SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - પ્ર૦ ૩-દિનચર્યા–મતિના પ્રારંભમાં ઈરિવિધાન: દેવવન્દનના ૧૨ અધિકાર] પદ " दव्यच्चणे पवित्ति, करेइ जह काउं बज्झतणुसुद्धि । भांवच्चणं तु कुजा, तह इरिआए विमलचित्तो ॥३॥" (चैत्य बृहद्भाष्य) ભાવાર્થ “જે ગમન-આગમનાદિ કર્યું હોય તે તેની (ઈરિયાવહિ દ્વારા) આલેચના કરીને, હા! મારાથી છેટું થયું'—એમ નિન્દા તથા ગહ કરીને અને તે મારું પાપ મિથ્યા થાઓ'—એમ કહીને (૧). તથા “તસઉત્તરી' વગેરે પાઠ કહીને કાઉસગ્ગથી તે પાપને અનુરૂપ કાઉસ્સગ્ગ' નામનું પ્રાયશ્ચિત્ત કરીને, (શુદ્ધ થયેલે આત્મા) તે પછી ઉપગપૂર્વક આત્માને હિત કરનારાં ચૈત્યવન્દન વગેરે અનુષ્ઠાન કરે (૨). જેમ દ્રવ્યપૂજનમાં, સ્નાનાદિથી શરીરાદિની બાહ્ય શુદ્ધિ કરીને પ્રવૃત્તિ કરવામાં આવે છે, તેમ ઈરિયા પથિકી પ્રતિક્રમણ દ્વારા આત્માની (અત્યંતર) શુદ્ધિ કરીને નિર્મલચિત્તવાળા થઈને (ચૈત્યવંદનાદિ)ભાવ-અનુષ્ઠાન કરવું જોઈએ(૩).” - ઈત્યાદિ આગમવચનથી પ્રતિક્રમણમાં પણ પહેલાં ઈરિયા પથિકી પ્રતિક્રમણ કરે. ઈરિયાવહિ૦ પ્રતિક્રામતાં મનથી તેમાં ઉપયોગ રાખીને (એકાગ્ર થઈને) પગ મૂકવાની (ઊભા રહેવાની) ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન કરે, એમ ઈરિયાપથિકી પ્રતિક્રમણ કરીને સાધુ કે સામાયિકવાળો શ્રાવક શરૂઆતમાં દેવવન્દન કરે. દેવવન્દન કરવાનું કારણ એ છે કે-દરેક અનુષ્ઠાને, શ્રીદેવ-ગુરૂને વન્દન કરવા રૂપ વિનય–બહમાન વગેરે ભક્તિપૂર્વક કરવાથી સફલ થાય છે. કહ્યું છે કે " विणयाहीआ विज्जा, दिति फलं इह परे अ लोगंमि । न फलंति विणयहीणा, सस्साणि व तोयहीणाणि ॥१॥" મ7 વિવેvi, વિનંતિ gવરિશા વામ.. आयारिअनमुकारेण, विज्जा मंता य सिझंति ॥२॥" ભાવાર્થ-જેમ પાણી વિના ધાન્ય ઉગતાં નથી, તેમ વિદ્યા પણ વિનય વિના મેળવેલી ફળતી નથી. વિનયપૂર્વક મેળવેલી વિદ્યા જ આ લેક અને પરલોકમાં ફળ આપે છે (૧).” (તેમાં) પૂર્વે સંચિત કરેલાં (પ્રાચીન) કર્મો શ્રીજિનેશ્વરાની ભક્તિથી ખપે છે અને વિદ્યા તથા મંત્ર આચાર્ય(ગુરુ)ને નમસ્કાર કરવાથી સિદ્ધ થાય છે (૨).” માટે પહેલાં દેવ-ગુરૂને વન્દન કરવું જોઈએ. દેવવન્દનના બાર અધિકારો આ પ્રમાણે છે " पढमहिगारे वंदे, भावजिणे बीअए उ दव्वजिणे । इगचेइअठवणजिणे, तइए चउत्थंमि नामजिणे ॥४२॥" " तिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छढे । सत्तमए सुअनाणं, अट्ठमए सव्वसिद्धथुई ॥४३॥" " तित्थाहिववीरथुई, नवमे दसमे अ उज्जयंतथुई । अट्ठावयाइ एगदसि, सुदिद्विसुरसमरणा चरिमे ॥४४॥" “ નમુ-ગ ગગગરિફં-ૌ-સંવ-કુરિવર્તમ-સિદ્ધ-નો સેવા fઝ-વત્તાયાવિશ દિપારદમપયા ૪”(વૈરાગ્યાથ૦) ભાવાર્થ-“પહેલા અધિકારમાં “નમેલ્થ શુંપદથી “જિઅભયાણું” સુધીના પાઠથી ભાવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy