________________
કે
રી
,
-
-
-
-
-
-
-
-
- -
- ૫૭
પ્રહ ૩-દિનચર્યા-વ્યવહારશુદ્ધિમાં દ્ધિના પ્રકાર : ખર્ચમાં વિવેક ] ઈષ્ટ સિદ્ધિ માટે પ્રારંભમાં શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું, શ્રીગૌતમસ્વામીજી આદિનું નામ જપવું તથા તે વેપાર કે નફામાંથી કઈ (અમુક લાભ કે) વસ્તુ દેવ-ગુરૂની સેવામાં વાપરવી, ઈત્યાદિ કરવા જેવું છે, કારણ કે–દરેક કાર્યોની સિદ્ધિમાં ધર્મનું જ પ્રધાનપણું છે. ધન મેળવવા ઉદ્યમ કરનારે “સાત ક્ષેત્રમાં વાપરીશ” વગેરે ધર્મના મોટા મનેર ૧૦પ કરવા અને ધન મળે ત્યારે તેને યથાશય સફલ પણ કરવા. કહ્યું છે કે
"ववसायफलं विहवो, विहवस्स फलं सुपत्तविणिओगो।
तयभावे ववसाओ, विहवो वि अ दुग्गइनिमित्तं ॥१॥" ભાવાર્થ-“વ્યાપારનું ફલ વૈભવ અને વૈભવનું ફલ સુપાત્રદાન છે, તે દાન વિના વ્યાપાર અને વૈભવ બને ય દુર્ગતિનાં કારણ બને છે.”
એમ વ્યવહાર શુદ્ધિથી મેળવેલી કૃદ્ધિ ધર્મકાર્યમાં વાપરવાથી ધર્મદ્ધિ બને છે, નહિ તે તે ભેગઋદ્ધિ કે પાપઝદ્ધિ બને છે. કહ્યું છે કે
મિટ્ટી મોનિકી, વિધી ફુગ નિદા મ ી
સા મારુ ધગ્નિદી, કા ખિન્ન ધર્મજમું શા” " सा भोगिडूढी, गिज्जइ, सरीरभोगंमि जीइ उवओगो ।
जा दाणभोगरहिआ, सा पाविड्ढी अणत्थफला ॥२॥" ભાવાર્થ_“ધર્મદ્ધિ, ભેગઋદ્ધિ, અને પાપદ્ધિ-એમ ત્રાદ્ધિના ત્રણ પ્રકારે છે. તેમાં જે ધર્મકાર્યમાં વપરાય તેને “ધર્મદ્ધિ ” જે શરીર અને ભેગમાં વપરાય તેને “ભેગઋદ્ધિ' અને દાનમાં કે ભોગમાં–એકેયમાં ન વપરાય તેને અનર્થ કરનારી “પાપદ્ધિ” જાણવી.”
માટે કરવા યોગ્ય “દેવપૂજા, દાન’ વગેરે દૈનિક કાર્યોમાં કે “સંઘપૂજા,” “સાધર્મિક ભક્તિ' વગેરે વાર્ષિક કાર્યોમાં ખચીને લક્ષ્મીને પુપયોગી બનાવવી. પ્રસંગે (વિશેષ) પુણ્યનું કામ પણ તેને શોભાસ્પદ છે કે જે દરરોજ (સાધારણ) પુણ્યકાર્યો કરતા હોય. કમાણીની ઈચ્છા પણ ભાગ્યાનુસારે જ કરવી, નહિ તે આધ્યાન વધે અને નિષ્કારણ કર્મબંધ થાય. ( લાભ તે પુરૂષાર્થ સાથે પ્રારબ્ધ પ્રમાણે જ થાય છે.) ખર્ચ પણ કમાણીને અનુસાર કરે. કારણ કહ્યું છે કે
" पादमायानिधिं कुर्यात् , पादं वित्ताय कल्पयेत् ।
ધામોનો હિં, હું માપ શ” ભાવાર્થ—“ કમાણીના ચોથા ભાગને સંગ્રહ કરે, ચોથો ભાગ વ્યાપારમાં રે, ચેથે ભાગ ધર્મ અને ભેગ-ઉપભેગમાં ખર્ચ અને ચેાથે ભાગ પિતાના આશ્રિતને અંગે ખર્ચ (આપ).” કેઈ એમ પણ કહે છે કે
“ ગાઢ નિયુત વર્ષે સમધિ તતા.
शेषेण शेषं कुर्वीत, यत्नतः तुच्छमैहिकम् ॥१॥" ભાવાર્થ–“કમાણુને અડધે કે તેથી વધારે ભાગ ધર્મમાં ખર્ચ અને બાકીનાથી આ ૧૦૫. ધર્મ માટે ધન કમાવાને નિષેધ છે, ધન મેળવવા માટે ધર્મની સહાય ઈવી અનુચિત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org