SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૪ ૫૫૪ [ ધ સં. ભા. ૧-વ૨-ગા. ૨૩ सावकमि उ इत्तो, सविसेसं कुणइ सव्वं पि ॥५॥" ભાવાથ–“ભાઈઓને અંગેનું ઔચિત્ય એ છે કે ભાઈઓને પિતાની બરાબર સમજવા મેટા ભાઈને પિતાતુલ્ય સમજવા, ન્હાના ભાઈઓનું પણ સર્વ કાર્યોમાં બહુમાન કરવું. તેમાંથી જુદા રાખ નહિ, હૃદયની વાત સાફ કહેવી, અને તેઓના હૃદયની વાતે પૂછવી; સક્રવ્યવહારમાં-વેપારમાં જેડવા, અસવ્યવહારમાં જોડવા નહિ; દ્રોહબુદ્ધિએ થોડું પણું ધન વગેરે તેઓથી છૂપાવવું નહિ સંકટ પ્રસંગે ઘરને નિભાવ કરવા માટે તેનાથી ગુપ્ત સંગ્રહ કરે પડે છે તે પણ કરે જ. કુસંગત' વગેરેથી અવિનીત-અસદાચારી થતા ભાઈ પ્રત્યે શું કરવું? તે કહે છે કે-“ભાઈ અવિનીત થાય છે તેને ધીમે ધીમે સમજાવ, સન્માર્ગે ચઢાવ, જરૂર પડે તે મિત્રોની પાસે એકાન્તમાં તેને ઠપકે દેવરાવ, સ્વજને દ્વારા (પ્રગટ રીતે તેને ઉદ્દેશીને નહિ પણ) બીજાના વ્યપદેશથી હિતશિક્ષા અપાવવી, હૃદયમાં સ્નેહ રાખવા છતાં પણ કારણે બહારથી તેના પ્રત્યે ક્રોધ કર્યો હોય તેવું આચરણ દેખાડવું ( ગુસ્સો દેખાડ) અને એમ કરતાં જે તે વિનયમાગે આવી જાય તે નિશ્ચલ પ્રેમપૂર્વક તેને બોલાવે (સંભાળ), એ ઉપાયો કરવા છતાં તે વિનીત ન જ બને, તે “એની એવી પ્રકૃતિ (સ્વભાવ) છે”—એમ માની ઉપેક્ષા કરવી. (પણ દબાણ દુરાગ્રહ, દ્વેષ કે દુષ્ણન ન કરવું. ) વળી વિનીત કે અવિનીત ભાઈનાં સ્ત્રી-પુત્રાદિ પ્રત્યે તે પિતાનાં સ્ત્રી-પુત્ર વગેરેની જેમ ચીજ-વસ્તુ આપવામાં કે સન્માનવામાં સમદષ્ટિ રાખવી (ભેદ ન રાખ) અને સાવકી (ઓરમાન) માતાના પુત્રનું તે સગા ભાઈ કરતાં પણ વિશેષપણે સર્વ ઔચિત્ય જાળવવું; કારણ કે-ઓરમાન સાથે હું પણ અંતર રાખવાથી તે જાહેર થતાં જ તેનું ચિત્ત તુટે અને લોકમાં અપવાદ (નિન્દા) થાય, ઈત્યાદિ ભાઈને અંગે ઓચિત્ય જાણવું.” એજ પ્રમાણે બીજા પિતાતુલ્ય, માતાતુલ્ય કે ભાઈતુલ્ય ગણાતાં સ્ત્રી-પુરૂષ પ્રત્યે પણ યથાગ્ય ઔચિત્ય આચરવું. કહ્યું છે કે " जनकचोपकर्ता च, यस्तु विधाप्रयच्छकः । વન રાખવા, તે પિતા મૃતક શા" “તજ્ઞા પત્ની પુરી પત્ની, પત્ની માતા તથૈવ વા स्वमाता चोपमाता च, पश्चता मातरः स्मृताः ॥२॥" સહક સહાધ્યાયી, મિત્ર ના કપડા मार्गे वाक्यसखा यस्तु, पञ्चैते भ्रातरः स्मृताः ॥३॥" ભાવાર્થ-“૧-જન્મદાતા પિતા, ૨-ઉપકારી,૩–વિદ્યાદાતા, ૪-અન્નદાતા, અને પ-પ્રાણદાતા, એ પાંચ પિતાઓ કહ્યા છે ( અર્થાત્ બાકીના ચાર પણ પિતા સમાન છે. ) ૧–રાજાની પત્ની, ૨–ગુરુપત્ની, ૩-સાસુ, ૪-પિતાની જન્મદાત્રી અને પ–ઓરમાન માતા, એ પાંચ માતાઓ કહી છે ( અર્થાત્ બીજી ચારને પણ માતા સમાન ગણવી), ૧-એક જ માતાને પુત્ર ભાઈ( સહેદર), ૨-સહાધ્યાયી ( સાથે ભણનાર), ૩-મિત્ર, ૪-રોગમાં સહાય કરનાર તથા પ-મુસાફરીમાં દેશટનમાં) સાથે વાત કરનાર (સહાયક)-એ પાંચ ભાઈઓ કહ્યા છે. (અર્થાત્ બાકીના સહાધ્યાયી વગેરેને પણ સગા ભાઈ સમાન ગણું તે તે વ્યકિતઓનું પણ યથાયોગ્ય ઓચિત્ય સાચવવું)” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org.
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy