SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં. ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૩ કરે તે ઘણે લે નહિ.” ઇત્યાદિ પ્રથમ પંચાશકની ટીકામાં કહ્યા પ્રમાણે સમજવું. તથા તેલ-માપાં ખોટાં રાખવાં નહિ કે તળવામાં ન્યૂનાધિય કરવું નહિ; સારા-હલકા રસ (ઘી, તેલ વગેરે) કે સારી-નરસી વસ્તુઓ ભેળ-સંભેળ કરવી નહિ; ઉપરાંત “અનુચિત વ્યાજ લેવું, લાંચ આપવી–લેવી; બેટે કર (ટેક્ષ) લે; બેટાં કે ઘસાએલાં નાણું વગેરે સારામાં આપવાં; વેચાણ-ખરીદને ખોટાં ઠરાવવાં; બીજાના ગ્રાહકોને ભરમાવવા; બીજી (સારી) વાનગી (નમુને) બતાવીને બદલે બીજી (ખરાબ) વસ્તુ આપવી; અંધારામાં (દીવા વગેરેના પ્રકા શથી ગ્રાહકો) ઠગાય તેમ વસ્ત્ર વગેરેને વેપાર કર, અષી (શાહી–અક્ષરો-લીપિ) બદલવા,” ઈત્યાદિ બીજાઓને ઠગવાનું કાર્ય સર્વથા ન કરવું. કહ્યું છે કે “ विधाय मायां विविधैरूपायैः, परस्य ये वञ्चनमाचरन्ति । ते वञ्चयन्ति त्रिदिवापवर्ग-सुखान्यहो ! मोहविजम्भितानि ॥१॥" - ભાવા–“જેઓ અનેક પ્રકારે કપટ કરીને બીજાઓને ઠગવાનું કામ કરે છે, તેઓ ખરેખર, પિતાના આત્માને સ્વર્ગ કે મેક્ષના સુખથી ઠગે છે. અહા ! મેહ વિલાસ કે છે?” તથા સ્વામી, મિત્ર, વિશ્વાસુ, દેવ, ગુરૂ, વૃદ્ધ, બાળ વગેરેને દ્રોહ કરે કે કોઈની થાપણ એળવવી, વગેરે ઘેર પાપવાળાં કાર્યો તે હત્યા કરવા બરાબર હોવાથી સર્વથા વર્જવાં. પાપ બે પ્રકારનું છે–એક ગુપ્ત અને બીજું પ્રગટ. ગુપ્તના પણ બે પ્રકારો છે–એક ન્હાનું અને બીજું મેટું. ખોટાં તોલમાપ વગેરે ગુપ્ત પાપ ન્હાનું છે અને વિશ્વાસઘાત વગેરે ગુપ્ત પાપ મોટું છે. પ્રગટ પાપના પણ બે પ્રકારે છે–એક કુલાચારથી કરેલું બીજું નિર્લજજતાથી કરેલું તેમાં ગૃહસ્થ આરંભાદિ કરે અને સ્કેચ છો હિંસા વગેરે કરે તે કુલાચારથી કરેલું પ્રગટ પાપ અને સાધુવેષમાં રહીને સાધુએ હિંસા વગેરે કરવી તે નિર્લજજતાથી કરેલું પ્રગટ પાપ છે. નિર્લજજતાદિકથી કરાતાં પ્રગટ પાપ શાસનની અપભ્રાજના વગેરેમાં નિમિત્ત હોવાથી અનંત સંસારભ્રમણાદિનાં પણું કારણ બને છે અને કુલાચારથી કરેલા પ્રગટ પાપથી કમબંધ છેડો થાય છે. વળી ગુપ્ત કરાતું પાપ તે અસત્યરૂપ હોવાથી તેનાથી કમબંધ ઘણે આકરો થાય છે, કારણ કે-અસત્ય એ મેટામાં મેટું પાપ છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે “ एकात्राऽसत्यजं पापं, पापं निःशेषमन्यतः તુવિકૃત- રાવારિરિક શ” (૫૦ ૨–ો. પછી) ભાવાર્થ–“એક તરફ અસત્યનું પાપ અને બીજી તરફ સર્વ પાપ-એમ તેલ કરતાં પહેલું (અસત્યનું) પાપ વધી જાય છે.” વળી જેની સાથે પ્રીતિ હોય તે (સંબંધીઓ વગેરે)ની સાથે તે લેવડ-દેવડને વ્યવહાર વગેરે કદાપિ કરવું નહિ, થાપણ તે સાક્ષી વિના મિત્રને ઘેર પણ મૂકવી નહિ, મિત્ર વગેરેની મારફત બીજાને ધન મેકલાવવું ઇત્યાદિ પણ ગ્ય નથી, કારણ કે-“અવિશ્વાસ ધન રળવામાં મૂળ (સાધન) છે અને બીજાને વિશ્વાસ કરે તે ધન ગુમાવવાનું મૂળ કારણ છે.” ‘જેમ-તેમ સોગન ખાવા ” વગેરે પણ કરવું નહિ, તેમાં પણ દેવ ગુર્વાદિના સેગન તો સર્વથા વર્જવા. અને બીજાની લેવડદેવડમાં સાક્ષી બનવાના સંકટમાં પણ કદાપિ ઉતરવું નહિ. સામુદાયિક ખરીદ કે વેચાણ કરતાં અથવા વેપારમાં વિના ટળે અને ઈચ્છિત લાભ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy