________________
ધર્મનું સ્વરૂપ ] દંડબળે અને પછી ભૂમિના બળે દડ વિના પણ ભમે છે, તેમ વચનાનુષ્ઠાન વચનબળે થનારું છે અને અસંગ-અનુષ્ઠાન તે તેના સતત અભ્યાસના બળે પ્રીતિ, ભક્તિ કે વચનનાં આલંબન વિના કેવળ આત્માના સહજસ્વભાવમાં રમણતાપૂર્વક થનારું છે. એ રીતે પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગઅનુષ્કાને ભિન્ન ભિન્ન પ્રકારનાં હાઈ એકનું લક્ષણ બીજામાં ન ઘટે તે પણ દોષ જેવું કાંઈ નથી.
વળી પ્રસ્તુત અધિકારમાં તો “વચનાત' પદમાં પંચમી વિભક્તિ પ્રત્ય-પ્રાજક સંબંધના–અર્થમાં રહેવાથી (જિન) વચન જે અનુષ્ઠાનનું પ્રત્યેજક છે–પ્રેરક છે, તે અનુષ્ઠાનને ધર્મ કહેવાય છે. એ વ્યાખ્યા કહેલી હોવાથી પ્રીતિ, ભક્તિ અને અસંગ-અનુષ્ઠાનમાં પણ આગમવચન પ્રેરકરૂપે તે છે જ, તેથી બધાય અનુષ્ઠાનેમાં આ વ્યાખ્યા ઘટે છે, અર્થાત તે ચારે ય અનુછાનેમાં આ વ્યાખ્યા ઘટતી હોવાથી બધાય પ્રકારે ધર્મરૂપ છે. વધુમાં જણાવ્યું છે કે
“ ઘશ્ચિત્તામવો, થતા શિયાધિara #ાર્થક
મવિનૈિતત વહુ, gષ્ટથાતિમા વિશ્લેય: રા” " रागादयो मलाः खल्यागमसद्योगतो विगम एषाम् ।
તાં ચિત્ત વિ હિં, પુષ્ટિ કૃષિ ચિત્તરા ફા” " पुष्टिः पुण्योपचयः, शुद्धिः पापक्षयेण निर्मलता।
અનુવન્જિનિ દશેડમિન, રમેળ મુક્તિ પા પા પાછા” (શ્રીરાજ-૩).
ભાવાર્થ-“રાગ––મેહાદિ ચિત્તને મેલ ઘટવાથી પુષ્ટિ તથા શુદ્ધિવાળા ચિત્તને જે પ્રાદુર્ભાવ તે ભાવધર્મ, અને તે નિર્મળ ચિત્ત દ્વારા કાયિક પ્રવૃત્તિ થાય તે વ્યવહારધર્મ પુનઃ તે કાયિક પ્રવૃત્તિદ્વારા ચિત્તશુદ્ધિ પ્રગટે તે ભાવધર્મ અને તે ભાવધર્મ દ્વારા હિપાદેય તત્ત્વમાં ત્યાગ અને આદરરૂપ પ્રવૃત્તિ થાય તે વ્યવહારધર્મ. રાગ-દ્વેષ–હાદિ એ ચિત્તને મેલ છે. તેને ઓળખીને શુદ્ધ ચિત્તપૂર્વક ક્રિયા કરવાથી તે દૂર થાય છે. એ દૂર થવાથી ચિત્તની શુદ્ધિ અને પુષ્ટિ થાય તે ભાવધર્મ છે. અહીં શુભ પુણ્યકર્મને સંચય તે પુષ્ટિ અને અશુભ જ્ઞાનાવરણીયાદિ કર્મોની નિજર તે શુદ્ધિ સમજવી. આ બને પરંપરાએ વધતાં કેમે કરીને આત્માની કર્મથી સંપૂર્ણ મુક્તિ થાય વગેરે.”
શ્રીડશક ગ્રંથના અનુસારે તે આવું પુષ્ટિ-શુદ્ધિમતું ચિત્ત તે ભાવધર્મ સમજ અને તે ચિત્તને અનુસરતી પ્રવૃત્તિ-કિયા તે વ્યવહારધર્મ સમજ. આ ભાવધર્મ અને વ્યવહારધમને નિષ્કર્ષ જાણ. પૂ. મહોપાધ્યાયજી શ્રીમાન વિજયજી ગણિવરે સ્વકૃત કાત્રિશિકામાં પણ આ રીતે જ ધર્મનું લક્ષણ બતાવ્યું છે કે –
શુદ્ધ અનુષ્ઠાન દ્વારા કર્મમેલ દૂર થવાથી પ્રગટ થયેલી અને સમ્યગદર્શનાદિ ગુણો જે મોક્ષનાં કારણ છે, તેના લાભ થવારૂપ ફળવાળી જે જીવશુદ્ધિ. તે જ ધર્મ.” - ૧૨. ચિત્તની શુદ્ધિ-પુષ્ટિ વિના કેવળ કાયિક-વાચિક પ્રવૃત્તિમાં જ ધર્મ માનવે તે અયોગ્ય છે, તેમ જ ચિત્તશુદ્ધિમાં કારણભૂત કાયિક-વાચિક પ્રવૃત્તિ વિના માત્ર મનશુદ્ધિ એ જ ધર્મ માની લેવો, તે પણ અયોગ્ય જ છે. આ રીતે વ્યવહાર અને નિશ્ચય બન્ને પસ્પર સાપેક્ષ છે. એકલી બાહ્યક્રિયામાં કે કેવળ મનની નિર્મળતામાં જ ધર્મ સમજનારા ભ્રાન્ત છે-વસ્તસ્વરૂપથી અજ્ઞાત છે.
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org