________________
[સંo ભા૧-વિ૦ ૧-ગા, ૩ +[તેમાં ૧–પ્રાણી માત્ર પ્રત્યે “સ્નેહના પરિણામ તે મિત્રી, ૨-આપણા કરતાં અધિક ગુણવાળા વડીલે પ્રત્યે નમન આદિથી અને લઘુ (નાના) પ્રત્યે પ્રસન્નતાદિથી જણાવાત “હાર્દિકે ભક્તિરાગ” તે પ્રમેહ, ૩–દીન-દુઃખી–રેગી વગેરે પ્રતિ “દયાની અને દુઃખ ફેડવાની લાગણી તે કરુણ અને ૪-અયોગ્ય આત્મા પ્રત્યે “રાગ-દ્વેષને અભાવ તે માધ્યશ્મ-એમ કહ્યું છે. ]
સકલ વાસ્તવિક પદાર્થ સમૂહને જાણવામાં કુશળ બુદ્ધિશાળી મહર્ષિઓએ “દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારી રાખે” અને “સ્વર્ગાદિ સુગતિમાં ધાન કરે (એટલે પહોંચાડે),” તેને ધર્મ કહ્યો છે. આ રીતે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું, દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવસાપેક્ષ, મૈત્રી, પ્રમદ, કરુણુ અને ઉપેક્ષાભાવયુક્ત, જેની હેયે પાદેયને ત્યાગ કરવા તથા ગ્રહણ કરવારૂપ બાહ્ય પ્રવૃત્તિરૂપ અનુષ્ઠાન તે જ ધર્મ હોઈ શકે છે. આવા વિશિષ્ટ ધર્મ વિના જેમ-તેમ થતાં અનુષ્ઠાને દુર્ગતિથી બચાવવા કે સદ્ગતિ પ્રાપ્ત કરાવવા સમર્થ થતાં નથી, માટે તે ધર્મ કહેવાય નહિ.
[ અહીં શિષ્ય શંકા કરે છે કે-“આ રીતે તે શાસ્ત્રમાં પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ-એ ચારે ય પ્રકારનાં અનુષ્ઠાનને ધર્મ કહ્યો છે, તે અસત્ય કરે છે અને માત્ર “વચનઅનુષ્ઠાન એક જ ધર્મ-એમ નક્કી થાય છે. તેને જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કેતમારી શંકા અઘટિત છે, કારણ કે–તમે કહો છો તેમ માત્ર વચનાનુષ્ઠાનને અહીં ધર્મકહેવામાં નથી આવતું, પણ આગમવચન જેમાં પ્રેરક પ્રોજક હોય તેવી કઈ ક્રિયા-અનુષ્ઠાન રૂપ વ્યવહારને ધર્મ કહીએ છીએ. એટલે પ્રીતિ, ભક્તિ આદિ અનુષ્ઠાને પણ આગામવચનની પ્રેરણાવાળાં હોવાથી આ વ્યાખ્યા પ્રમાણે ધર્મરૂપ જ છે.]
. જો કે વાસ્તવિક રીતિએ તે ચારે ય અનુષ્ઠાનનું લક્ષણ જુદું જુદું હોવાથી એકનું લક્ષણ બીજમાં ન ઘટે તે બનવાજોગ છે, કારણ કે–પ્રીતિપણું અને ભક્તિપણું આત્માની ઈચ્છાના પ્રકારરૂપ છે. પ્રીતિમાન અને ભક્તિવંત આત્માની ક્રિયા તેનામાં રહેલી પ્રીતિ અને ભક્તિના ગે થતી હોવાથી પ્રીતિ અને ભક્તિ અનુષ્ઠાને વચન–અનુષ્ઠાનથી જુદાં પડે છે. વચન–અનુષ્ઠાન આગમવચનના સ્મરણપૂર્વક હેઈ તદનુસાર ચક્કસ પ્રવૃત્તિરૂપ છે, તેમાં આગમવચનથી આઘીપાછી (જૂનાધિક) પ્રવૃત્તિ હોતી નથી. અર્થાત્ વચનાનુષ્ઠાનમાં આગમવચનનું નિયંત્રણ (મર્યાદા) છે, જ્યારે પ્રીતિ એટલે આદર અને ભક્તિ એટલે પૂજ્યભાવ, તેમાં આગમવચન નિયામક બની શકતું નથી. સ્ત્રી અને માતા પ્રત્યે જેમ હૃદયને અલગ ભાવ હોવા છતાં બન્નેનું પાલન કરવામાં ભેદ હેતે નથી, તેમ અહીં પણ આગમવચનની પ્રેરણા છતાં જે અનુષ્ઠાનમાં આદર-પ્રીતિ મુખ્ય હોય છે, તે પ્રીતિ-અનુષ્ઠાન કહેવાય છે અને જે ક્રિયામાં આદર સાથે પૂજ્યભાવ મુખ્ય હોય છે, તે ભક્તિ-અનુષ્ઠાન કહેવાય છે. આ બન્ને અનુષ્ઠાનમાં આગમવચનની પ્રેરણુ–પ્રોજકપણું હોવા છતાં તેનું નિયંત્રણપણું નથી. એટલે કેઆગમવચનથી યૂનાધિક પ્રવૃત્તિ પણ સંભવિત હોઈ આ બન્ને અનુષ્કાને ઘણા અતિચારવાળાં હોય છે, જ્યારે વચન-અનુષ્ઠાન આગમવચનની નિયંત્રણાવાળું હોવાથી તેમાં અતિચાર બહુ અલ્પ અને સૂમ હોય છે. નિશ્ચયનયથી વચનાનુષ્ઠાન મુનિ સિવાય (છઠ્ઠાથી) નીચેના ગુણસ્થાને હઈ શકતું નથી. આ રીતે પ્રીતિ, ભક્તિ અને વચન-અનુષ્ઠાનમાં સ્વરૂપે ભેદ છે અને એ ત્રણથી પણ ભિન્ન અસંગ-અનુષ્ઠાન છે, કે જે વચનાનુષ્ઠાનના અતિ અભ્યાસરૂપ છે. જેમ કુંભારને ચાક પ્રથમ
+ આવા [] કાટખૂણામાંનું લખાણ પૂ. મહાપાધ્યાય શ્રીયશોવિજયજી ગણિવરનું હેવાની માન્યતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org