SearchBrowseAboutContactDonate
Page Preview
Page 639
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં૦ ભા. ૧-વિ૦ --ગાઃ 4 આથી ચારિત્રની વૃદ્ધિ (શુદ્ધિ) માટે અને ક્ષાને ઉપશમાવવા માટે, “મારગ ૩૪કાપs' વગેરે ત્રણ ગાથા દ્વારા (આચાર્યાદિ સમુદાયને, સર્વ શ્રમણસંઘને તથા સકલ જીવરા. શિને ખમાવીને) કષાયોને ત્યાગ કરે. તે પછી “રિમાણુ' એટલે પ્રતિક્રમણથી શુદ્ધ નહિ થયેલા એ શાસ્ત્રવચનને અનુસારે (પ્રતિક્રમણ કરવા છતાં રહી ગયેલા) ચારિત્રના અતિચારેની શુદ્ધિ માટે કાઉસ્સગ્નની ઈચ્છાવાળે “મિ મતે’! વગેરે ત્રણ સૂત્રે બલીને કાઉસગ્ગ કરે. અહીં સામાયિક સૂત્ર ( “મિ મરે!) કહેવામાં એ હેતુ છે કે સર્વ ધર્માનુષ્ઠાને સમતાભાવે કરવાથી સફલ થાય, એ કારણે પ્રતિક્રમણની આદિમાં, મધ્યમાં અને અંતમાં, ત્રણ વાર પુનઃ પુનઃ સમતાની સ્મૃતિ માટે બોલવાથી તે અવશ્ય સમતાની વૃદ્ધિનું કારણ બને છે. કહ્યું છે કે " आइमकाउस्सग्गे, पडिकमणे ताव काउं सामइकं । तो किं करेइ बीअं, तइअंच पुणो वि उस्सग्गे ? ॥१६९५॥" " समभावंमि ठिअप्पा, उसग्गं करिअ तो अ पडिकमइ।। एमेव य समभावे, ठिअस्स तइ पि उस्सग्गे ॥१६९६॥" ." सज्झायझाणतवओसहेसु उवएसथुइपयाणेसुं। સંતકુળિયું, ન હુંતિ પુરાણા કાળા” (ાવ નિવું) ભાવાથ–પ્રશ્ન-“પ્રતિક્રમણમાં પહેલા કાઉસગ્નમાં શનિ !' સૂત્રથી સામાયિક કરવા છતાં બીજી વાર શા માટે કહે ? અને પુનઃ કાઉસગ્ગ વખતે ત્રીજી વાર પણ કેમ કહે ? (વારંવાર એક પાઠ બોલવાથી પુનરૂક્ત દોષ કેમ ન ગણાય?” “ઉત્તર-જે પ્રમાણે સામા વિકસૂત્ર બોલીને સમભાવમાં રહેલે આત્મા કાઉસ્સગ કરે, તે પ્રમાણે જ ( સામાયિકસૂત્ર દ્વારા) સમભાવમાં સ્થિર થઈને પ્રતિક્રમણ કરે, (વંદિત્ત બોલે) અને એ જ પ્રમાણે સમભાવમાં સ્થિર થવા માટે કાઉસ્સગ્ન કરતાં પહેલાં પુન: ત્રીજી વાર બોલે.” “સ્વાધ્યાય, ધ્યાન તપ તથા ઔષધ કરવામાં, ઉપદેશ દેવામાં, સ્તુતિ કરવામાં અને તેના ગુણ ગાવામાં એકજ ક્રિયા પુનઃ પુના કરવા છતાં પુનરૂત દેષ ગણતો નથી (ઊલટું, વિશેષ લાભ થાય છે.” કાઉસગ્નમાં ચારિત્રાચારની વિશુદ્ધિ માટે “વહુ નિબયgro’ સુધી એ લેગસ્સ ચિંતવા, પારીને પ્રગટ લગ્નસ્સ કહે. અહીં પ્રગટ લેગસ્ટ” દશનાચારની શુદ્ધિ માટે જાણ. સમ્યગ. દર્શનના એ જ જીવનું જાણપણું સમ્યજ્ઞાનરૂપ બને છે, નહિ તે તે અજ્ઞાનરૂપ છે, અર્થાત જ્ઞાનને સમ્યગ બનાવનાર દર્શન છે, એમ જ્ઞાનથી દર્શનની મહત્તા વધુ હોવાથી, દર્શનાચારની શુદ્ધિ માટે, પહેલાં આ ભરતમાં જ થયેલા આસન ઉપકારી એવા વર્તમાન ચોવીસીના શ્રી ષ. ભદેવ આદિ ચોવીસેય તીર્થકરોની સ્તુતિ માટે પ્રગટ લેગસ્સ કહેવાને છે, “વત્રો અદિત જેના વગેરે કહીને તે દર્શનાચારની જ વિશુદ્ધિ માટે કાઉસ્સગ્નમાં (જુ નિમા ” સુધી) એક લોગસ્સનું ચિંતન કરાય છે, તે પછી પૂર્વની જેમ પારીને શ્રીસામાયિકસૂત્રથી માંડીને ચૌદ પૂર્વ સુધીના શ્રુતજ્ઞાનરૂપ જ્ઞાનાચારની વિશુદ્ધિ માટે પુરઉદ્ધી સુત્ર, પુઅર માવો ન થાયણ, મથs વગેરે કહીને ( ૬ મિ . સુધી, એક લોગસના ચિંતનરૂપ કાર્યોત્સર્ગ કરે, પછી પૂર્વની જેમ પારીને જ્ઞાનાચાર, દશનાચાર અને ચારિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy