SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫૫૨ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૬૩ " चित्तं पि हु अणुअत्तइ, सव्वपयत्तेण सन्चकन्जेसुं । उवजीवइ बुद्धिगुणे, निअसम्भावं पयासेइ ॥१॥" ભાવાર્થ... દરેક કાર્યોમાં મનથી પણ સર્વથા પિતાની ઈચ્છાને અનુસરે (ઉલટ વિચાર પણ ન કરે ), બુદ્ધિના આઠ ગુણેને આશ્રય કરે અને પિતાની આગળ પિતાના હૃદયના ભાવ (પૂજ્યભાવે) પ્રગટ જણાવે ” અર્થાત “અમુક કાર્ય અમુક રીતિએ કરવું (કે ન કરવું) વ્યાજબી છે વગેરે પિતાની બુદ્ધિથી નિશ્ચિત સમજવા છતાં તે જ કરે કે જે પિતાને સંમત હોય. સકલ વ્યવહારમાં તેઓની હિતશિક્ષાની ઈચ્છા રાખે, તેઓ જે સલાહ આપે તે સાંભળે, ઇત્યાદિ “સુશ્રષા-શ્રવણ' વગેરે બુદ્ધિના આઠ ગુણોને અભ્યાસ કરે, કે જેથી ઘણા અનુભવવાળા પિતા વગેરે (વડીલે) અતિ પ્રસન્ન થઈને પોતાના અનુભવ પ્રમાણે તે તે કાર્યોના રહસ્ય(મર્મ)ને અવશ્ય જણાવે. વળી તેઓને હૃદયની વાત–વિચારો સ્પષ્ટ જણાવે. જેમ કે " आपुच्छिउं पयट्टइ, करणिज्जेसुं निसेहिओ ठाइ । ___ खलिए खरं पि भणिओ, विणीअयं न हु विलंघेइ ॥१॥" " सविसेसं परिपूरइ, धम्माणुगए मणोरहे तस्स । एमाइ उचिअकरणं, पिउणो जणणीइ वि तहेव ॥२॥" ભાવાર્થ–“કરવા યોગ્ય દરેક કાર્યો તેમની આજ્ઞા મેળવીને કરે, અમુક કાર્યોને તે નિષેધ કરે તે તે ન કરે, ભૂલ થતાં કડક ઠપકે આપે તે પણ વિનયનું ઉલંઘન ન કરે (મનમાં માઠું ન લગાડે-ઉપકાર માને.)(૧).પિતાના મનમાં થતા ધાર્મિક મનોરથોને પ્રયત્નપૂર્વક પૂર્ણ (સફલ). કરે, ઈત્યાદિ પિતાને અંગે ઉચિત આચરણ જાણવું. માતા પ્રત્યે પણ તે જ પ્રકારે જાણવું (૨).” અભયકુમારે પિતા શ્રેણિક રાજા અને માતા ચલણના મનેરને પૂર્યા હતા, તેમ ઉત્તમ પૂત્રે માતા-પિતાના આ લેકના બીજા મારાને પણ પૂર્ણ કરવા. અને ધર્મના મનોરથ, જેવા કે–સુદેવની પૂજા, ગુરૂની સેવા, ધર્મશ્રવણ, વિરતિ (વ્રત વગેરે)ને સ્વીકાર, છ આવશ્યકે (પ્રતિ ક્રમણ) કરવાં, સાત ક્ષેત્રોમાં ધન ખર્ચવું, તીર્થયાત્રાઓ કરવી, દીન-અનાથ વગેરેનો ઉદ્ધાર કરે, ઈત્યાદિ તેમના ધર્મ મનેરને તે ઘણું આદરપૂર્વક પૂર્ણ કરે. આમ કરવું તે આ જન્મના ગુરૂ સમાન માતા-પિતાને અંગે સુપુત્રનું કર્તવ્ય જ છે. શ્રીઅરિહંતદેવને ધર્મમાં જોડવા (સહાય કરવા) સિવાય મહા ઉપકારી એવાં માતા-પિતાના ઉપકારને બદલો વાળવાને બીજે કઈ જ ઉપાય નથી. સ્થાનાલ્ગસૂત્રમાં કહ્યું છે કે – "तिण्हं दुप्पडिआरं समणाउसो! तंजहा अम्मापिउणो, भट्टिस्स, धम्मायरिअस्स, इञ्चाइ n" (૩૫૦ ૨, ૩૦ , રૂ૨૨) અર્થાત્ “હે શ્રમણ !, હે આયુષ્માન્ ! ત્રણના ઉપકારને બદલે વાળ દુઃશકય છે. એક માતા-પિતાને, બીજે સ્વામી ( આજીવિકા દેનાર )નો અને ત્રીજે ધર્માચાર્યને,” તેમાં–૧-દરરોજ પ્રભાતકાળે જે પુરૂષ માતા-પિતાને “શત પાક-સહસ્ત્રપાક તેલ” ચાળીને સુગંધીમાન દ્રવ્યથી તેનું ઉદ્દવર્તન કરીને, પછી “સુગંધી, ઉષ્ણ તથા ઠંડુ” એમ ત્રણ પ્રકારનાં પાણીથી સ્નાન કરાવીને, સર્વ અલંકાર પહેરાવીને, મનપસંદ પાત્રોમાં ઉત્તમ રસોઈ સહિત અઢાર જાતિનાં શાકનું ભોજન કરાવે અને જાવજજીવ ખાંધે ઉપાડીને ફેરવે તે પણ માતા-પિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy