________________
[ ધo સં૦ ભા. ૧-વિ.૧-ગા, ૪-૧૪ અહીં જે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું અનુષ્ઠાન તેને ધર્મ કહ્યો, તે પણ ઉપચારથી સમજવું. આવી ઉપચરિત વ્યાખ્યાઓ સાહિત્યમાં હોય છે. જેમકે-“નવલ નામની વનસ્પતિવાળું પાણી પગે લાગવાથી રોગ થાય છે, માટે તે વનસ્પતિનું પાણી પાદરેગ કહેવાય છે. ”
કૃd fસ ” “ધી એ જીવવાનું કારણ છે માટે “ઘી એ જીવન” કહેવાય છે. આમાં વસ્તુતઃ. નવલનું પાણી એ કઈ રેગ નથી, પણ પગના રેગનું કારણ છે. ઘી એ જીવન નથી, પણ
જીવનનું કારણ છે. આમ છતાં કારણમાં કાર્યને ઉપચાર કરી તેને જ કાર્યરૂપે વ્યપદેશ કરવામાં આવ્યું છે. આવા વ્યપદેશ-કથનને ઉપચરિત-કથન કહેવાય છે. અહીં પણ અવિરુદ્ધ આગમવચનને અનુસરતું અનુષ્ઠાન તે સ્વરૂપે ધર્મ નથી, પણ ચિત્તની શુદ્ધિ-પુષ્ટિરૂપ ભાવધર્મનાં કારણરૂપે વ્યવહારધર્મ છે, અર્થાત્ કારણને પણ કાર્ય માનીને ઉપચારથી ધર્મ કહેવામાં આવ્યા છે. એ રીતે વ્યવહારધર્મ અને ભાવધર્મ બંનેનાં લક્ષણ કહ્યાં. કારણરૂપ દ્રવ્યધર્મમાં કારણરૂપે ભાવધર્મને અંશ હોય છે, માટે ઉપચાર કરી શકાય છે. આ અંશ જેમાં ન હોય તેમાં તેને ઉપચાર કરી શકાતું નથી. દ્રવ્યધર્મ અને ભાવધર્મ અને પરસ્પર સાપેક્ષ છે, તે વાત પ્રસિદ્ધ છે; અર્થાત્ દ્રવ્યધર્મની અપેક્ષાએ જ તેના કાર્યને ભાવધર્મ અને ભાવધર્મની અપેક્ષાએ જ તેના કારણને દ્રવ્યધર્મ કહ્યો છે. આ રીતે કાર્ય–કારણરૂપ બને પરસ્પર-એકબીજામાં રહ્યા છે.
આ રીતે ધર્મનું લક્ષણ બતાવ્યું. હવે તે જ ધર્મના ભેદ–પિટાભેદોને કહે છે. मूळ-“स द्विधा स्यादनुष्ठात-गृहिबतिविभागतः।
सामान्यतो विशेषाच्च, गृहिधर्मोऽप्ययं द्विधा ॥४॥" એ રીતે પૂર્વગાથામાં જેનું લક્ષણ જણાવ્યું તે ધર્મના તેના કારક “ધમી ના ભેદે ગૃહસ્થધર્મ અને યતિધર્મ–એમ બે પ્રકાર છે. તેમાં ઘર જેને હોય તે ગૃહી, અને દરરોજ કે વિશિષ્ટ પર્વ આદિ નિમિત્ત પામીને તેનાથી કરાતું નૈમિત્તિક અનુષ્ઠાન, કે જેનું વર્ણન આ ગ્રંથના પહેલા ભાગમાં કહેવાનું છે, તે ગૃહસ્થ ધર્મ તથા વ્રત એટલે મહાવતે જેનામાં હોય તે વ્રતી (યતિ) અને તેને ચરણસિત્તરી-કરણસિત્તરી ધર્મ, કે જેનું સ્વરૂપ આ ગ્રંથના બીજા ભાગમાં ગ્રંથકારશ્રીએ વર્ણવ્યું છે, તે યતિધર્મ. તેમાં ગૃહસ્થ ધર્મ, કે જે પ્રથમ વર્ણવવાનું હોવાથી પ્રત્યક્ષરૂપે હૃદયગત છે, તેના પણ ગૃહસ્થની સામાન્ય અને વિશેષ અવસ્થાના ભેદે સામાન્યધર્મ અને વિશેષ ધર્મ-એમ બે પ્રકારે છે. તેમાં વિશિષ્ટ-ભિન્ન ભિન્ન દર્શનવાળા ધમી મનુષ્યનું સર્વસાધારણ અનુષ્ઠાન તે ગૃહસ્થને સામાન્ય ધર્મ અને જૈનદર્શનાનુસાર સમ્યક્ત્વ–પામિપૂર્વક અણુવ્રતાદિ ગ્રહણ કરવારૂપ શ્રાવકનું અનુષ્ઠાન તે વિશેષ ધર્મ સમજે. આ પ્રમાણે ગૃહસ્થ ધર્મના બે ભેદે જણાવ્યા, તેમાં પહેલા સામાન્ય ધર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે દશ શ્લોક દ્વારા વર્ણવે છે. मूळ-" तत्र सामान्यतो गेहिधर्मों न्यायार्जितं धनम् ।
वैवाह्यमन्यगोत्रीयैः, कुलशीलसमैः समम् ॥५॥ " शिष्टाचारप्रशंसारिषड्वर्गत्यजनं तथा । इन्द्रियाणां जय उप-प्लुतस्थानविवर्जनम् ॥६॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org