________________
પ૭૪
[ ધ સં૦ ભાવ ૧-વિ૦ ૨-ગા૦ ૬૫ “ પતિ પ્રતિ વર્ષનું વા, સુમેરૂ પીને મોક્ષng
निःशल्यस्य यतेर्यत , तद्वा ज्ञेयं प्रतिक्रमणम् ॥१॥" ભાવા–“માયા વગેરે શલ્યરહિત સાધુનું ક્ષફળ આપનારા શુભ યોગેની પાસે-પાસે થવું (નજીકમાં જવું), તે “પ્રતિક્રમણ જાણવું
એ પ્રમાણે “પ્રતિક્રમણ” શબ્દની વ્યાખ્યા કહી. તે “ભૂત, ભવિષ્ય અને વત્તમાન” ત્રણેય કાળ(નાં પાપકમ)નું થાય છે. અહીં શિષ્ય પૂછે છે કે- ‘પ્રતિક્રમણ તે ભૂતકાળનું જ થઈ શકે, કારણ કહ્યું છે કે- એ કામ, વરૂણને સંવમ, અrriાથે થાણામિ-અર્થ-“ભૂતકાલીન (પાપનું ) હું પ્રતિક્રમણ કરૂં છું', વર્તમાનકાલીન (પાપને ) રોકું છું અને ભવિધ્યકાલીન (પાપને) ત્યાગ કરૂં છું. એમાં “પ્રતિક્રમણ” તે ભૂતકાળને અંગે જ કહ્યું છે, તે ત્રિકાળ વિષયક તે કેવી રીતિએ થાય ?' ગુરૂ સામાધાન કરે છે કે-“અહીં પ્રતિક્રમણને (સામાન્ય) અર્થ “અશુભ યુગોથી નિવૃત્ત થવું, (અટકવું) એટલે જ સમજ” કહ્યું પણ છે કે
“मिच्छत्तपडिकमणं, तहेव अस्संजमे पडिक्कमणं।
વસાવા હામ, ગોપાળ કણસાલ્યા ” (માનિ.-૨૧૦) ભાવાથ–“મિથ્યાત્વનું પ્રતિક્રમણ, તેવું જ અવિરતિનું પ્રતિક્રમણ, કષાનું પ્રતિક્રમણ અને અપ્રશસ્ત (દુષ્ટ) ગોનું પણ પ્રતિક્રમણ સમજવું, (અર્થાત કર્મ બંધના તે ચારેય અશુભ હેતુથી અટકવું તે “પ્રતિક્રમણ છે).”
એ વ્યાખ્યાથી, નિન્દા દ્વારા અશુભ યોગથી નિવૃત્ત થવાય ભૂતકાળ સંબંધી, સંવર દ્વારા વર્તમાન અશુભ મેગેથી નિવૃત્ત થવારૂપ વર્તામાનકાળનું, અને પચ્ચકખાણ દ્વારા ભવિકાળ સંબંધી અશુભ યેગથી નિવૃત્ત થવા૫ ભવિષ્યકાળનું, એમ ત્રણેય કાળમાં અશુભ ગોથી નિવૃત્ત થવા રૂપ (અર્થ ઘટે છે માટે) ત્રિકાળ પ્રતિક્રમણ થવામાં કઈ બાધ નથી.
પ્રતિક્રમણ શબ્દને “ત્રિકાળ વિષયક પાછું ગમન કરવું, (પાછા વળવું ) વગેરે અહીં જણાવ્યું તે અર્થ માત્ર વ્યુત્પત્તિરૂપ જાણુ, રૂઢિથી તે પહેલાં કહ્યું તે પ્રમાણે કે સ્થળામાં પ્રતિક્રમણ નામનું ચોથું આવશ્યક અને કેટલાંક સ્થળમાં “છ એ આવશ્યક રૂપ ક્રિયા એ અર્થ કર્યો છે. અહીં જેને વિધિ કહેવાને છે, તે ઉપર કહેલાં ‘છ આવશ્યકની ક્રિયારૂપ પ્રતિક્રમણને જ કહેવાશે-એમ તાત્પયર્થ જાણુ.
આ પ્રતિક્રમણના “દેવસિક, રાત્રિક, પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક (વાર્ષિક) –એમ પાંચ પ્રકારે છે. તેમાં દિવસને અંતે કરવામાં આવે તે પહેલું “દૈવસિક' કહેવાય છે. તેને સમય ઉત્સર્ગ માર્ગે દેવસૂરિકૃત યતિદિનચર્યામાં આ પ્રમાણે કહ્યું છે–
" अद्धनिबुड़े बिंबे, सुसं कड्ढेति गीअत्था।
__ इअ वयणपमाणेणं, देवसिआवस्सए कालो ॥(गा० ३२४)" ભાવાર્થ–“અસ્ત થતો સૂર્ય જ્યારે અડધે બૂલે-અડધે દેખાતા હોય, તે (અસ્ત) સમયે ગીતાર્થો પ્રતિક્રમણુસૂત્ર બેલે છે, એ વચનને અનુસારે દેવસિક પ્રતિક્રમણને કાળ સમજી લે.” (અર્થાત સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણુસૂત્ર બોલી શકાય તેમ પ્રતિક્રમણ શરૂ કરવું)
Jain Education International
For Private & Personal Use Only
*..
*
*
*
*
/
www.jainelibrary.org