ધિ સાથે જ તેની પણ શુદ્ધિ થાય છે, તે આ રીતિએ કે- સાંજે સાધુ ચોવિહારનું અને શ્રાવક પણ વિહાર વગેરેનું કોઈ પચ્ચકખાણ કરે છે તથા સવારે પણ ઉત્કૃષ્ટ છમાસી તપથી જઘન્ય યાવત્ નમુક્કારસહિત સુધીમાં કઈ પચ્ચકખાણ કરે છે, એનાથી તપાચારની શુદ્ધિ તે સ્પષ્ટ છે જ, તેમ વિધિપૂર્વક–પિતાની શક્તિ(બળ-વીય)ને છૂપાવ્યા વિના પ્રતિક્રમણની ક્રિયા કરનારને વીચારની શુદ્ધિ ૧૧૫. વર્તમાનમાં-સ્વાધ્યાયને સ્થાને પૂર્વાચાકૃત સજઝાય બલવામાં આવે છે અને તે પછી ખમાસમણુપૂર્વક દુઃખક્ષય-કર્મક્ષય કરવા માટે કાઉસ્સગ્ન કરવામાં આવે છે, તેમાં સંપૂર્ણ ચાર લોગસ્સ ચિંતવીને, એક જણ કાઉસ્સગ્ન પારી શાન્તિને માટે શ્રીમાનદેવસૂરિ “લઘુશાંતિ સ્તોત્ર બોલે છે, તેને બીજાઓ કાઉસગ્નમુદ્રાએ જ સાંભળે છે. તે પછી કાઉસ્સગ્ન પારી, ઉપર પ્રગટ લેગસ્સ કહી , પ્રતિકમણ સમાપ્ત કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy