________________
પ્ર૦ ૩-દિનચર્યા–વ્યવહારશુદ્ધિમાં નવ પ્રકારનું ઔચિત્ય ]
૫૫૧ આ દેશવિરૂદ્ધ” વગેરે પાંચ પ્રકારનાં કાર્યોને શ્રાવકે ત્યાગ કરે, તે “દેશાદિવિરૂદ્ધના ત્યાગ” રૂપ શ્રાવકને વિશેષ ધર્મ સમજ. વળી
ઉચિત આચરણ-એટલે ઉચિત પ્રવૃત્તિ કરવી તે શ્રાવકનો વિશેષ ધર્મ છે. “પિતાનું ઔચિત્ય, માતાનું ઔચિત્ય” વગેરે ઔચિત્યના નવ પ્રકારે કહ્યા છે. આ ઔચિત્ય-આચરણથી પણ નેહવૃદ્ધિ, યશકીર્તિ વગેરે ઘણું લાભ થાય છે. હિતેપદેશમાળાની ગાથાઓમાં કહ્યું છે કે
સામને મgs, Tamતિ રદ વિäિા. तं सुणह निविअप्पं, उचिआचरणस्स माहप्पं ॥१॥" તં કુળ ઉજz-મફ-સોગણુ પાણિ-કવચ-ચોકું !
गुरुजण-नायर-परतित्थिएसु पुरिसेण कायव्वं ॥२॥" ભાવાર્થ_“મનુષ્યપણું સર્વમાં સરખું હોવા છતાં, જે માણસો આ જગતમાં કીર્તિને મેળવે છે, તે તેના ઉચિત આચરણને મહિમા છે એમ નિશ્ચયથી સમજે. (૧) ઉત્તમ પુરૂષે તે ઓચિત્ય, ૧-પિતા, –માતા, ૩-ભાઈ, ૪-પત્ની, પપુત્ર-પુત્ર્યાદિ, ૬-સ્વજન, ૭-ગુરુજને (વડીલે), ૮-નગરજનો અને ૯-અન્યધર્મીઓ, એ નવનું કરવું જોઈએ.” તેમાં– ૧. પિતા પ્રત્યે ઔચિત્ય-મન, વચન અને કાયાથી, ત્રણ પ્રકારે થાય છે, તે ક્રમશઃ કહે છે
" पिउणो तणुसुस्सूसं, विणएणं किंकरुव्य कुणइ सयं ।।
वयणं पि से पडिच्छइ, वयणाओ अपडिअं चेव ॥३॥" ભાવાર્થ-“પિતાના શરીરની સેવા ચાકરની પેઠે વિનયપૂર્વક સ્વયં કરવી અને તેમનું વચન મુખમાંથી નીકળતાં જ-પડયા પહેલાં ઝીલવું.”
તેમાં પિતાના પગ દેવા-શરીર દબાવવું-ઉભા કરવા-નીચે બેસાડવા વગેરે તથા તે તે દેશમાં -કાળમાં તેમના શરીર (ધાતુઓ )ને અનુકુળ આવે તેવાં ભેજન, પથારી (પલંગાદિ), વસ્ત્રો અને વિલેપ વગેરે ભેગસામગ્રી મેળવી આપવારુપ શરીરસેવા કરવી, તે પણ બીજાના દબાણથી કે તેઓ પ્રત્યે અનાદરથી નહિ પણ પૂજ્યભાવપૂર્વક વિનયથી કરવી, અને તે પણ નોકર કે ચાકર દ્વારા ન કરાવતાં સ્વયં કરવી. તેનું કારણ છે કે
“ પિતુઃ પુર નિષort , ય શોમાં ઢમરે સુતા
ઉન્નસિંહાસનથી, શોના સાતઃ? શા” ભાવા–પિતાના પિતા (વગેરે ગુરૂઓ)ની સામે (સેવકભાવે) નીચે બેઠેલા પુત્ર જે શેભા પામે છે તેને શતાંશ (કડા જેટલી) પણ ઉંચા સિંહાસને બેઠેલાને કયાંથી મળે? ન મળે.
માટે પિતાની સેવા સ્વયં કરવી. આ કાય–ઔચિત્ય જાણવું. વળી પિતાના મુખમાંથી નીકતે બોલ “પડતાં પહેલાં ઝીલે” અર્થાત્ “ આપે કહ્યું તે પ્રમાણ”—એમ કહી આદરપૂર્વક તુર્ત સ્વીકારે -શિરોમાન્ય કરે, “સાંભળ્યાં છતાં ન સાંભળ્યું કરવું, માથું ધૂણવવું (નિષેધ કરવો), સ્વીકારવા છતાં યોગ્ય સમયે તે ન કરવું, અડધું કર્યું-ન કર્યું એમ રખડતું મૂકવું” વગેરે અનાદર ન કરે. (આ વચન-ઔચિત્ય જાણવું.) તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org