________________
-
-
*
*
-
-
*
*
*
*
*
૫૬૩
પ્ર. ૩-દિનચર્યા–સુપાત્રદાનને વિધિ તેમાં દૂષણે ]
“ તેર વિત્ત 1 બાળા, મત્સ્ય પુરિ ત€TI
विजो व्च रोगिअस्सेव, तओ किरिअं पउंजए ॥१॥" (प्रस्ताव ३-गा०१७४) ભાવાર્થ-“સાધુને વિહાર માટે ગ્ય કે અયોગ્ય “મગધ કે માલ વગેરે દેશના વિચાર કરે, આ ક્ષેત્રમાં (લોકે) સંવેગી સાધુઓથી પરિચિત (તેઓના આચારને જાણનારા) છે કે નહિ? તે વિચારે, અમુક ચીજ અહીં સુલભ છે કે દુર્લભ તે વિચારે, સુકાલ–દુષ્કાલ (રૂપ કાલ)ને વિચાર કરે અને પુરૂષની એટલે આચાર્ય–ઉપાધ્યાય-બાલ-વૃદ્ધ-માંદા-સહનશીલ કે (કેમળ શરીરવાળા શ્રીમંત કે રાજપુત્રાદિ) અસહનશીલ વગેરે જેને માટે દાન દેવાનું હોય તેને વિચાર કરે, એમ સર્વ વિચાર કરીને “વૈદ્ય રોગીને આપે તેમ” એટલે જેમ વૈદ્ય દેશ-કાળ વગેરેને વિચાર કરીને રોગ નાશ પામે અને રેગી સ્વીકારી શકે તેવું ઔષધ આપે તેમ, જેનાથી મુનિના શરીરને અને સંયમને નિર્વાહ થાય અને જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ થાય તેમ ખ્યાલ કરીને, તે તે આહાર-પાણી વસ્ત્ર–પાત્ર વગેરેનું દાન કરે.”
તેમાં પણ જે જે વસ્તુઓ સાધુઓને આપવા યોગ્ય હોય, તે તે બધી નામપૂર્વક જણ વીને સ્વીકારવા વિનતિ કરે નહિ તે પહેલાં (તેઓના ઉપાશ્રયે) કરેલું નિમંત્રણ અસત્ય ઠરે. બીજી વાત–વસ્તુઓ નામપૂર્વક જણાવવા છતાં સાધુ (કે કારણે) ન વહોરે, તે પણ વિનતિ કરવાથી પિતાને ફલ (પુણ્ય) થાય જ. ઊલટું, નામપૂર્વક વિનંતિ નહિ કરવાથી (વહેરાવવાની ભાવના હોય અને “સાધુને તે વસ્તુની જરૂર પણ હોય, છતાં (માગે નહિ) વહારે નહિ, એટલે દાન દેવાને અવસર નિષ્ફલ થવારૂપ નુકશાન થાય. એ પ્રમાણે ગુરૂને પડિલાભી (વહરાવી)ને વન્દના કરી બારણું સુધી કે આગળ પોતાની અનુકૂળતા (ભાવના) હોય ત્યાં સુધી વળાવીને ( સાથે જઈને) પાછા ફરે. પિતાના ગામમાં સાધુ-મુનિરાજને વેગ ન હોય, ત્યારે પણ ભોજન વખતે આજુબાજુના માર્ગોમાં જોયા કરે, રાહ જુએ, અને ભાવના ભાવે કે-“વાદળ વિનાના વરસાદની જેમ અત્યારે પણ અણધાર્યા મુનિ પધારે તે કૃતાર્થ થાઉં” વગેરે. કહ્યું છે કે –
લે સાદુ ન લિuપ, વહિં િત સાવલા ચુંવંતિ !
पत्ते भोअणसमए, बारस्साऽऽलोअणं कुजा ॥१॥" ભાવાર્થ“ઉત્તમ શ્રાવકે જે વસ્તુ મુનિ મહારાજને આપી ન હોય તેવી વસ્તુને ભેગવે (ખાય) નહિ, માટે જ ભજન વખતે બારણે મુનિને આવવાની રાહ જોતા રહેવું.” દાન કરવામાં ઉત્સર્ગ–અપવાદે આ પ્રમાણે છે–
" संथरणंमि असुद्धं, दुण्ह वि गिण्हंतदितयाणहि ।
સવિતે, તે જે દિગંમાંથી શા (શ્રાવિ, ના. ૧૭૧) ભાવાર્થ–“સાધુને (ષિત વસ્તુ વિના) નિવહ થાય તેમ હોય, ત્યારે દેષિત વહોરાવવાથી લેનાર-દેનાર બન્નેને પણ અહિત થાય છે અને (જરૂરી વસ્તુ વિના) ચાલે તેમ ન હોય ત્યારે તે દેષિત પણ લેવા-આપવાથી બન્નેને હિત થાય છે. આ અંગે વૈદ્ય-રોગીનું દષ્ટાન્ત સમજવું” અર્થાત્ “નિર્દોષ–અચિત્ત (કલ) મળે તેમ હોય અને તેથી નિભાવ થઈ શકે તેમ હોય, છતાં સાધુ બેંતાલીશ ષ પછી કઈ પણ દેષવાળાં આહારાદિ લે-વાપરે, તે “અપથ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org