SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ પર [ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગા૬૫ કરવી. જેમ કે-“આ આમ હશે કે કેમ?” અથવા “આમ જ છે, આમ નથી જવગેરે તે તે શાસ્ત્ર અર્થોને નિશ્ચય કરે; કારણ કે-ગુરૂમુખે શાસ્ત્રો સાંભળ્યા પછી પણ તેના અર્થોનુંરહસ્યોનું વારંવાર પરિશીલન કર્યા વિના ચિત્તમાં તે અત્યંત દઢ રીતિએ સ્થિર થતાં નથી. મૂલ ગાથા ૬૪ ની ટીકાને અર્થ કહ્યો. હવે સંધ્યાકાલનું કર્તવ્ય કહે છે. मूळ " सायं पुनर्जिनाभ्यर्चा, प्रतिक्रमणकारिता । गुरोविश्रामणा चैव, स्वाध्यायकरणं तथा ॥६५॥" મુલાથ–“સાંજે ફરીથી જિનપૂજા કરવી, પ્રતિક્રમણ કરવું, ગુરૂની વિશ્રામણું કરવી અને સ્વાધ્યાય કર (તે ગૃહસ્થનો વિશેષ ધર્મ છે.).” ટીકાને ભાવા–સાંજે સંધ્યા વખતે (સૂર્યાસ્તથી) અંતમુહર્ત પહેલાં પુનઃ ત્રીજી વાર દેવપૂજન કરવું, તે ગૃહસ્થને વિશેષ ધર્મ છે–એમ વાક્યને સંબંધ જેડ. આગળ-પ્રતિક્રમણ, વિશ્રામણું, અને સ્વાધ્યાય કરવો” વગેરે કહીશું, તે પણ દરેક ગૃહસ્થને વિશેષ ધર્મ છે, એમ સમજી લેવું. એ વિશેષ છે કે-મુખ્ય માર્ગો શ્રાવકે એક વાર ભેજન કરવું જોઈએ. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે “ તુ સદ્ધ ૩, વિહાવશો સામો , રંમવાર તદેવ યા શા(શ્રાદ્ધ ૦િ ૦ ૨૨૫) ભાવાર્થ –“ ઉત્સર્ગમાગે તે શ્રાવક પણ સચિત્ત આહારનો ત્યાગી, એકાશનજી (એકાસણું કરનાર) તથા બ્રહ્મચર્યનું પાલન કરનારો હોય,” છતાં, જે એકાશન ન કરી શકે તે પણ, છેલલી ચાર ૧૧ ઘડી-દિવસને આઠમે ભાગ બાકી રહે ત્યારે ભેજન કરે. રાત્રિની નજીકમાં ( સૂર્યાસ્ત પહેલાં) જમવાથી પણ રાત્રિભેજન રૂપ મહાદેષને પ્રસંગ આવે છે. માટે બે અંતર્મુદતની (ચાર ઘડીની) પહેલાં જ વાળુ કરે, અને બે ઘડી દિવસ બાકી હોય તે પહેલાં સમાપ્ત કરે. તે માટે પણ કહ્યું છે કે વા સ rs aો, મ નો દિલ વિવારસદમે માળે, તો શું સુણાવ ? ” (કવિ - ૦૨૨૬) ભાવાથ–“જે ગૃહસ્થ (શ્રાવક) એકભક્ત (એકાસણું) કરવા અશકત હોય તે તે દિવસને આઠમે ભાગ બાકી રહે ત્યારે સાંજનું ભજન કરી લે.” વાળુ કર્યા પછી શક્તિ પ્રમાણે બીજા દિવસના સૂર્યોદય સુધીનું ‘દિવસચરિમ (ચઉટિવ. હાર આદિ) પચ્ચક્ખાણ કરે, તે પણ મુખ્યતયા તે સૂર્યાસ્ત પહેલાં જ, અને તેમ ન બને તે અપવાદે રાત્રિએ પણ કરે. પચ્ચકખાણ કરીને સૂર્ય અડધે દેખાતો બાકી રહે તે (સૂર્યાસ્ત) પહેલાં જ (ત્રીજી વાર ) શ્રીજિનપૂજા કરે. [ ઉપાઠ-આ પૂજા દીપપૂજા–ધૂપપૂજા જાણવી.] પછી સામાયિક-ચતુર્વિશતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાત્સર્ગ અને પચ્ચકખાણુએ અવશ્ય ૧૧૦. અહીં દિવસને આભો ભાગ એટલે સામાન્ય રીતિએ પિણાચાર ઘડીએ થાય, એ અપેક્ષાએ એ મુહૂર્તને બદલે બે અંતર્મુહૂર્ત' સંભવે છે, તે પણ વ્યવહારથી ચાર ઘડીઓ સમજવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy