SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું સ્વરૂ૫] ભવ્યત્વાદિ સાધનસામગ્રી પણ સર્વને એકસરખી હોતી નથી. આમ દ્રવ્ય-ક્ષેત્ર–કાલ–ભાવથી વિચિત્રતામય જગતમાં કઈ પણ અનુષ્ઠાન સર્વ જી સર્વ ક્ષેત્રમાં સર્વદા સરખી રીતિએ કરી શકે નહિ; માટે જે જીવને જે ક્ષેત્રમાં, જે કાળે, જે અધ્યવસાય કે સામગ્રી મળી હોય, તેને અનુરૂપ “શક્ય અનુષ્ઠાનનું વિધાન” કરેલું હોય તે જ ૧°યાદિત હોવાથી ધર્મ કહેવાય. વળી પણ ધર્મનું સ્વરૂપ બતાવતાં કહે છે કે-મથામાવમિથા સમસ્ત પ્રાણુઓ પ્રત્યે મૈત્રી, ૨. ગુણાધિક આત્માઓ પ્રત્યે ભક્તિરાગરૂપ પ્રમાદ, ૩. દુઃખી છે પ્રત્યે કરુણુ અને ૪. જેને સુધારી શકાય તેમ ન હોય તેવા અવિનયાદિષથી દુષ્ટ આત્માઓ પ્રત્યે માધ્યચ્યભાવ–ઉપેક્ષાવાળું અંતઃકરણ-હદય, તે તે મૈત્રી આદિ ભાવે છે. જે બાહ્ય અનુષ્ઠાન આવા ભાવપૂર્વકનું હોય તે ધર્મ કહેવાય, કારણ કે-મૈત્રી, પ્રમેહ, કરુણુ અને ઉપેક્ષારૂપ ચારે ય ભાવનાઓને અવશ્ય ક્ષફળની પ્રાપ્તિ કરાવનાર ધર્મરૂપ કલ્પવૃક્ષના મૂળ તરીકે શાસ્ત્રોમાં જણાવી છે. જેમ મૂળ વિના વૃક્ષ કે ફળ ન હોય, તેમ આ મિથ્યાદિ ભાવરૂપ મૂળ વિના ધર્મરૂપી વૃક્ષ ન જ હોય, તે મેક્ષફળ મળે જ ક્યાંથી? ૧૦. શ્રીજિનેશ્વરદેએ ભાસકલ્પવિહારાદિ કેઈ કાર્યનું એકાતે વિધાન કે નિષેધ કર્યો જ નથી. તેઓની સ્પષ્ટ આજ્ઞા એ છે કે-જેમ સમ્યગદર્શનાદિ ગુણો પ્રગટે તેમ અશષ્પરિણમી બનવું જોઈએ. મનુષ્યપણું દુર્લભ છે અને તેમાં ય શ્રીજિનેશ્વરદેવનાં વચનની પ્રાપ્તિ મહાદુર્લભ છે, માટે વિશુદ્ધ ભાવથી જેમ જ્ઞાનીની આજ્ઞાનું પાલન થાય તેમ પ્રયત્ન કરવો જોઈએ. જેમ રોગીને જે જે ઔષધાદિ ઉપચારોથી રેગ દૂર થાય તે જ સાચું ઔષધ છે, તેમ જે અનુષ્ઠાન-પ્રવૃત્તિથી અનાદિસહચર મિથ્યાત્વાદિ દે આત્મામાં ઓછા થાય તે જ તેને માટે મેક્ષને સારો ઉપાય છે. (શ્રીઉપદેશ પદ-ગા. ૭૭૯ થી ૭૮૨) આથી વિપરીત ( એટલે જૂનાધિક ) પ્રવૃત્તિ કરવી તે વાસ્તવિક ધર્મ તે નથી, પણ પિતે જે ધર્મ કરે છે તેના પ્રત્યે જ ઠેષનું તે પરિણામ છે. શ્રીગબિન્દુ ગાઢ ૨૪૦ માં જણાવ્યું છે કે–“જે આત્મા ચિત્યવંદનાદિ કરણીય અનુછામાં આગમવચનનું ઉલ્લંઘન કરીને તે જ આગમના નામે સ્વેચ્છાએ (યથેચ્છ) પ્રવૃત્તિ કરે છે, તે જડ-મૂઢ તે તે અનુષ્ઠાન કર્તા હોવા છતાં નિયમાં તેને દેવી છે. પૂ. ક્ષમાશ્રમણ શ્રીધર્મદાસગણિએ પણ શ્રીઉપદેશમાલા ગા. ૫૦૪ માં કહ્યું છે કે-“જે શ્રીજિનેશ્વર ભગવાનની આજ્ઞાને અનુરૂપ દ્રવ્ય-ક્ષેત્રાદિને અનુસરીને પ્રવૃત્તિ નથી કરત (ઊલટી રીતે કરે છે), તેના જેવો મિથ્યાદષ્ટિ બીજો કોણ છે ? અર્થાત્ કોઈ નથી. કારણ કે-તે આગમવચનથી વિપરીત વર્તન કરીને બીજા આત્માઓને આગમવચનમાં શંકાદિ દોષો ઉત્પન્ન કરતે સ્વ-પર મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર છે.” માટે અવિરુદ્ધ આગમવચનને અનુસરતું દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવસાપેક્ષ જે અનુષ્ઠાન તે જ ધર્મ કહેવાય. ૧૧. જે હૃદયગત મૈત્રી આદિ ભાવ ન જ હોય તે બાહ્ય અનુદાન ગમે તેવું હોય તે પણ તે ધર્મ બને નહિ, કારણ કે-જેને મૈત્રીભાવ નથી તે આત્મા ધર્મક્રિયા કરવા છતાં વૈરભાવને શમાવી શકે નહિ, જેને ગુણને રાગ નથી તે કદી પિતે ગુણું બની શકે નહિ, જેને બીજાનાં દુઃખની લાગણું નથી તેને પિતાનાં પણ ભાવિ દુઃખનું ભાન થઈ શકે નહિ અને તેથી ઉન્માર્ગથી બચી શકે નહિ. તેમ જ ના કર્મજન્ય દેશે કે જેને સુધારવાને કોઈ ઉપાય નથી, તેની જે ઉપેક્ષા કરી શકે નહિ પણ ઊલટે દેષ કરે કે બલાત્કારે તેને સુધારવા પ્રયત્ન કરે, તે તે સુધારવાને બદલે ઊલટે વધારે બગાડે, પરિણામે અતિપ્રવૃત્તિ દોષથી પિતાને અશુભ સ્થાનની વૃદ્ધિ અને કર્મને બંધ જ થાય માટે આ ચારે ય ભાવનાઓ સંસારનો છેદ કરનાર ધર્મની પ્રથમ ભૂમિકારૂપે અથવા ધર્મનાં મૂળરૂપે છે. દરેક ધર્મી આત્માએ આ ચાર ભાવનાઓને પોતાનાં જીવનમાં યથાશય પ્રગટ કરવાની ખાસ આવશ્યકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy